Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 176
________________ ૩00 આપ્તવાણી-૧૧ ઈફેક્ટ છે. તે કોઝિઝનું ફળ છે આ. એટલે કોઝિઝ તમારા હાથની વાત આપ્તવાણી-૧૧ ૨૯૯ નહીં. કુદરતે ય એકસેટ ના કરે, ત્રણ પછી ચાર જ જોઈશે. એટલે બધું આ નિયમથી છે. પાછું સહેજે ય ગમ્યું નથી. પ્રશ્નકર્તા ઃ એટલે જે જીવ છૂટે છે, એ જીવે એને પહેલાં કંઈ સત્કર્મો કર્યા હશે તે એને કામ લાગે છે ખરાં, છૂટવા માટે અત્યારે ? દાદાશ્રી : એ સત્કર્મો નહીં, એ ટાઈમીંગ છે. એના નિયમના આધીન છે એ છૂટે છે ને તે જ રસ્તે આપણે ચાલીએ છીએ. એ રસ્તે જ ચાલીને ગયેલા ત્યાં આગળ, જે આપણે વિતાડીએ છીએ, એમને વિતીને જ ગયા છે આ બધું. એટલે બધાનું એવું છે કંઈ કોઈ એકદમ ઓચિંતું કોઈ ઈનામ મળતું એવું નથી આ જગત. બધું નિયમથી છે, એકઝેક્ટનેસ છે. પ્રશ્નકર્તા : ત્યાં આપણે જ્યારે એમ કહીએ છીએ કે આ બધું વ્યવસ્થિત નક્કી થઈને જ આવેલું છે. આપણું કરેલું કંઈ કામમાં લાગવાનું નથી તો પછી જ્યારે એક માણસ કોઈ સત્કર્મો... દાદાશ્રી : નક્કી થઈને આવેલું નથી. પ્રશ્નકર્તા : આ જન્મોમાં જે કંઈ બનવાનું છે.... દાદાશ્રી : આ પ્રારબ્ધવાદની વાત નથી. પ્રશ્નકર્તા : નિયતિ એટલે પ્રિડિટરમાઈન્ડ, પૂર્વ નિશ્ચિત કહેવાય. દાદાશ્રી : ના. એવું નિશ્ચિત નથી. પ્રશ્નકર્તા : આ જન્મમાં આપણે જે કંઈ બનવાનું છે તે આપણે નક્કી કરીને જ આવેલા છે તે જ બનવાનું છે. દાદાશ્રી : નક્કી એટલે શું કર્યું છે તમે, તમે જે પરીક્ષા આપી હતી ને તેનું આ પરિણામ છે. હવે ફરી પરીક્ષા આપી રહ્યા છો તો તમને આ પરિણામ સારું ના લાગતું હોય તો સારી પરીક્ષા આપો, એવું કહે છે. આ અત્યારના દુ:ખદાયી પરિણામ લાગતાં હોય તો હવે સુખદાયી કેમ થાય એવી પરીક્ષા આપો એટલે કોઝિઝ કરવામાં આવે છે અને આ પ્રશ્નકર્તા : એ જ આપણા કંઈક શાસ્ત્રો એમ કહે છે કે “કોણ માણસ કઈ ઘડીએ છૂટશે’ એ પણ કુદરત જ નક્કી કરે છે એ વાત બરાબર બેઠી નહીં. તો એ પણ જીવના હાથમાં જ ગઈને એ વાત ? - દાદાશ્રી : એવું છે ને, નક્કી કશું હોતું નથી અને છતાં નિયમમાં છે. જો નક્કી કહેવાયને તો આ લોકોનું મન જુદી જાતનું થઈ જાય. નક્કી બોલાય નહીં એમ. શાસ્ત્રોએ જે કહ્યું છે ને તેનો અર્થ લોકોને એની અસર પડી ગઈ છે અને આપણા સંતોએ એ આગળ શું કહ્યું, ‘વો સબ હો જાયેગા, પ્રારબ્ધ મેં હૈ તો હો જાયેગા.’ તેથી આ હિન્દુસ્તાનની દશા ભૂંડી થઈ ગઈ. પ્રારબ્ધ એવું ના બોલાય. એ તો એમ જ કહેવું પડે, ભઈ ઉઘાડી આંખે ગાડી ચલાવો અને સાવધાનીપૂર્વક ચલાવો પછી અથડાય એ પ્રારબ્ધ. અત્યારે એમ ને એમ પ્રારબ્ધ માની બેઠા છે તેને લીધે તો આ દેશની આ પરિસ્થિતિ થઈ છે. ને પ્રારબ્ધ અને પુરુષાર્થનો ભેદ આ દેશમાં લગભગ હજારો વર્ષથી નથી. એનો ભેદ, લાઈન ઓફ ડીમાર્કેશન વચ્ચે, એ ભેદ હું આપવા બેઠો છું. પુરુષ થયા પછી પુરુષાર્થ શરૂ થઈ જાય, એની દ્રવ્યદ્રષ્ટિ થઈ એટલે પુરુષાર્થ શરૂ થઈ જાય. પ્રશ્નકર્તા પણ દ્રવ્યદ્રષ્ટિ થવી એ પણ એક આપણા હાથની વસ્તુ નથી ને ! દાદાશ્રી : એ હાથની વસ્તુ નથી. ત્યાં સુધી પ્રકૃતિના આધીન છે. એ દ્રવ્યદ્રષ્ટિ શેને આધીન છે ? કે અહીંથી પથ્થર ગબડ્યા, તે બધાં આમથી આમ જાય ને, આમથી તેમ જાયને, ઘસાય, માંહ્યોમાંહ્ય ટકરાઈ ટકરાઈ ને ઘસાય, ટકરાઈ ટકરાઈ, માંહ્યોમાંહ્ય ટકરાય. જેમ આ જીવમાત્ર ટકરાય છે ને, પેલો પેલાને કરડે છે ને પેલો પેલાને મારે છે ને ! એમ ટકરાતાં, ટકરાતાં, ટકરાતાં, ટકરાતાં ગોળ થાય જ્યારે, ત્યારે સમકિત

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204