Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 167
________________ આપ્તવાણી-૧૧ ૨૮૧ પ્રશ્નકર્તા : એ ગમે તે કરે પણ વ્યવસ્થિત હોય એમ જ થાયને, પછી બીજું કંઈ થાય જ નહીં ને ? દાદાશ્રી : ના. એવું અમે વ્યવસ્થિત કહ્યું નથી. પ્રશ્નકર્તા : તો તો પછી એક માણસ ગમે એ કરી શકે, આ દુનિયાની અંદર એક અહંકારી માણસ ગમે એ કરી નાંખે. દાદાશ્રી : કરે જ છે ને ! પ્રશ્નકર્તા : એ ક્યાં કરી શકે છે ? નથી જ કરી શકતા. દાદાશ્રી : એવું કાર્ય કરવાની પોતાના હાથમાં સત્તા જ નથીને, આ પરસત્તા છે. કાર્ય કરવાની પરસત્તા છે. પણ કોઝીઝ પોતાના સત્તામાં ખરાંને ! પાંચ સમવાય કારણો ! પ્રશ્નકર્તા : પાંચ સમવાયમાં વ્યવસ્થિત શક્તિ તે એમાં સમાય છે કે વ્યવસ્થિત શક્તિ અલગ છે ? દાદાશ્રી : પાંચ સમવાય જુદા છે, અને આ વ્યવસ્થિત તો જુદી વસ્તુ છે. સમવાયમાં તો પુરુષાર્થ અને પ્રારબ્ધ બન્ને આવ્યા. અહીં પુરુષાર્થને એવું તેવું ના હોય. એટલે આ જુદી વસ્તુ છે વ્યવસ્થિત. પુરુષાર્થ જ્યાં હોય ત્યાં નવા કર્મ બંધાય, અને વ્યવસ્થિતમાં કર્મ બંધાય નહીં. આ સમવાય હોય ત્યાં કર્મ બંધાય. સમવાયમાં કર્મ બંધાય. સમવાય તો એવું કહેવા માંગે છે કે આ પાંચ કારણો ભેગા થશે તો જ કાર્ય થશે, નહીં તો નહીં થાય, એટલું જ કહેવાનું. બીજું કશું કહેવા માંગતા નથી. પણ સમવાયમાં અહંકાર હોવાથી ક્રમિકમાર્ગમાં છે, એટલે એ અહંકાર તે કર્મ બાંધે. આપણે અહીં વ્યવસ્થિતમાં કર્મ બાંધવાના નહીં, જે છે એને ઉકેલે છે. પ્રશ્નકર્તા : સમવાયમાં કર્મનો અભાવ પણ આવે છે ને ! દાદાશ્રી : હા, એ તો આ છે તે કર્મ અને કર્મનો અભાવ બેઉ ખરું ૨૮૨ આપ્તવાણી-૧૧ છે. પણ વસ્તુ સ્થિતિમાં પાંચ ભેગા થાય તો કાર્ય થાય. પણ તે અહંકાર હોવો જોઈએ, કહે છે. તે આમાં પુરુષાર્થ છે નહીં વ્યવસ્થિતમાં. પ્રશ્નકર્તા : કર્મ બાંધતી વખતે પણ પાંચ સમવાયો છે અને કર્મ છોડતી ભોગવતી વખતે પણ પાંચ સમવાયો છે. દાદાશ્રી : હા, પણ તો ય વ્યવસ્થિત છે તે આ સમવાય હોય. એ સમવાય ભોક્તાનો સમવાય જુદો છે અને કર્તા-ભોક્તાનું બેઉનું ભેગું સમવાય જુદું છે. ભોક્તાનું સમવાય નિર્જીવ છે અને કર્તા-ભોક્તાનું સજીવ અને નિર્જીવ બન્ને સમવાય છે. એટલે આ જુદું છે, આ વ્યવસ્થિત જુદું છે બધાનું. એ સમજાય છે ? આ વ્યવસ્થિતમાં સમવાય કારણો આવી જાય. ફેર પૂર્વકર્મ અને તિયતિમાં ! પ્રશ્નકર્તા : પાંચ કારણોથી કાર્ય થાય છે, કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરુષાર્થ. હવે પૂર્વકર્મ અને નિયતિ એ બે શું છે એમ ? એ બે ય એક જ છે કે જુદા જુદા છે ? દાદાશ્રી : જુદા જુદા છે ત્યારે ભગવાને જુદા લખ્યા છે. જુદા છે માટે જુદા લખ્યા. પ્રશ્નકર્તા : તો આ નિયતિ અને પૂર્વકર્મ એ સંબંધી હવે આપ સમજાવો. એ બે જુદા કેમ છે ? દાદાશ્રી : નિયતિ કુદરતી પ્રવાહ છે. આ જીવમાત્ર પ્રવાહમાં જ છે નિરંતર, એ પરિવર્તનશીલ જ થયા કરે, અને પૂર્વકર્મ પોતે અહંકારે કરીને ડખલ કરેલી છે. ચાલુ પ્રવાહમાં પોતે ડખલ કરી, અહંકારે કરીને. એનું નામ પૂર્વકર્મ. પ્રશ્નકર્તા : પણ પ્રવાહ એ જીવને કેમ લાગે-વળગે છે ? દાદાશ્રી : જીવ પ્રવાહમાં જ છે એ. પ્રશ્નકર્તા : હા, પ્રવાહમાં છે. પણ પૂર્વકર્મ એને નડે છે એમ આપણે

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204