Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
ભાગ-33. ૪૦ આવશ્યક-મૂલશ 3
(9)
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
(PROOF-1)
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે ‘આવશ્યક' નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં માથક્ષય એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને “માવવા'' નામે જ ઓળખે છે. આ આગમમાં છ અધ્યયનો છે.
મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે, માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે. પરંતુ તેની નિયુક્તિની સંખ્યા-૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ મોટું થઈ જાય છે. જે તેના ઉપરની ચૂર્ણિ, બૃહત્ ભાષ્ય, ઈત્યાદિ વિવરણો સાથે રાખવામાં આવે તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તૃત થઈ જાય.
મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પચ્ચખાણ એ છ વિષયો છે. પણ નિર્યુક્તિ સાથે ચૂર્ણિ અને વૃતિને લઈએ તો જૈન વાડુમય બની જાય તેટલા વિષયો અને કયા-દટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીસોત બની રહે છે..
અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હાભિદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાષ્યાદિ પણ જોઈ લેવા યોગ્ય જ છે. તેમાં ઘણું તાત્વિક ઉંડાણ સમાવાયું છે.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેર્યા છે, તો કયાંક વ્યાકરણાદિ છોડેલ પણ છે. કથા-દષ્ટાંતો પણ ક્યાંક વાક્યપૂર્તિ આદિથી લંબાયા છે, તો ક્યાંક સંક્ષેપ પણ કર્યો છે.
અમે આ આગમને નિર્યુક્તિના આધારે ચાર વિભાગમાં વહેંચેલ છે. જેમાં પહેલા બે ભાગોમાં ૧ થી ૧૦૦૫ નિર્યુક્તિ અને વિવેચન કર્યા છે. આ ભાગમાં નિર્યુક્તિ-૧૦૦૬ થી ૧૨૭૩ને સમાવેલ છે.
આ ત્રીજા ભાગમાં અધ્યયન ૧ થી ૩ સંપૂર્ણ અને પ્રતિકમણ અધ્યયનમાં સિદ્ધોના ૩૧-ગુણો સુધીના સૂત્રોનું વિવેચન કરેલ છે. [33/2]
E:Maharajsaheb\Adhayan-33\Book33AL
આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ 9 -X - X - X - X - X - X - X - X - X –
(૧) આ પૂર્વે ભાગ-૧ અને ભાગ-રમાં થઈને ૧ થી ૧૦૦૫ નિયુક્તિ અને તેનું વિવેયન સમાવેલ છે. આ ભાગ-1-માં નિયુક્તિ-૧૦૦૬ થી ૧૨૩ એમ કુf-૨૬૮ નિમુક્તિનો સમાવેશ છે. ભાગ-૨માં “નમસ્કાર મંત્ર” એક જ મૂળસૂઝ આવેલ હતું. વાસ્તવિક રીતે અધ્યયનt-૧-“સામાયિક'નો આરંભ આ ત્રીજા ભાગમાં છે. આ ભાગ-3-માં મૂળભૂગો-૧ થી ૨૬ [અધુરી નો અમે સમાવેશ કરેલ છે. જેમાં ત્રણ અધ્યયનોમાં મૂળસૂત્ર ૧ થી ૧૦ પુત્ર છે ‘પ્રતિકમણ” નામે સોશું ધ્યાન છે, જેમાં સૂમો-૧૧ થી ૩૬ છે. તેમાંથી અમે સૂપ-ર૬ સુધી આ ભાગમાં લીધા છે. તે ર૬માં પણ “બઝીશયોગસંહ” ભાગ-૪માં લીધેલ છે.]
() [ભાગ-૧ અને ર માં અમે નિયુક્તિ અને તેનું વિવેચન એવા બે અલગ ભાગ પડે. આ ભાગમાં નિયુક્તિ અને વિવેયન બંને સાથે જ લીધેલ છે, અલગ-અલગ વિભાગ કરેલાં નથી.)
() વાંચતી વખતે ઓળખવું સહેલું પડે માટે મૂળસૂકો ઈટાલિક મોહમાં સૂઝનું વિવેયન નોર્મલ ટાઈપમાં અને નિયુક્તિ અને ભાષ્ય તથા તે બંનેના વિવેચનને સેમી બોલ્ડમાં કમ્પોઝ કરાવેલ છે.
• નમસ્કાર નિયુક્તિ... ભાગ-૨-થી ચાલુ :હવે આક્ષેપદ્વારનો અવયવાર્થ પ્રગટ કરતા કહે છે – • નિયુક્તિ-૧૦૦૬ + વિવેચન :
આણોપ-આ નમસ્કારમાં સંક્ષેપ નથી અને વિસ્તાર પણ નથી. સંશોપ બે છે સિદ્ધ અને સાધુ, વિસ્તાર અનેક પ્રકારે છે, તેમાં પાંચ ભેદ યુક્ત નથી.
આ પાંચ અંશક પાઠ તે અપપાઠ છે, •x • તેમાં સંક્ષેપવતુ તે સામાયિક સૂત્ર છે, વિસ્તારથી ચૌદ પૂર્વો છે. જ્યારે પંચ નમસ્કાર સૂત્ર ઉભયાતીત છે. તેથી આ સંક્ષેપ પણ નથી અને વિસ્તાર પણ નથી. કેમકે જો આ સંક્ષેપ હોત તો તેમાં બે ભેદે જ નમસ્કાર કહેવાત. સિદ્ધને અને સાધુને. કઈ રીતે ? સિદ્ધ શબ્દથી અરહંતાદિ પરિનિવૃત્ત છે, માટે ફક્ત સંસારીનું જ સાધુ શાદથી ગ્રહણ થાય છે. - X - X - તેથી સિદ્ધ અને સાધુના નમસ્કારથી બાકીનાનો નમસ્કાર થઈ જ જાય છે.
જો આનો વિસ્તાર કરીએ તો, તે પણ અસુંદર થશે. કેમકે વિસ્તાર કરવાથી અનેક ભેદ પ્રાપ્ત થાય છે. તે જ રીતે – પ્રહષભ, અજિત, સંભવ આદિ ચોવીશ
રહેતોને નમસ્કાર, સિદ્ધનો વિસ્તાર કરતા - અનંતર સિદ્ધોને, પરંપર સિદ્ધોને, પ્રથમ સમય સિદ્ધોને ઈત્યાદિ અનંતનો વિસ્તાર થાય.
આ રીતે બંને પક્ષને સ્વીકારતા પંચ પ્રકારો યોજી શકાય નહીં.
આ રીતે આક્ષેપદ્વાર કહ્યું. હવે પ્રસિદ્ધિદ્વારનો વયવાર્થ કહે છે - તેમાં સંaોપ'ની યોગ્રાયોગ્યતા વિચારી કહે છે - X - X - બે ભેદ લેતાં સર્વ ગુણ નમસ્કાર અસંભવ છે - X - તેથી કહે છે –
• નિયુક્તિ-૧૦૦૭ વિવેચન :
આ હેતુ આદિ નિયમથી સાધુઓ છે. કેમકે સાધુના ગુણોનો તેમાં સદ્ભાવ છે. સાધુઓનો હેતુ આદિમાં ભજના છે, કેમકે તે બધાં અહંતુ આદિ નથી. કેટલાંક