Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 24
________________ ૧/ર નિ - ૧૦૧૮ (15) (PROOF-1) પ્રમાણથી, તેના બળથી થાય છે. તેથી કહે છે - વ્યવહાર નયથી સમયાદિ કાલ અપેક્ષાથી કાલકરણ છે - X - X - બવ, બાલવ, કોલવ, સ્ટીવિલોયન, ગર, વણિજ, વિટી આ સાત કરણ ચલ વર્તે છે. બીજા-શકુનિ, ચતુષ્પદ, નાગ અને કિંતુષ્ણ એ સ્થિર કરણો છે. કૃષ્ણ ચૌદશની બે શકુનિ, બાકીના ત્રણ કરણ ક્રમશઃ હોય છે. અહીં ભાવના આ પ્રમાણે છે - કૃષ્ણ ચૌદશની રાત્રે શકુનિ કરણ હોય, બાકીના ત્રણ ચતુષ્પદ આદિ કરણ અમાસના દિવસે અને રણે હોય. પછી એકમના દિવસે કહ્યું. પછી શુદ્ધ એકમની રાત્રિમાં બવ આદિ હોય ચે. આ કરણને જાણવા માટે પક્ષની તિથિને બે વડે ગુણી જો શુક્લ પક્ષ હોય તો બે રૂપ ઓછી કરવી, પછી સાત વડે ભાગતા જે આવે તે દિવસ સંબંધી કરણ થાય છે, તેને જ એકરૂપ અધિક કરતાં રાત્રિનું કરણ આવે છે. અહીં આવી ભાવના છે - અધિકૃત દિવસના કરણ જ્ઞાનાર્થે પક્ષની તિથિને બે વડે ગુણતા જેમકે શુક્લ ચોથને બે વડે ગુણતા આઠ આવે. શુક્લપક્ષને બે વડે હીન કરતાં છ વધે. તેને સાત વડે ભાંગતા દૈવસિક કરણ આવે છે. અહીં ભાગ થતો નથી તેથી છ જ રહ્યા. તેથી બવ આદિ કમથી ચાર પ્રહરવાળા કરણ ભોગવી ચોથને દિવસે વણિજૂ કરણ થાય છે. તે પ્રમાણે સમિમાં એક વધતા વિષ્ટિ કરણ થાય. જો કૃષ્ણપક્ષમાં બે સંખ્યા ન ઘટાડાય. એ પ્રમાણે બધે ભાવના કરવી. કહ્યું છે કે – કૃષ્ણપક્ષની રાત્રે ત્રીજ અને દશમે તથા દિવસના સાતમે અને ચૌદશે વિષ્ટિ. તે શુક્લપક્ષના ચોથ અને એકમની રાત્રે અને દિવસે આઠમે અને પૂનમે હોય. તથા શુક્લપક્ષની એકમે રણે, પાંચમે દિવસે, આઠમે રમે, બારસના દિવસે અને પૂનમે રાત્રે બવ કરણ હોય છે. કૃષ્ણ પક્ષની ચોથે દિવસે અને સાતમે સગિના અને ૧૧ના દિવસે બવ કરણ હોય. કાળ કરણ કહ્યું. હવે ભાવકરણ કહે છે. તેમાં ભાવ એટલે પર્યાય. તે જીવ અને અજીવ ઉપાધિના ભેદથી બે ભેદે છે. કરણ પણ સામાન્યથી બે ભેદે હોય છે. તેથી કહે છે - • નિયુક્તિ-૧૦૧૯-વિવેચન : ભાવમાં જીવ શાને રાજીવ કરણ છે, તેમાં અજીવકરણ વણદિનો ફેરફાર છે. જીવકરણ બે ભેદે - શ્રુતકરણ અને નોડ્યુતકરણ. - * - અહીં અા વક્તવ્યત્વથી અજીવ ભાવકરણ પહેલાં કહે છે, - X - X - વર્ણ આદિ - જે બીજાના પ્રયોગ વિના વાદળા વગેરેના જુદા જુદા રંગો થાય છે, અહીં આદિ શબ્દથી ગંધ આદિ લેવા. [શંકા. આને પહેલાં દ્રવ્ય વિશ્રસાકરણ કહેલ જ છે. તો અહીં ભાવ કરણ કેમ કહો છો ? અહીં ભાવનો અધિકાર હોવાથી પાયિની પ્રધાનતાને આશ્રીને એમ કહેલ છે. દ્રવ્યવિશ્રામાં દ્રવ્યની પ્રધાનતા છે. જીવકરણ બે પ્રકારે છે – શ્રુતકરણ અને નોડ્યુતકરણ. શ્રુતના જીવ ભાવથી શ્રુતભાવકરણ, નોડ્યુતભાવકરણ તે ગુણ કરણાદિ છે. હવે જીવ ભાવકરણનો અધિકાર છે. તેને જ યથોદિષ્ટ તે પ્રમાણે જ ભેદથી પ્રતિપાદિત કરવા કહે છે. • નિયુક્તિ-૧૦૨૦-વિવેચન :મૃત બે પ્રકારે - બદ્ધ અને ચાબદ્ધ. બાર અંગમાં નિર્દેશ કa તે બદ્ધ અને ૩૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ તેનાથી વિપરીત તે અબદ્ધ. બદ્ધ પણ નિશીથ અને અનિશીથ એમ બે પ્રકારે છે. ગાથામાં 'તુ' શબ્દ લૌકિક અને લોકોત્તર ભેદથી છે. તેમાં તેમાં પધ, ગધ બંધનથી બદ્ધ શાખપદેશવત્ છે. તેથી કહ્યું - બદ્ધ એટલે દ્વાદશાંગ, આચારાદિ ગણિપિટક નિર્દિષ્ટ, તું શબ્દ વિશેષણાર્યવથી આ લોકોત્તર છે. લૌકિક તે ભારત સાદિ જાણવા. તેનાથી વિપરીત તે અબદ્ધ છે. બદ્ધકૃતને નિશીથ અને નિશીથ બે ભેદ છે. તેમાં રહસ્યપાઠ અને રહસ્ય ઉપદેશથી જે પ્રચ્છન્ન છે, તે નિશીથ કહેવાય છે. પ્રગટ પાઠકે પ્રગટ ઉપદેશવથી છે તે અનિશીથ કહેવાય છે. હવે નિશીથ અને અનિશીથના જ સ્વરૂપને પ્રતિપાદન કરે છે. • નિર્યુક્તિ-૧૦૨૧-વિવેચન : ભૂત, અપરિણત, વિગત ઈત્યાદિ વિશેનું જેમાં હોય તે નિશીથ નથી, ગુપ્તા અર્થવાળું જે હોય તે નિશીથ, જેમકે નિશીથ અધ્યયન. પૂત - ઉતપન્ન, અપરિપત - નિત્ય, વિજત - વિનષ્ટ. અહીં એવું કહેવા માંગે છે • ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ધુવ છે. આના વડે શ૦૬ કરણ ઉક્તિ કહી. એ જ ભૂતાદિ શબદકરણ - નિશીથ થતું નથી કેમકે પ્રકાશપાઠ અને પ્રકાશ ઉપદેશત્વથી કહ્યું. નિશીથ તે રહસ્યપાઠ કે રહસ્ય ઉપદેશથી નિશીથ નામે અધ્યયન છે અથવા નિશીયને ગુપ્તાઈ કહે છે. જેમકે - • નિર્યુક્તિ-૧૦૨૨-વિવેચન : અગ્રાયણીય પૂર્વમાં પાઠ છે કે જેમ – જ્યાં એક હીપાયન હણાય ત્યાં ૧૦૦, જ્યાં ૧૦૦ હણાય ત્યાં ૧ હણાય. જ્યાં ૧ ખાય ત્યાં ૧૦૦ ખાય અને જ્યાં ૧૦૦ ખાય ત્યાં ૧-ખાય. - આની પરંપરાના અભાવે વ્યાખ્યા કરી નથી, એટલે આ ગુપ્ત અર્થવાળું છે. કેમકે આનું તાત્પર્ય સ્પષ્ટ નથી. • નિર્યુક્તિ-૧૦૨૩-વિવેચન : એ પ્રમાણે પહેલાં કહેલ શ્રુત તે બદ્ધ, અબદ્ધના ૫૦૦ આદેશ છે. જેમ એક મરુદેવી માતા અત્યંત સ્થાવરથી સિદ્ધ થયા. એ પ્રકારે વિદ્ધિ તે લોકોત્તર, લૌકિકમાં અહીં અરણ્યકાદિ જાણવા. વિદ્ધ ની પ૦૦ આદેશ છે. જેમ એક • તે સમયમાં બીજા મરદેવી એટલે કે પ્રકષભદેવની માતા, વનસ્પતિકાયથી ઉદ્વર્તીને સિદ્ધ-નિષ્ઠિતાર્થ થયા. ઉપલક્ષણથી બીજા પણ આદેશ છે. જેમ સ્વયંભૂરમણ સમુદ્રના માછલા અને કમલપત્રો વલવજી બધાં આકારના સંભવે છે. rajsaheb Adhayan-33\Book33A E:\Ma - અહીં વૃદ્ધ સંપ્રદાય એવો છે કે – આહંતુ પ્રવચનમાં ૫૦૦ આદેશ જે અનિબદ્ધ છે, તેમાં એક મરદેવાનો પાઠ અંગમાં નથી, ઉપાંગમાં પણ નથી. જેમકે અત્યંત સ્થાવર થઈ અનાદિ વનસ્પતિથી સિદ્ધ થયા. બીજું સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્યોનું સંસ્થાના સવકારે હોય ત્યાદિ. ત્રીજું વિષ્ણુકુમાર મુનિએ સાધિક એક લાખ યોજનનું વૈક્રિય શરીર બનાવ્યું. ચોથું કુરટ અને ઉત્કરટ બંને ઉપાધ્યાય હતા. કુણાલા નગરીને વરસાદ વડે ભીંજવીને જળબંબાકાર બનાવી દીધી તે આ પ્રમાણે કુણાવામાંથી કુરુટ અને ઉત્કટને નગરજનોએ કાઢી મૂક્યા. રોષથી કુટે કહ્યું - હે દેવા કુણાલામાં વરસ. ઉત્કર્ટે કહ્યું - પંદર દિવસ સુધી. ફરી કર્ટે કહ્યું

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104