Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અધ્ય૩, નિ - ૧૧૩૩
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(f)
(PROOF-1)
આકસ્મિક કર્મ સંભવથી મોક્ષાદિનો અભાવ છે. આમ શિષ્યો કહેતા આચાર્ય કહે છે -
• નિયુક્તિ-૧૧૩૪-વિવેચન :
આ અનુમત છે. પ્રતિમામાં જે નિરવધકિયા અભાવ છે, તો પણ પુન્ય લક્ષણ ફળ વિધમાન છે. કેમકે ત્યાં મનોવિશુદ્ધિ છે. સ્વગત મનોવિશુદ્ધિ જ નમસ્કાર કતને પુન્યનું કારણ છે. નમસ્કરણીય વસ્તુગત કિયા પુન્યનું કારણ નથી. કેમકે આત્માંતરમાં ફળનો અભાવ છે. જો એમ છે તો પ્રતિમા વડે જ કેમ ? પ્રતિમાં તેને મનોવિશુદ્ધિનું નિમિત્ત છે. તેના દ્વારથી તેની સંભૂમિ દશવિ છે માટે કહે ચે. એ પ્રમાણે વેશ પણ પ્રતિમાની જેમ મનોવિશુદ્ધિનું કારણ થાય જ છે – ઉત્તર આપે છે.
નિયુક્તિ-૧૧૩૫-વિવેચન :
જો કે પ્રતિમાની જેમ મુનિના પ્રતાદિ ગુણના અધ્યવસાયમાં કારણ દ્રવ્ય લિંગ છે, તો પણ પ્રતિમા સાથે વૈધર્મ છે. કેમકે વંશમાં સાવધ કર્મ અને નિરવધ કર્મ બંને હોય છે. તેમાં નિરવધ કર્મયુક્ત જ જે મુનિગુણ અધ્યવસાય, તે સમ્યક્ છે, તે જ પુસફળ છે, પરંતુ જે સાવધકર્મ યુક્તમાં પણ મુનિગુમ અધ્યવસાય છે, તે વિષયતિ છે. તેનું ફળ કલેશ છે, કેમકે તે વિષયસરૂપ છે. પણ પ્રતિમા તો ચેષ્ટા રહિત હોવાથી, તેમાં આ બંને કર્મ હોતા નથી. તેથી તેમાં જિનગુણ વિષયક કલેશ ફળના વિપર્યાસ અધ્યવસાયનો અભાવ છે. કેમકે તે સાવધકર્મ હિત છે. તેથી શંકા કરે છે - નિરવધકર્મ રહિતપણાથી સમ્યફ અધ્યવસાય હોય તો પણ પુજે ફળનો અભાવ જ થશેને ? : ના, તેના તીર્થકરગુણના આરોપણમાં પ્રવૃત્તિનો અભાવ નથી. તેથી કહે છે -
• નિયુક્તિ-૧૧૩૬-વિવેચન :
નિયમથી અવચપણે તીર્થકરોમાં જ જ્ઞાનાદિ છે, પ્રતિમામાં નથી. પ્રતિમા જોઈને તેમાં અધ્યારોપણ કરી, જે ચિત્તમાં સ્થાપે છે, પછી નમસ્કાર કરે છે. તેથી તેને જિનગુણના અધ્યવસાયથી પુન્યફળ થાય, કેમકે સાવધકમરહિતપણે છે, તેમાં મel નિરવધકમના અભાવથી જ વિપયસિ અધ્યવસાય ન થાય. સાવધ કમોષિત વસ્તુ વિષયત્વ પણ નથી, બંનેથી હિત છે. માત્ર આકારની તુલ્યતાથી કેટલાંક ગુણ યુક્તના અધ્યારોપણથી યુક્તિયુક્ત છે.
અવિધમાન ગુણો વડે જ પાર્થસ્થાદિને તું જાણીને, તેને કઈ રીતે મનમાં ગુણવાનપણું કરીને નમસ્કાર કરીશ. કદાચ બીજા સાધુ સંબંધી તેમાં અધ્યારોપણ કરીને મનમાં ધારીને નમસ્કાર કરવો પણ ન થઈ શકે, કેમકે તેઓમાં સાવધકમ યુક્તતા હોવાથી અધ્યારોપ વિષય લક્ષણ રહિતતા છે. અવિષયમાં અધ્યારોપણ કરીને નમસ્કાર કરવાના દોષ દર્શાવતા કહે છે –
• નિયુક્તિ-૧૧૩૩-વિવેચન :
જેમ વિડંબક - ભાંડાદિ કૃત વેશને જાણનારને નમસ્કાર કરતા પ્રવચનહીલનાદિ રૂપ દોષ થાય છે, તેમ આ પ્રવયનોપઘાત નિરપેક્ષ પાશ્વસ્થાદિ છે, તેમ જાણીને પણ જો નમસ્કારાદિ કરવામાં આવે તો આજ્ઞા વિરાધનાદિ લક્ષણ આ અવભાવિ દોષ છે.
એ પ્રમાણે વેશ મગથી કારણ સાવધકિયાને જાણીને નમસ્કાર ન કરવો તેમ જણાવ્યું. ભાવલિંગ પણ દ્રવ્યલિંગરહિતને આ પ્રમાણે જ જાણવું. ભાવલિંગ અંતર્ગતુ દ્રવ્યલિંગને નમસ્કાર કરાય છે, કેમકે તે જ અભિલખિત અર્ચના કિયા પ્રસાધકત્વથી 1િ3/6]
rajsaheb\Adhayan-33\Book33AL.
છે. તે કહે છે –
• નિયુક્તિ-૧૧૩૮-વિવેચન :
અહીં રૂપ અને ટંકની ચતુર્ભાગી કહે છે - (૧) રૂપ અશુદ્ધ, ટંક વિષમાહતાક્ષર (૨) રૂપ અશુદ્ધ, ટૂંક સમાહતાક્ષર, (3) રૂપ શુદ્ધ, ટંક વિષમતાક્ષર, (૪) રૂપ શુદ્ધ, ટંક સમાહતાક્ષર. અહીં રૂ૫ સમાન ભાવલિંગ અને ટૂંક સમાન દ્રવ્યલિંગ જાણવું. અહીં પહેલા ભંગ સમાન ચરકાદિને જાણવા કેમકે ઉભય લિંગ અશુદ્ધ છે. બીજા ભંગતુલ્ય પાર્થસ્થ આદિ જાણવા, કેમકે ભાવલિંગ અશુદ્ધ છે. બીજ ભંગતુલ્ય પ્રત્યેક બુદ્ધો જાણવા કેમકે અંતમુહર્ત માત્ર કાલ ગૃહીત દ્રવ્યલિંગી છે. ચોથા ભંગ સમાન શીલવાન સાધુઓ જાણવા જેમાં ગચ્છમાં રહેલ કે ગચ્છ બહારના જિનકલ્પિકાદિનો સમાવેશ થાય છે. • x - x -
અહીં પ્રથમ ત્રણ ભંગમાં દશવિલા પુરુષો પરલોકાર્યા છે, તેથી તેઓ નમસ્કરણીય નથી. છેલ્લા બંગમાં કહ્યા તેવા સાધુ જ નમસ્કરણીય છે, તેવી ભાવના છે. અહીં રૂપ * શુદ્ધાશુદ્ધ ભેદે છે. ટેક્ષ • વિપર્યયપણે નિવિષ્ટ અક્ષર રૂપ છે. રૂપક પણ અસાંવ્યવહારિક છે. બંને પણ શુદ્ધ • રૂપ અને સમાહત અક્ષર ટંક હોય તો રૂપક છેકપણાને પામે છે, રૂપકના દૃષ્ટાંતમાં દાષ્ટાંતિક યોજના દર્શાવતા કહે છે -
• નિયુક્તિ-૧૧૩૯-વિવેચન :
રૂપ-પ્રત્યેકબુદ્ધ છે, આના દ્વારા બીજો ભંગ જણાવ્યો. ટંક - જે વેશધારી શ્રમણો, આના દ્વારા બીજો ભંગ કહ્યો. આના વડે અશુદ્ધ-શુદ્ધ ઉભયાત્મકનો પહેલો, છેલ્લા બે ભંગ છે. તેમાં દ્રવ્ય અને ભાવના છેક [નિપુણ] શ્રમણના સમાયોગમાં દ્રવ્ય ચાને ભાવલિંગનો સંયોગ તે શોભન સાધુ છે. આ પ્રમાણે વૈડૂર્ય દ્વાર કહ્યું.
ધે જ્ઞાનદ્વાર કહે છે - અહીં કોઈ જ્ઞાનને જ મુખ્યપણે મોક્ષના બીજરૂપે ઈછે. છે. કેમકે આગમમાં પણ કહ્યું છે કે - અજ્ઞાની જે કર્મ ઘણાં કરોડ વર્ષે ખપાવે છે, તે ત્રણગુપ્તિથી ગુપ્ત જ્ઞાની શ્વાસોચ્છવાસ માત્રમાં ખપાવે છે. તથા જેમ દોર સહિતની સોય કચરામાં પડેલી હોવા છતાં નાશ પામતી નથી, તેમ સુત્રયુક્ત જીવો સંસારમાં રહા છતાં નાશ પામતા નથી. તથા જ્ઞાનને ભણે, જ્ઞાનને ગણે, જ્ઞાન વડે જે કૃત્યોને કરે છે, જ્ઞાનમાં સ્થિત જ્ઞાની ભવસંસાર સમુદ્રને તરે છે. તેથી જ્ઞાન જ મોક્ષ પ્રાપ્તિનું પ્રધાન કારણ છે. તેથી જ્ઞાનીને જ વંદન કરવું.
ચાસ્ત્રિ એ ભાવે વર્તે છે, તેમ કહ્યું માટે જણાવે છે – • નિયુક્તિ-૧૧૪૦-વિવેચન :
આ વાત અનુમત છે કે ચાસ્ત્રિ એ ભાવલિંગનું ઉપલક્ષણાર્થ છે, વળી તે જ્ઞાનયુક્ત હોય તો નિષ્ઠાને પામે છે. તેથી તે જ્ઞાન વડે જ આસેવનીય છે. તેથી ચારિત્ર જ પ્રધાન છે, જ્ઞાનને નહીં, ભાવ પણ નહીં ભાવ જ ભાવલિંગ તર્ગતુ હોવાથી પ્રધાન છે તે ભાવના છે. જેને જ્ઞાન છે, તે જ્ઞાની. તે જ્ઞાનીને અમે પૂજીએ છીએ. બાહા કરણ સહિતને પણ અજ્ઞાની હોય તો ચાસ્ત્રિનો અભાવ જ કહ્યો છે...
• નિર્યુક્તિ-૧૧૪૧-વિવેચન :
તેથી પિંડવિશુદ્ધિ ચાદિ બાહ્ય કરણ મારે પ્રમાણ નથી, તૃતલક્ષણ ચાસ્ત્રિ પણ પ્રમાણ નથી, કેમકે તેના જ્ઞાનના અભાવે તેનો પણ અભાવ છે. તેથી મારે જ્ઞાન જ પ્રમાણ છે. તે હોય તો ચારિત્ર પણ હોય. જ્ઞાનમાં રહેલને જેથી તીર્થ છે કેમકે તે
E:\Mal