Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ આશ્રવધાર, અધ્યયન-૧ 257 કાયની હિંસા કરે છે. રાંધવું. રંધાવવું. અગ્નિ સળગાવવા. દીવો વગેરે કરવા, ઈત્યાદિ કારણે અગ્નિકાયની હિંસા કરે છે. ઝાટકવું, વીંજણો વીંજવો, બેપડો મોરપીચ્છ ફેરવવી. મુખે ઉચ્ચાર કરવો, તાલોટા વગાડવા સાગપત્ર ફરકાવવું, વસ્ત્ર આદિના વાયુ ઢોળવો ઈત્યાદિથી વાયુકાયની હિંસા કરે છે. ઘર, હથી યાર, અત્ર, શય્યા, આસન પાટિયું, સાંબેલું, ખાંડણીઓ, વીણા પટહ અતોધ વહાણસ વાહન, મંડપ, નાના પ્રકારનાં ભવન, તોરણ, કાષ્ટ-પાષાણનાં દહેરો, જાળી, અર્ધ ચંદ્રાકાર પગથીયા, બારસાખ ચંદ્રશાળા, વેદિકા, નીસરણી, હોડી, નગારી, ખુંટા, પરબ- આશ્રમ, સુગંધદાયક પદાર્થ પુષ્પમાળા, અંગવિલેપનના પદાર્થો, વસ્ત્રો, ધુસરું, હળ, પાત્ર, રથ, પાલખી, ગાડાં, યાન, ગઢના કોઠા, ગઠની અંદરનો માર્ગ, બારણાં, પોળ, આગળો, રહેંટ, શુળી, લાકડી, મુસંઢિ હથી યાર ઈત્યાદિ ઘણાં કારણોને માટે ઉપર જણાવ્યા તે તથા બીજાં સત્વવાળાં તથા સત્વ વિનાનાં વૃક્ષોના સમૂહ ઈત્યાદિ વનસ્પતિકાયની હિંસા અતિમૂઢ અને દારુણ મતિવાળા. ઓ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોકવડ, વેદને માટે, જીવિતને અર્થે, કામભોગને અર્થે, ધનને અર્થે અને ધર્મ નિમિત્તે કરે છે. વળી તેઓ સ્વવશ રહેલાને, પરવશરહેલાને પોતાને અર્થે પરઅર્થે ત્રણ પ્રાણી અને સ્થાવરએકેન્દ્રિયાદિકને હણે છે. તે મંદ બુદ્ધિવાળાઓ સ્વવશપણે તેમ પરવશપણે અને બે પ્રકારે હિંસા કરે છે. તેઓ પોતાને અર્થે. પરને અર્થે અને બેઉને અર્થે હિંસા કરે છે. તેઓ હાસ્યપૂર્વક, વૈરપૂર્વક અને રતિ ઉપજાવવા અર્થે, તેમજ એ ત્રણને અર્થે, હિંસા કરે છે. તેઓ ક્રોધ કરીને, લોભે કરીને અને અજ્ઞાનપણે કરીને તેમજ એ ત્રણે કરીને હિંસા કરે છે. ધનોપાર્જનને અર્થે. ધર્મ નિમિત્ત, કામ-ભોગને અર્થે તેમજ એ ત્રણેને અર્થે તેઓ હિંસા કરે છે. [૮]આ બધી હિંસા કોણ કરે? સુઅરનો શિકારી કરમચ્છીમાર પારધી વાગરો ચરી, બાંધવા ઉપાયો કરનાર ત્રાપા પર બેસીને જાળ નાંખનાર બાજ પક્ષી, લોહનાં સાધનો, ડાભના પાસલા, કુંડી, બકર વગેરે શિકારનાં સાધનો, અને પાપી સેવકોને પણ તે ચાંડાલો પોતાના હાથમાં રાખે છે. વનચરવ્યાધ મધ એકઠું કરનારા, બાળ હત્યારા, મૃગોના પોષક, સરોવર-દ્રવ-નદી-તળાવ-નાનું તળાવ વગેરેને ગાળનારા, તેને વિશેષ ઉંડા કરનારા, પ્રવાહને બાંધનારા, પાણીને વહેવડાવી નાંખનારા, કાળકૂટ જોર અને સામાન્ય વિષ આપી હિંસા કરનારા, ઘાસ તથા ખેતર વગડાને અગ્નિ લગાડી નિર્દયતાથી બાળનારા, અને દૂર કર્મ કરનાર, મ્લેચ્છ જાતિના લોકો : આ પ્લેચ્છ જાતિના લોકો ક્યા ક્યા દેશના વાસી છે? સકક, યવન, સંવર, બર્બશ, કાય. મુરડ, ઉડ, ભડગ દેશ ભિત્તિય, એકુણીક, કુલાક્ષ, ગોડ, સિંહલ, પારસ, કોંચ, અંધ, દ્રવિડ, ચિલ્લલ, પુલિંદ, આગેસ, ડોંબે, પોક્કણ, ગંધહારક, બહલીક, જલ, રોમ, મોસ, બકુશ, મલય, ચુંબક ચુલિક, કોંકણકે, મેદ, પલ્લવ, માળવ, મગર, આભાષિક અનક્ષ ચીન,હલાસિક,ખસ, ખાસિક નેધર, મહારાષ્ટ્ર, મુષ્ટિક, આરબ, ડોવિલક, કુહણ, કેય, હુણ, રુકડ, મગ અને ચિલાક એ દેશના વાસીઓ પાપમતિ છે. તેઓ જલચર, સ્થળચર, નખવાળાં પ્રાણીઓ, સંપદિ, ખેચર સાળસા જેવા મુખવાળાં પંખીઓ, સંજ્ઞા પ્રાણીઓ, અસંગ્લી પ્રાણીઓ, પતિ જીવો વગેરેની અશુભ લેશ્યા અને દુષ્ટ પરિણામે કરીને હિંસા કરે છે. એ પ્રાણીહિંસા કરનારાઓ હિંસા કરવાને સામા ચાલીને જાય છે. તેઓ પાપ ઉપર અચિવાળા, પ્રાણવધ કરીને આનંદ માનનારા જીવહિંસાને અનુષ્ઠાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53