Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ સંવર, અધ્યયન-૯ 287 વસતો પોતાના આત્માને ભાવિત કરી મુનિ બ્રહ્મચર્યમાં દૃઢ વ્રતવાળા બને જિતેન્દ્રિય બની બ્રહ્મચર્ય સમાધિ સ્થાનથી યુક્ત બને. બીજી સ્ત્રી કથા વિરતિ નામક ભાવના સ્ત્રીઓ મધ્યે વિચિત્ર કે વિલાસયુક્ત કથા ન કરે, લૌકિક શૃંગાર પ્રધાન-મોહ જનની-નવદંપતિના વિવાહ આદિ સંબંધિત સ્ત્રીના સુભગ-દુર્ભગપણાની, સ્ત્રીઓની 64 કળાની, દેશ-જાતિ-કુળ-રૂપ-પરિજન આદિ સંબંધિ. આદિ કથા ન કરે, એ પ્રમાણે સ્ત્રી કથા વિરતિરૂપે સમિતિના યોગથી ભાવિત જીવ બહ્મચર્યમાં આસક્ત બની પોતાના આત્માને વિરતિ ધર્મમાં વૃઢ કરે. ત્રીજી સ્ત્રી રૂપનું નિરીક્ષણ ન કરવાની ભાવના સ્ત્રીઓના હાસ્ય, બોલ, હાવ ભાવ, ચિંતવન, ચાલ, ઈશારા, કીડા આદિનું નિરીક્ષણ ન કરે. એજ રીતે તેમના નૃત્ય ગાન-વીણાવાદન-શરીર બંધારણ-વર્ણ અલંકાર-કામોત્તેજક ગુપ્ત અંગો કે તેવી પાપ કર્મ રૂપ અન્ય વાતોનું કે જે વાત તપ-સંયમ-બ્રહ્મચર્યની ઘાતક હોય તેને ચક્ષુવડે-રાગ વડે નિરીક્ષણ ન કરે. મન-વચનથી પ્રાર્થના ન કરે, એ પ્રમાણે સ્ત્રી-રૂપ વિરતિ સમિતિના યોગથી ભાવિત આત્મા જિતેન્દ્રિય અને બ્રહ્મચર્ય ગુપ્ત બને છે. ચોથી પૂર્વરત ક્રીડાનું સ્મરણ ન કરવું-ભાવના. ગૃહસ્થાવસ્થામાં પૂર્વાવસ્થામાં કરેલ કામ ક્રીડાનું સ્મરણ કરવું નહીં, કન્યાદાન, વિદાય કે ચૂડાકર્મ પ્રસંગે, મદન ત્રયો દશી દિવસે યજ્ઞ કે ઉત્સવોમાં સુસજ્જિત સ્ત્રીના હાવ-ભાવ-ચેષ્ટા-વિલાસ અનુકૂળ રાગાદિ ન જુએ. પૂર્વે ભોગવેલ ભોગો, જેનાથી મન લલચાય તેવા ધૂપ-ગંધ આદિ પદા થો, વિલાસ વર્ધક વાદ્ય-ગીત આદિ તથા એવા બીજા પ્રકારના સંયમ ઘાતી કાય જુએ નહીં યાદ કરે નહીં એ રીતે પૂર્વ ક્રિીડાઓમાં વિરતિ રૂપ ભાવથી સંયમિત થયેલો આત્મા. - મૈથુનક્રિયાથી વિરક્ત બને છે અને જીતેન્દ્રિય બની બ્રહ્મચર્ય સમાધિથી યુક્ત બને છે. પાંચમી પ્રણીત ભોજન ત્યાગ-ભાવના-સાધુ સ્નિગ્ધ રસયુક્ત આહાર ન કરે. સંયમી સુસાધુ દુધ-દહીં, ઘી આદિ નવે વિગઈનો ત્યાગ કરે. દર્પકારક ભોજન ન કરે, વારંવાર ન ખાય, દાળ-શાક યુક્ત ભોજન વધુ પ્રમાણમાં ન કરે, અપરિ મિત ભોજન ન કરે. સંયમ યાત્રા નિવાહ માટે જ ભોજન કરે. જેથી ધાતુના વિશેષ સંગ્રહને કારણે ધર્મમાં આવતી. માનસિક અસ્થિરતા અટકે. પ્રણિતાહાર વિરતિ રૂપ સમિતિના યોગથી ભાવિક થયેલ આત્મા મૈથુનથી વિરક્ત થઈ યાવતુ બ્રહ્મચર્ય સમાધિને પામે છે. આ પ્રકારે ચોથું બ્રહ્મચર્ય નામક સંવર દ્વારનું સારી રીતે પાલન કરવાથી સુપ્રાિહિત થાય છે, આ પાંચ ભાવના વડે સુરક્ષિત મન વચન કાયાથી બ્રહ્મચર્ય રૂપ યોગ, ચિત્ત ય નવા કર્મોનો અના સ્રવ થાય છે... યાવતુ....સર્વ મંગલ થાય છે. | અધ્યયન-સંવરહારઃ૪ની મુનિદીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ ! (અધ્યયન 1 સંવરદ્વાર 5) જિહે જંબૂ ! જે પરિગ્રહમાં આસક્ત ચિત્તવાળા હોય તેવા શ્રમણ આરંભ પરિગ્રહથી વિરત અને ક્રોધ-માન-માયા-લોભથી વિરત હોય છે. એક અસંયમ, બે રાગ-દ્વેષ, ત્રણ દંડ-ત્રણ ગૌરવ-ત્રણ ગુપ્રિ-ત્રણ વિરાધના, ચાર કષાય-ચાર ધ્યાન- ચાર સંજ્ઞા, ચાર વિકથા, પાંચ ક્રિયા- સમિતિ- મહાવ્રત, છ જીવનકાય. વેશ્યા, સાત ભય, આઠમ, નવ બ્રહ્મચર્ય ગુમિ, દશવિધ-શ્રમણધર્મ, શ્રાવક પ્રતિભા, ભિક્ષુ પ્રતિમાં, --- - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53