Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી કર્મપ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૪૫
एता मूलप्रकृतय, उत्तराश्चाख्याताः प्रदेशान क्षेत्रकालो च, भावं चातः उत्तरं शृणु ॥१६॥
અર્થ–આ મૂલ પ્રકૃતિ અને ઉત્તર પ્રવૃતિઓ કહેલ છે. હવે મારા વડે કહેવાતા કર્મના પરમાણુ-પરિમાણને, ક્ષેત્રકાલને અને ચતુ સ્થાનિકાદિ રસ રૂપ અનુભાગ રૂપે ભાવને સાંભળે! (૧૬-૧૩૪૭)
सम्वेसिं चेव कम्माणं, पणसग्गमणेतगं । गंठिअसत्ताईअं, अंतो सिद्धाण आहिरं ॥१७॥ सर्वेषां चैव कर्मणां, प्रदेशाग्रमनन्तकम् ग्रन्थिकसत्त्वातीतमन्तसिद्धानामाख्यातम् ॥१७॥
અર્થ–સર્વ કર્મોના પરમાણુઓનું પરિમાણ પણ અનંત જ છે. તે અનંત પરમાણુઓ, ગ્રંથિક સત્ત્વ એટલે અભથી અનંતગુણા અને સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગના કર્મના પરમાણુઓ સમજવા. અર્થાત અભથી અનંતગુણ, પરંતુ સિદ્ધોની સંખ્યાના અનંતમા ભાગના કર્મવર્ગણના સ્કંધે પ્રતિ સમય જીવ ગ્રહણ કરે છે. અહીં એક જીવની એક સમયગ્રાહ્યકર્મ પરમાણુઓની અપેક્ષાએ સમજવું. નહિતર સર્વ જે કરતાં પણ સર્વ કર્મપરમાણુઓની અનંતાનંત ગુણતા છે, તે આ કેવી રીતે ઘટે? (૧૭–૧૩૪૮)
सधजीवाण कम्मं तु, संगहे छद्दिसागयं । सव्वेमुवि पएसेसु, सव्वं सव्वेण बद्धगं ॥१८॥ सर्वजीवानां कर्म तु, संग्रहे षड्दिशागतम् सर्वैरपि प्रदेशैः, सर्व सर्वेण बद्धकम्
૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org