Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૯
૧૨૧ |
|४ जे भिक्खू रायंतेपुरियं वएज्जा- आउसो रायंतेपुरिए ! णो खलु अम्हं कप्पइ रायतेपुरं णिक्खमित्तए वा पविसित्तए वा; इमं णं तुम पडिग्गह गहाय रायंतेपुराओ असणं वा पाणं वा खाइमं वा साइमं वा अभिहडं आहटु दलयाहि, जो तं एवं वयइ वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અંતઃપુર રક્ષકને(અથવા અંતઃપુર રક્ષિકાને) કહે કેહે આયુષ્યમાન્ અંતઃપુર રક્ષક! રાજાના અંતઃપુરમાં ગમનાગમન કરવું (પ્રવેશ-નિર્ગમન) અમને કલ્પતું નથી, માટે તું આ પાત્ર લઈ અંતઃ પુરમાંથી અશનાદિ ચાર પ્રકારના આહારને લાવી આપ, જે આ પ્રમાણે કહે અથવા કહેનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खू णो वएज्जा रायंतेपुरिया वएज्जा- आउसंतो समणा ! णो खलु तुझं कप्पइ रायतेपुरं णिक्खमित्तए वा पविसित्तए वा आहरेयं पडिग्गह अहं रायंतेपुराओ असणं वा पाणं वा खाइमं वा साइमं वा अभिहडं आहटु दलयामि; जो तं एवं वयंतं [वयंति] पडिसुणइ, पडिसुणतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી રાજાના અંતઃપુર રક્ષકને કહે નહિ પરંતુ અંતઃપુર રક્ષક સ્વયં સાધુને કહે કે હે આયુષ્યમાન શ્રમણ ! તમને રાજાના અંતઃપુરમાં ગમનાગમન કરવું કલ્પતું નથી, તો મને પાત્ર આપો, હું અંતઃપુરમાંથી અશનાદિ ચાર પ્રકારના આહારને લાવી આપું, આ પ્રકારના વચન સાંભળી તેનો સ્વીકાર કરે કે સ્વીકાર કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અંતઃપુરમાં પ્રવેશ કે અંતઃપુરમાંથી આહાર મંગાવીને તે આહાર ગ્રહણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અંતઃપુરના પ્રકાર :- રાજાનું અંતઃપુર ત્રણ પ્રકારનું હોય છે–(૧) ગુuતે રં– પ્રવીનાનપુરમ્ | અપરિભોગ્યા- વૃદ્ધ રાણીઓને રહેવાનું સ્થાન. (૨) વતેસર - નવાન્તઃપુરમ્ | પરિભોગ્યા- યુવા રાણીઓને રહેવાનું સ્થાન. (૩) તેડર – વાન્તઃપુરમ્ | યૌવનને અપ્રાપ્ત કન્યાઓને (રાજકુમારીઓને) રહેવાનું સ્થાન.
આ ત્રણેના પુનઃ બે-બે પ્રકાર છે– (૧) સ્વસ્થાન–રાજમહેલગત સ્થાન અને (૨) પરસ્થાનઉદ્યાનગત સ્થાન. આ રીતે ૩ ૪ ૨ = પ્રકારના અંતઃપુરમાં આહારાદિ માટે સાધુને પ્રવેશ કરવાનો નિષેધ છે.
અંતઃપુરરક્ષક ગમનાગમન કરતાં ઇર્યાસમિતિનું ધ્યાન રાખે નહીં, તેથી છકાય જીવની વિરાધના થાય, તેઓ અપ્રતિલેખિત ભૂમિ પર પાત્રને રાખે, તેઓ એષણાદોષથી અજાણ હોવાથી અનેષણીય આહાર લાવીને આપે, વનસ્પતિ વગેરેથી સંઘટિત આહાર લાવી આપે તો સંયમ વિરાધના થાય. સાધુના રૂપમાં મોહિત બની વશીકરણાદિ ચૂર્ણ પ્રક્ષિપ્ત કરી આહાર આપે અથવા સાધુ પ્રત્યેના તેજોદ્વેષથી અભિમંત્રિત કે વિષયુક્ત આહાર આપે તો સંયમ વિરાધના અને આત્મવિરાધના થાય. આ પ્રકારે અનેક દોષોની સંભાવનાના કારણે સાધુ અંતઃપુર રક્ષક કે અંતઃપુર રક્ષિકા પાસે આહાર મંગાવી ગ્રહણ ન કરે.
તેપુરિયા - અંતઃપુર રક્ષક કંચુકી પુરુષ અથવા અંતઃપુર રક્ષિકા દાસી. આ બંને અર્થ સુસંગત