Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૨૦
૨૯૭ |
पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउंचिए अपलिउंचियं, अपलिउंचिए पलिउंचियं, पलिउंचिए अपलिउंचियं, पलिउंचिए पलिउचियं । आलोएमाणस्स सव्वमेय सकयं साहणिय । जे एयाए पट्ठवणाए पट्ठविए णिव्वसमाणे पडिसेवेइ, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, અનેક વાર પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્તને યોગ્ય સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા રહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્ત રૂપ પરિહારતમાં સ્થાપિત કરીને તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પહેલા આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ.
૧. તેણે પહેલાં સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૨. પહેલા સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય, ૩. પાછળથી સેવન કરેલા દોષની પહેલાં આલોચના કરી હોય, ૪. પાછળથી સેવન કરેલા દોષની પાછળથી આલોચના કરી હોય. ૧. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૨. માયા રહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય, ૩. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા રહિત આલોચના કરી હોય, ૪. માયા સહિત આલોચના કરવાનો સંકલ્પ કરીને માયા સહિત આલોચના કરી હોય. આ રીતે (ઉપરોક્ત આઠ ભેગમાંથી કોઈપણ ભંગથી) આલોચના કરે, તો તેના સર્વ અપરાધના પ્રાયશ્ચિત્તને પહેલાં આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. પ્રાયશ્ચિત્તરૂપે પરિહારતપમાં સ્થાપિત થયા પછી તે અન્ય કોઈ દોષનું સેવન કરે, તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પહેલા આપેલા પ્રાયશ્ચિત્તમાં ભેળવી દેવું જોઈએ. |१८ जे भिक्खू बहुसो वि चाउम्मासियं वा बहुसो वि साइरेगचाउम्मासियं वा बहुसो वि पंचमासियं वा बहुसो वि साइरेगपंचमासियं वा एएसिं परिहारट्ठाणाणं अण्णयर परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, पलिउंचियं आलोएमाणे ठवणिज्ज ठवइत्ता करणिज्जं वेयावडियं । ठविए वि पडिसेवित्ता से वि कसिणे तत्थेव आरूहेयव्वे सिया ।
पुव्विं पडिसेवियं पुव्विं आलोइयं, पुव्विं पडिसेवियं पच्छा आलोइयं, पच्छा पडिसेवियं पुव्विं आलोइयं, पच्छा पडिसेवियं पच्छा आलोइयं । अपलिउचिए अपलिउचिय, अपलिउचिए पलिउचिय, पलिउचिए अपलिउचियं, पलिउंचिए पलिउंचियं । आलोएमाणस्स सव्वमेयं सकयं साहणिय जे एयाए पट्टवणाए पट्ठविए णिव्विसमाणे पडिसेवेइ, से वि कसिणे तत्थेव आरुहेयव्वे सिया । ભાવાર્થ :- જે સાધુ અનેકવાર ચાર માસ કે સાધિક ચાર માસ, અનેકવાર પાંચ માસ કે સાધિક પાંચ માસના પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરીને માયા સહિત આલોચના કરે, તો તેને (સેવન કરેલા પ્રાયશ્ચિત્ત સ્થાન અનુસાર) પ્રાયશ્ચિત્તરૂ૫ પરિહારતપમાં સ્થાપિત કરીને યોગ્ય