Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાછો ગયો. અહીંયાં યાવતુ શબ્દથી ઔપપાતિક સૂત્રમાં કહેલ સઘળું આ વિષયનું વર્ણન અહીંયાં સમજી લેવું. અર્થાત્ ધર્મોપદેશને સારી રીતે સાંભળીને પરિષદની સાથે રાજા પોતાના મહેલમાં ગયે સૂગ ૧
ટીકાર્થ –(તેનું વાઢે તેળે સમuf) અહીંયા સપ્તમીના અર્થમાં તૃતીયા વિભક્તિ થયેલ છે એટલે કે એ કાળે અને એ સમયે અર્થાત્ ભગવાને કહેલ ધર્મોપદેશને સાંભળ્યા પછી પરિષદની સાથે જીતશત્રુ રાજાને ગયા પછીના સમયમાં (૪wારણ માવો મહાવીરક્ષ) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના (ને બંતેવાસી રંગૂરૂં નામે બળારે) અર્થાત પ્રથમ યાને મુખ્ય શિષ્ય એવા કે જેનું નામ ઇન્દ્રભૂતિ હતું તથા (યમનોત્તેજી) ગૌતમ ગોત્રમાં જેમનો જન્મ હિત તેવા કદાચ તેઓ લુલા, લંગડા, કુબડા, તથા ન્યૂનાધિક દેહ પરિમાણવાળા પણ હોઈ શકે તે સંદેડની નિવૃત્તિ માટે કહે છે કે (gણે) તેઓની ઉંચાઈ સાત હાથ જેટલી હતી અર્થાત્ વિશિષ્ટ પુરૂષેચિત તેમની ઉંચાઈ હતી. ઉંચાઈ. વાળા હોવા છતાં કદાચ શારીરિક ઉચિત લક્ષણોથી રહિત પણ હેઈ શકે આ સંદેહના પહાર નિમિત્તે કહે છે. (સમરાંતકંટાળgિ) સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવેલ સઘળા શારીરિક લક્ષણોથી તેઓ યુક્ત હતા. જેને અસય એટલે કે ખૂણા સમ નામ સરખા હોય અથવા ન્યૂનાધિક ચારે અસો જ્યાં ન હોય તે સમચતુર કહેવાય છે.
અસયનું લક્ષણ આ રીતે છે–પર્યકાસનથી ગોઠણની અંદર ભાગ છે તે પહેલા પ્રકારનું અસ્ત્ર છે, આસનથી લલાટના ઉપરને ભાગ તે બીજા પ્રકારનું અસ છે. દક્ષિણ ખભાથી અર્થાત્ જમણા ખભાથી જમણાજાનુ પર્યતનું અંતર ત્રીજા પ્રકારનું અન્ન છે. તથા ડાબા ખભાથી દક્ષિણ જાનુ પર્યન્તનું અંતર ચેથા પ્રકારનું અંતર છે. અથવા વિસ્તાર અને ઉંચાઈ સમ હોવાથી સમચતુરસ કહેવાય છે. આવા પ્રકારનું જે સંસ્થાન એટલે કે આકૃતિ કે અવયવની રચના વિશેષ તેનાથી જે સંસ્થિત હોય તે સમચતુરસ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧