________________
અધ્યાત્મસાર
(૧) જીવ સ્વકર્મનો કર્તા
1
છે જીવ અર્થાત્ આત્મા સ્વભાવથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે તે પોતાના સ્વરૂપનો કર્તા છે. પરંતુ જીવ પોતાની વિભાવ દશામાં અજ્ઞાનને કારણે કર્મનો કર્તા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયોને કારણે જીવ જ્ઞાનાવરણીય વગેરે પ્રકારનાં કર્મો બાંધે છે. જ્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષગતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મો બાંધવાની એની ક્રિયા નિરંતર ભવભવાંતરમાં ચાલતી જ રહે છે.
(૨) જીવ સ્વકર્મનો ભોક્તા છે – જીવ સ્વભાવથી પોતાનાં સ્વરૂપનો ભોક્તા છે. પરંતુ વિભાવ દશામાં અજ્ઞાનને લીધે બાંધેલાં કર્મનો તે ભોક્તા પણ છે. જ્યાં સુધી મોક્ષગતિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી જીવે બાંધેલાં કર્મો એણે ભોગવવાનાં જ રહે છે.
(૩) અરૂપ અથવા અરૂપી – આત્મા સ્વભાવે શુદ્ધ, નિરંજન, નિરાકાર, અશરીરી, અરૂપી છે. સર્વ કર્મથી મુક્ત થયેલો જીવ સિદ્ધશિલા પર બિરાજમાન થાય છે ત્યારે તે અરૂપી હોય છે અને અનંતકાળ પર્યંત તે પ્રમાણે અરૂપી રહે છે. જીવ સંસારમાં સ્વકર્મને લીધે, જડ દ્રવ્યના આવરણને લીધે શરીરધારી દેખાય છે, આકૃતિવાળો દેખાય છે. પરંતુ એ એની વિભાવદશા છે, અજ્ઞાનદશા છે. વસ્તુતઃ જીવ અર્થાત્ આત્મા સ્વસ્વભાવથી અરૂપી છે.
(૪) અવ્યય – અવ્યય એટલે જેનો વ્યય ન થાય તે અર્થાત્ અવિનાશી. જે નાશ પામે છે તે શરીર છે. આત્મા તો અજર, અમર છે. જીવ અનુત્પન્ન છે એટલે કે આત્મા અનાદિ છે. અમુક કાળે એની ઉત્પત્તિ થઈ એવું નથી. પરંતુ અનાદિ કાળથી કર્મના સંયોગને કારણે એના દેહની, જન્મ-મરણની ક્રિયા ચાલ્યા કરે છે. તે એક દેહ મૂકીને બીજો દેહ ધારણ કરે છે. પરંતુ રૂપી આત્મા જ્યારે સર્વ કર્મનો ક્ષય કરી શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે, સિદ્ધશિલા પર સ્થિત થાય છે ત્યારે તે અવ્યય, અરૂપી, અવિનાશી હોય છે.
(૫) ઉપયોગ-લક્ષણ – ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપ એટલે પાસે અને યોગ એટલે જોડાવું. એટલે જીવ જેની સાથે ગાઢ રીતે જોડાય તે ઉપયોગ. જીવ જ્ઞાન સાથે અને દર્શન સાથે ગાઢપણે જોડાયેલો રહેતો હોવાથી જીવ જ્ઞાન-ઉપયોગવાળો તથા દર્શનઉપયોગવાળો કહેવાય છે. જીવના સાકાર ઉપયોગને જ્ઞાનોપયોગ અને નિરાકાર ઉપયોગને દર્શનોપયોગ કહેવામાં આવે છે. સાકાર ઉપયોગ મતિજ્ઞાન વગેરેની દૃષ્ટિએ આઠ પ્રકારનો અને નિરાકાર ઉપયોગ ચક્ષુદર્શન વગેરેની દૃષ્ટિએ ચાર પ્રકારનો બતાવવામાં આવે છે. જ્ઞાનોપયોગને વિશેષોપયોગ અને દર્શનોપયોગને સામાન્યોપયોગ પણ કહેવામાં આવે છે.
આ શ્લોકમાં જીવનાં પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. જિનભદ્રગણિએ ‘ધ્યાનશતક'માં જીવનું અનાદિ, અનંત એવું કાળસ્થિતિનું લક્ષણ ગણાવ્યું છે તેનો ‘અવ્યય’ લક્ષણમાં સમાવેશ કરી શકાય. હવે ભવરૂપી સમુદ્રનું રૂપક વર્ણવવામાં આવે છે :
[૬૧૮] તમ્નનિત નન્મનરામરળવત્તરના ।
पूर्णं मोहमहावर्तं कामौर्वानलभीषणम् ॥४१॥
અનુવાદ : તે (ભવસમુદ્ર) કર્મથી ઉત્પન્ન થયેલો, જન્મ, જરા, મરણરૂપી જળથી ભરેલો, મોહના મોટા વમળ(આવર્ત)વાળો અને કામરૂપી વડવાનલથી ભીષણ બનેલો—
Jain Education International_2010_05
૩૬૦
For Private & Personal Use Only
www.jainelibrary.org