Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 529
________________ અધ્યાત્મસાર [૮૫૧] દહાજ્ઞાનમથી શાનામપનિષવ: | अध्यात्मशास्त्रमिच्छन्ति श्रोतुं वैराग्यकांक्षिणः ॥१७४॥ અનુવાદ : આ દઢ અજ્ઞાનમય શંકાને દૂર કરવા ઇચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા તેઓ અધ્યાત્મશાસ્ત્રનું શ્રવણ કરવા ઇચ્છે છે. વિશેષાર્થ : આગળના શ્લોકમાં કહ્યું કે “આત્મા વિશુદ્ધ છે. તે કર્મથી અબદ્ધ છે.– એવું નિશ્ચયનયથી માનવાવાળા સાધક મહાત્માઓને પણ બંધની શંકાને કારણે ભયકંપાદિ રહે છે. હવે જો તે તત્ત્વજ્ઞાનીઓ એમ જાણતા હોય કે આત્મા ક્યારેય બંધાતો નથી, તો પછી તેઓ વૈરાગ્યની આકાંક્ષાવાળા કેમ થાય છે અને અધ્યાત્મશાસ્ત્રનું અધ્યયન કરવાની શા માટે ઇચ્છા કરે છે ? આત્માને જો કર્મનો બંધ થતો હોય તો તે અટકાવવા માટે વૈરાગ્યની જરૂર રહે. વળી ‘હું વિશુદ્ધ આત્મા છું. હું કર્મનો કર્તા નથી કે ભોક્તા નથી. મારા આત્માને કોઈ કર્મબંધ હોઈ શકે નહિ– એવું માનવાવાળા તત્ત્વજ્ઞાનીઓને માટે પછી શાસ્ત્રશ્રવણ નિરર્થક ન નીવડે ? આના ઉત્તરરૂપે આ શ્લોકમાં કહેવાયું છે કે તાત્વિક રીતે જોતાં તો જીવ કર્મથી બંધાયેલો નથી. તે કર્મથી બંધાયેલો ન હોવાથી, કર્મના નિવારણ માટે જે વૈરાગ્યની જરૂર રહે છે તેની એને જરૂર રહેતી નથી. પરંતુ અનાદિકાળના દેહાધ્યાસથી ઉદ્ભવતા દઢ અજ્ઞાનને કારણે હું બંધાયેલો છું’ એવી શંકા સાધકોને પણ થાય છે. એટલે એ શંકાને દૂર કરવાની ઇચ્છાવાળા સાધકો પણ પોતાની શંકાને દૂર કરવાના ઉપાય તરીકે અને પોતાની ઉચ્ચ દશા ટકાવવા માટે વૈરાગ્યની આકાંક્ષા રાખે છે અને પોતાને વૈરાગ્ય ઊપજે અને ટકી રહે એટલા માટે અદ્યાત્મશાસ્ત્રનું શ્રવણ કરવા ઇચ્છે છે. એટલે શુદ્ધ નિશ્ચયનયમાં માનવાવાળા સાધક મહાત્માઓ પોતાની શંકાને દૂર કરવા માટે અધ્યાત્મશાસ્ત્રના શ્રવણની ઇચ્છા રાખે તેમાં કશું અયોગ્ય નથી. અધ્યાત્મશાસ્ત્રના શ્રવણની તેઓ ઇચ્છા કરે છે તેથી “આત્મા કર્મથી બંધાઈ જાય છે એમ માનવાની જરૂર નથી. “આત્મા કર્મથી અબદ્ધ છે’– એવી તેમની માન્યતામાં ફરક પડતો નથી. [૮૫] વિશ: પ્રવૐ શાપલ્લીન્દ્રાયેન તપુનઃ | प्रत्यक्षविषयां शंकां न हि हन्ति परोक्षधीः ॥१७५॥ અનુવાદ : તે (અધ્યાત્મશાસ્ત્ર) પણ, શાખાચંદ્રન્યાયની જેમ, દિશા બતાવનાર છે, કારણ કે પરોક્ષ (શાબ્દ) જ્ઞાન પ્રત્યક્ષ વિષયની શંકાને દૂર કરતું નથી. વિશેષાર્થ : આગળના શ્લોકમાં જે કહ્યું છે તેના અનુસંધાનમાં અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અધ્યાત્મશાસ્ત્રનું કામ તો માત્ર દિશા બતાવવાનું છે. ત્યાં પહોંચાડવાનું એનું કામ નથી. એટલે કે અધ્યાત્મશાસ્ત્ર દ્વારા થતું અબદ્ધ આત્માની અવસ્થાનું જે જ્ઞાન છે તે શાબ્દ છે, પરોક્ષ છે, જયારે આત્માના બંધ વિશે થયેલી શંકા તે પ્રત્યક્ષ છે. પરંતુ પ્રત્યક્ષ શંકાને પરોક્ષ જ્ઞાન દૂર કરી શકતું નથી. અહીં દિશા બતાવવા માટે “શાખાચંદ્ર ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આકાશમાં બીજનો ચંદ્રમાં હોય અને કોઈને તે દેખાતો ન હોય તો પહેલાં એને નજીકનો કોઈ મોટો પદાર્થ બતાવવો પડે, ૪૮૪ Jain Education Intemational 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598