Book Title: Adhyatmasara
Author(s): Yashovijay Upadhyay, Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 559
________________ અધ્યાત્મસાર યોગારંભ માટે, સમાધિસુખ માટે યોગ્યતા પ્રાપ્ત કરે છે. આમ વિક્ષિપ્ત પ્રકારના ચિત્તમાં, હમેશાં નહિ પણ ક્યારેક યોગારંભની શક્યતા રહેલી છે. પરંતુ ક્ષિપ્ત અને મૂઢ પ્રકારના ચિત્તમાં તેવી શક્યતા ક્યારેય હોઈ શકે નહિ. રાગ અને દ્વેષની તીવ્રતાવાળા, કષાયોની ઉગ્રતાવાળા, તમસ ગુણના પ્રભાવવાળા, અત્યંત ચંચળ એવા ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં યોગારંભની, યમનિયમાદિની, ધારણા, ધ્યાન અને સમાધિની કોઈ શક્યતા નથી. એ ચિત્ત એટલું બધું ચંચલ હોય છે કે કોઈ પણ શુભ વિષયમાં એને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે તરત ત્યાંથી ખસી જશે. ધ્યાનના વિષયમાંથી એ તરત બહાર નીકળી જશે. એનું વ્યુત્થાન થઈ જશે. [૮૯૯] વિષયકષાયનિવૃત્ત થોપુ ર સંuિ, વિવિધેષા गृहखेलबालोपममपि चलमिष्टं मनोऽभ्यासे ॥११॥ અનુવાદ : વિષયકષાયથી નિવૃત્ત થયેલું, વિવિધ પ્રકારના યોગોમાં ગમન કરનારું, ઘરમાં રમતા બાળક જેવું મન ચંચળ હોય તો પણ અભ્યાસકાળમાં ઈષ્ટ છે. વિશેષાર્થ : ક્ષિપ્ત અને મૂઢ ચિત્તવાળા માણસો યોગસાધના બરાબર ન કરી શકે. પરંતુ ખેદાદિ દોષોથી મુક્ત, આર્તધ્યાનથી વિરામ પામેલું, સમતા ધારણ કરનારું એકાગ્ર કે નિરુદ્ધ પ્રકારનું ચિત્ત યોગસાધના સારી રીતે કરી શકે. હવે વચ્ચેના પ્રકારનું જે વિક્ષિપ્ત ચિત્ત છે તેમાં બે પ્રકારની શક્યતા રહેલી છે. જો તે આનંદવાળું બન્યું હોય તો યોગસાધનાનો આરંભ કરી શકે, પણ જો તે ચંચલ અને બહાર ભટકવાવાળું હોય તો યોગસાધના ન કરી શકે. આવા ચિત્તની શુદ્ધિ અને સમતા વધતાં જાય તો તે પણ યોગસાધનામાં આગળ વધી શકે. જો ચિત્ત ક્રમે ક્રમે ઇન્દ્રિયોના સ્પર્શાદિ વિષયોમાંથી નિવૃત્ત થતું જતું હોય, ભોગોપભોગમાંથી એનો રસ ક્ષીણ થતો જતો હોય તથા એના ક્રોધાદિ કષાયો મંદ થઈ ગયા હોય, વળી મોક્ષ માટે વિવિધ પ્રકારની આરાધનામાં કે તેવા યોગોમાં ગમન કરવાનું એને ગમતું હોય તો તેવું ચિત્ત ભલે ચપળ હોય તો પણ યોગસાધના માટે તે ઇષ્ટ મનાયું છે, કારણ કે તેની ચંચળતા પણ હવે મર્યાદિત પ્રકારની બની ગઈ હોય છે. અહીં બાળકનું સરસ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. બાળક નાનું હોય અને કહ્યા વગર વારંવાર ઘરની બહાર રમવા દોડી જતું હોય તો માતાપિતાને તેની ચિંતા રહે છે કે રખેને તે ક્યાંક પડી જશે, ભટકાઈ જશે, ઈજા પામશે, ખોવાઈ જશે કે કોઈક ઉપાડી જશે. પરંતુ બાળક ઘરના આંગણામાં જ રમતું હોય, દોડાદોડ કરતું હોય તો માતાપિતાને ખાસ ચિંતા રહેતી નથી. તેની સંભાળ રાખવાની જરૂર છે, પરંતુ હવે ચિંતા નથી. તેને આંગણામાં એકલું રમતું મૂકીને પણ તેઓ પોતાનું કામ કરી શકે છે. એવી જ રીતે ચિત્ત ચંચલ હોય, પણ હવે વિષય-કષાયમાંથી, આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી નિવૃત્ત થવા લાગ્યું હોય અને મોક્ષમાર્ગમાં તેની રુચિ વધતી જતી હોય તથા તે માટેના વિવિધ યોગોમાં તેને રસ પડવા લાગ્યો હોય તો તે આવકારદાયક છે, કારણ કે હવે એને યોગ્ય દિશામાં વાળી લેવાયું છે. એટલે હવે તે અવશ્ય વિકાસોન્મુખ બની શકશે. ૫૧૪ Jain Education Intemational 2010_05 International 2010_0s For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598