________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬]
[ અધ્યાત્મ કણિકા (૨૭) અનાદિ અનંત એક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનું સ્વસમ્મુખ થઈ આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે.
(૨૮) ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન કે જેમાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર સમાય છે તે ભાવશ્રુત જ્ઞાનરૂપ પરિણમન અખંડ એક દ્રવ્યના આશ્રયે પ્રગટે છે, જે સર્વજ્ઞના સર્વ કથનનો સાર છે.
(૨૯) સત્સમાગમ, સહજ સ્વભાવની સમજણ અને સહુજ સરલતા વિના સંભવે નહિ; કારણ કે સહજ સ્વભાવ સરલ જ છે. તેથી સુખી થવા ઇચ્છનારે સહજ સ્વભાવ અને સહજ સરલતાની સંધિ કરવા સત્સમાગમ કરવો જોઈએ.
(૩૦) એક આત્મદ્રવ્યમાં એક ગુણ અનંતશક્તિસંપન્ન છે. એવા અનંત ગુણ અનંતશક્તિસંપન્ન હોવાથી તેનો આધાર એવું એકરૂપ દ્રવ્ય તે દષ્ટિનું ધ્યેય છે.
(૩૧) નિર્દોષ જેણે થવું હોય તેણે સદોષતા ક્ષણિક છે, ટળી શકે છે એવો નિર્ણય કરવો જોઈએ. અને સદોષતાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk