Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૩ અધ્યાત્મ કણિકા ] રત્ન છે, સર્વ તીર્થોમાં તે ઉત્કૃષ્ટ તીર્થ છે, સુખોનો તે ખજાનો છે, મોક્ષનગરીમાં જવા માટેનું તે ઝડપી વાહન છે, ભવના વનને બાળી નાખવા માટે તે અગ્નિ છે. (૬૧) હે પ્રભુ! દિવ્યધ્વનિ દ્વારા આપે અચિંત્ય નિધાન જગતને બતાવ્યાં-એવાં નિધાન બતાવ્યાં કે મોક્ષાર્થી જીવો તેની પાસે મોટા મોટા રાજ્યપદને તુચ્છ તરણા જેવા સમજીને તેને છોડીને મુનિ થઈને તે ચૈતન્યનિધાનને સાધવા માટે વનમાં ચાલી નીકળ્યા. (૬ર) સ્વયંભૂરમણ સમુદ્રના તળિયે અસંખ્ય રત્નો ભર્યા પડ્યા છે તેમ ચૈતન્ય પ્રભુના તળિયે અનંતાનંત ગુણરત્નો ભર્યા પડ્યા છે. (૬૩) એક સમયનું અનંતદુ:ખ એવું દુ:ખ અનંતકાળથી ચાલ્યું આવે છે; તેનો નાશ થાય અને આદિ અનંતનું અનંતસુખ પ્રગટે તેનો ઉપાય પણ અલૌકિક જ હોય ને! (૬૪) ચામડાં ઉતરડીને ખાર છાંટે, એવી રાગની પીડા છે. (૬૫) ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ કયાંથી જાણે ? Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65