________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અધ્યાત્મ કણિકા]
| [ ૧૫ (૭૦) આહા! મોક્ષમાર્ગી જીવનાં જીવોન કોઈ જુદી જાતનાં છે. પોતાના ચૈતન્યસ્વભાવ સિવાય બીજા બધાથી તેને ઉદાસીનતા છે. જગતના પ્રસંગોથી એમની પરિણતિ હલી જતી નથી. અંતરની અનુભવદશામાં ચૈતન્યના આનંદના દરિયા ડોલતા દેખ્યા છે. એમનું ચિત્ત હવે બીજે કેમ લાગે? આત્માના નિજવૈભવમાં લાગેલું ચિત્ત બીજે કયાંય લાગતું નથી.
(૭૧) સ્વાવલંબી ઉપયોગરૂપ સ્વરૂપને સાધીને જે ક્ષેત્રથી સિદ્ધ થયા, તે જ ક્ષેત્રે સમશ્રેણીએ ઊર્ધ્વ સિદ્ધપણે બિરાજે છે. તેના સ્મરણના કારણરૂપ આ તીર્થો નિમિત્ત છે.
(૭ર) સમ્યગ્દષ્ટિ થતાં સહજાત્મચૈતન્યનો સ્વામી થાય છે, તેનું ફળ મુક્તિ છે. તેથી વિપરીત મિથ્યા રુચિમાં પર પદાર્થ અને વિકારનો સ્વામી થાય છે, તે બંધનું કારણ છે.
(૭૩) અંતરના ઉતારા કરવામાં તારે ભેદને ભૂલવા પડશે. ભગવાન કહે છે કે મને તો ભૂલી જા, પણ તારા ગુણ-ભેદોને પણ ભૂલી જા, ત્યારે તને અભેદનો પત્તો લાગશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk