Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 58
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર ] [ અધ્યાત્મ કણિકા પરિમુક્ત, અત્યંત નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. (૧૭) - (૫૧) પૂ. ગુરુદેવે મોક્ષનો શાશ્વત માર્ગ અંદરમાં દેખાડ્યો છે, તે માર્ગે જો. (૧૯૪) (પર) બધાએ એક જ કરવાનું છે-દરેક ક્ષણે આત્માને જ ઊર્ધ્વ રાખવો. આત્માની જ પ્રમુખતા રાખવી. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ આત્માને જ અધિક રાખવાનો અભ્યાસ કરવો. (૧૯૫) (૫૩) ચૈતન્યની અગાધતા, અપૂર્વતા ને અનંતતા બતાવનારાં, ગુરુનાં વચનો વડ શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે. હે શુદ્ધાત્મદેવ! તારા શરણે આવવાથી જ આ પંચપરાવર્તનરૂપી રોગ શાંત થાય છે. જેને ચૈતન્યદેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો! મારા ચૈતન્યદેવમાં તો પરમ વિશ્રાંતિ છે, બહાર નીકળતાં તો અશાંતિ જ લાગે છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65