Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮] [ અધ્યાત્મ કણિકા (૮૪) પ્રથમ શ્રદ્ધા કરે કે નયપક્ષના વિકલ્પ રહિત મારું સહજ સ્વરૂપ છે; એકાકાર છે, એમ નિઃશંક થાય, પછી વિકલ્પ હોય તોપણ તે આગળ જવાનો છે; વિકલ્પ તોડશે અને સ્વભાવમાં જશે. (૮૫) જિજ્ઞાસુ જીવે સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં સત્યને સમજવાનો અવકાશ અવશ્ય રાખવો જોઈએ. (૮૬) પર્યાયમાં રાગ હોવા છતાં પણ, મારા સહજ સ્વરૂપમાં રાગ નથી, તે અપૂર્વ અંતરદષ્ટિની ચીજ છે. (૮૭) સ્વના આશ્રયે થાય તે સમ્યજ્ઞાન છે. પર્યાય સ્વની હો કે પરની હો, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઊઠે છે. અનંતગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે, ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ-જીવનો માર્ગ, કોઈ અલૌકિક છે! (૮૮) જૈન કોઈ સંપ્રદાય નથી. ગુણસ્વરૂપ જે શુદ્ધ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65