________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૪૬ ]
[અધ્યાત્મ કણિકા પડે, સુખ ન લાગે. લીધે જ છૂટકો. યથાર્થ ભૂમિકામાં આવું હોય છે. (૬)
(૨૫) જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે, તેમ આત્મામાં ડગલે ને પગલે એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પુરુષાર્થ વગર એક પણ પર્યાય પ્રગટતી નથી. એટલે સચિથી માંડી ઠેઠ કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ જ જોઈએ છે. (૭)
(ર૬) ઉપલક ઉપલક વાંચન-વિચાર આદિથી કાંઈ ન થાય. અંદર આંતરડામાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંત:સ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. (૨૩)
(૨૭) આત્માર્થીએ સ્વાધ્યાય કરવો, વિચાર-મનન કરવા, એ જ આત્માર્થીનો ખોરાક છે. (૨૪)
(૨૮) ભવિષ્યનું ચિતરામણ કેવું કરવું તે તારા હાથની વાત છે. માટે કહ્યું છે કે, “બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ.” (૨૮)
(૨૯) હું અબદ્ધ છું” “જ્ઞાયક છું” એ વિકલ્પો પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk