________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮]
[ અધ્યાત્મ કણિકા (૪૧) આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યકત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તો તે દષ્ટિની માફક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી. જે આગળ વધે તોપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે, તે છે.
(૪૨) જિન સોહી હૈ આત્મા, અન્ય હોઈ સો કર્મ, કર્મ કરે સો જિનવચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ
(૪૩) જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક, નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.
(૪૪) વ્યવહારસે દેવ જિન, નિહુસેં હૈ આપ, એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ.
(૪૫) - જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk