________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
* શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત *
(૧) અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.
(૨) અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો.
(૩) અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે કે-ગુત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી.
(૪) એક ભવના થોડા સુખ માટે અનંતભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન પુરુષો કરે છે.
(૫) કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાનો જય એક કલ્પ થવો દુર્લભ, તેવી અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે જિનેન્દ્રદેવે શમાવી દીધી !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk