Book Title: Adhyatma Parag
Author(s): Vitrag Sat Sahitya Trust Bhavnagar
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪] | [ અધ્યાત્મ કણિકા તેમ ઇન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ પ્રાણી અતીન્દ્રિય સુખના સ્વાદને ક્યાંથી જાણે? જેણે જ્ઞાનને અંતરમાં વાળીને અતીન્દ્રિય વસ્તુને કદી લક્ષગત કરી નથી, તેને અતીન્દ્રિય વસ્તુના અતીન્દ્રિય સુખની કલ્પના પણ કયાંથી આવે? જ્ઞાનીએ. ચૈતન્યના અતીન્દ્રિય સુખનો અપૂર્વ સ્વાદ ચાખ્યો છે. (૬૬) હે જીવ! તારા અનંતગુણો જ તારા સદાયના સાથીદાર છે. આ સાથીદાર જ દુઃખથી તારી રક્ષા કરનારા ને તને સુખ આપનારા છે. (૬૭) અરે ચૈતન્ય પ્રભુ! તારી શક્તિના એક ટંકારે તું કેવળજ્ઞાન લે એવી તારી તાકાત છે. (૬૮) એક આત્મદ્રવ્યમાં એક ગુણ અનંત શક્તિસંપન્ન છે. એવા અનંતગુણ અનંત શક્તિસંપન્ન હોવાથી એનો આધાર એવું એકરૂપ દ્રવ્ય તે દષ્ટિનું ધ્યેય છે. (૬૯) ૪૭ શક્તિ આત્માનો વૈભવ છે. એવા વૈભવશાળી ભગવાન આત્માનું અંતરમાં ધ્યાન કરવાથી જ્ઞાન, આનંદરૂપી વૈભવ પ્રગટ થાય છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65