________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[ અધ્યાત્મ કણિકા (૫૫) દ્રવ્યદષ્ટિ તે જ સમ્યગ્દષ્ટિ.
(૫૬) વિકલ્પ વિનાની જ્ઞાનની વેદના કેવી છે, તેનું અંતર્લક્ષ કરવું તેનું નામ ભાવશ્રુતનું લક્ષ છે. રાગની અપેક્ષા છોડીને સ્વનું લક્ષ કરતાં ભાવશ્રુત ખીલે છે ને તે ભાવશ્રુતમાં આનંદના ફુવારા છે.
(૫૭) ધ્રુવ આનંદદળ ઉપર નજર પડતાં જ પર્યાયને વિસામો મળી જાય છે. જ્ઞાન જ્ઞાયકમાં જામી જાય છે, સદાને માટે સુખી બની જાય છે.
(૫૮) અવ્યક્ત પદાર્થને આધીન થવું તે પરમાત્મા થવાનાં લક્ષણ છે. તેને આધીન થયો તે સુખી છે.
(૫૯) આ કાળે બુદ્ધિ થોડી, આયુ થોડું, સત્ સમાગમ દુર્લભ, તેમાં હે જીવ! તારે એ જ શીખવાયોગ્ય છે કે જેનાથી તારું હિત થાય ને જન્મમરણ મટે.
(૬૦). હું શુદ્ધ ચિતૂપ છું' એવા નિર્ણયથી શુદ્ધ ચિદ્રુપ પ્રાપ્ત થાય છે. તે શ્રુતસમુદ્રમાંથી નીકળેલું ઉત્તમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk