________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૧
અધ્યાત્મ કણિકા ] તૃત-તૃત છે. ચૈતન્યના આનંદની મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજાં કાંઈ કરવાનું રહ્યું નથી.
(૫૦) આત્માનું અસ્તિત્વ જેમાં નથી, આત્માનું જીવન જેમાં નથી એવા પરદ્રવ્યોમાં ધર્માનું ચિત્ત કેમ ચોંટે? આનંદનો સમુદ્ર જ્યાં દેખ્યો છે, ત્યાં જ તેનું ચિત્ત ચોટયું છે.
(૫૧) અનુભવ એ ચિંતામણિ રત્ન છે, અનુભવ એ શાંતરસનો કૂવો છે, અનુભવ તે મુક્તિનો માર્ગ છે, ને અનુભવ તે મોક્ષસ્વરૂપ છે.
(પર) આ નિરાલંબી જ્ઞાન જગતમાં કોઈથી ઘેરાતું નથી. જ્ઞાન તો રોગથી કે રાગથી–બધાયથી અદ્ધર ને અદ્ધર જ રહે છે.
(૫૩) એક સેકંડમાત્રનું સમ્યગ્દર્શન અનંત જન્મમરણનો નાશ કરનાર છે. એકમાત્ર સમ્યગ્દર્શન સિવાય જીવ અનંતકાળમાં બધું કરી ચૂકયો છે.
(૫૪). પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk