Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 204
________________ ગમતું નહોતું. એમને જ્યારે ખબર પડી કે આચાર્યશ્રીએ કુમારપાળને મહાદેવના દર્શન માટે કહ્યું છે. આથી તેઓ ઉકળી ઉઠ્યા : વાહ ભાઇ ! વાહ ! આચાર્યશ્રી; જેઓ જિનેશ્વર દેવ સિવાય કોઇને માથું ઝુકાવતા નથી, તેઓ આજે કુમારપાળને મહાદેવના દર્શનની વાતો કરી રહ્યા છે. કેવા તકવાદી છે આચાર્ય ! આજે તો એમની પોલ ખૂલી પાડી દઇએ. તેઓ મારી પાસે આવ્યા અને મને કહેવા લાગ્યા : રાજનું ! સૂરિદેવને કહો કે તમે પણ મહાદેવના દર્શનાર્થે પધારો. મેં તો ભોળાભાવે સૂરિદેવને તેમ કહ્યું. તો સૂરિદેવે તરત જ મારી વાત સ્વીકારી લીધી અને કહ્યું : એમાં આમંત્રણ હોય ? અમે પણ પ્રભાસ પાટણ આવીશું અને મહાદેવના દર્શન કરીશું. આ સાંભળીને તો વિરોધીઓના મોં સીવાઇ ગયા. શું ધાર્યું તું ને શું જવાબ મળ્યો ? સપનેય કલ્પના નહોતી કે જૈનાચાર્ય મહાદેવના દર્શનાર્થે આવે. જોઇએ હવે શી રીતે આવે છે ? હું સોમનાથ ગયો ત્યારે આચાર્યશ્રી પણ શત્રુંજ્યની યાત્રા કરી આવી ગયા હતા. વિરોધીઓની આંખ આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. મારી સાથે આચાર્યશ્રી પણ શિવાલયમાં આવ્યા. શિવલિંગ સમક્ષ સ્તુતિ કરતાં આચાર્યશ્રીએ કહ્યું : भवबीजाङ्क्रजनना रागाद्याः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णु वा हरो वा जिनो वा नमस्तस्मै ॥ સંસારના બીજમાં અંકૂરા પેદા કરનાર રાગ-દ્વેષ વગેરે જેમના ટળી ગયા હોય તેમને હું નમસ્કાર કરું છું ! હે ભગવાન ! પછી ભલે લોકો આપને બ્રહ્મા કહેતા હોય, વિષ્ણુ કહેતા હોય કે મહાદેવ કહેતા હોય, નામ સાથે મારે કોઇ ઝગડો નથી. તું વીતરાગ હોય એટલે બસ. તને મારા અંતરના નમસ્કાર ! હું ત્યારે એમ સમજ્યો કે સૂરિજીએ મહાદેવને નમસ્કાર કર્યા, પણ સાચી સમજણ મળ્યા પછી મને ખબર પડી કે, સૂરિજીએ વીતરાગ પ્રભુશ્રી અરિહંત દેવને જ નમસ્કાર કર્યા હતા, તે પણ મારા જેવાને સન્માર્ગે વાળવા જ ! આત્મ કથાઓ • ૪૦૬ ત્યાર પછી હું, આચાર્યશ્રી સાથે મંદિરના ગર્ભગૃહમાં ગયો. મેં સૂરિજીને પૂછ્યું : ગુરુદેવ ! ઘણા વખતથી મારા દિલમાં એક સવાલ ધોળાયા કરે છે : “સત્ય ધર્મ કયો ? જગતમાં અનેક ધર્મો છે. અનેક ધર્મશાસ્ત્રો છે. અનેક ધમાંચાર્યો છે. બધા પોતાની વાત સત્ય જણાવે છે. આમાં મારે સત્ય શી રીતે જાણવું ? ગુરુદેવ ! આજે આ પવિત્ર સ્થાને મને આ રહસ્યમય વાત જણાવી દો. મહાદેવ જેવા દેવ, આપના જેવા ગુરુ અને મારા જેવો જિજ્ઞાસુ - આ ત્રણેનું પવિત્ર ત્રિવેણી સંગમ રચાયું છે. માટે જ અત્યારની પળ પવિત્ર તીર્થરૂપ છે.” ‘સત્ય ધર્મ કહું એનો અર્થ શો ? હું જો કહું : બધા ધર્મોમાં જૈનધર્મ જ સાચો છે તો બીજા ધર્માચાર્યો પણ એમ જ કહે છે : અમારો ધર્મ ખરો છે. તો ફરી તું મૂંઝવણમાં મૂકાઇશ : કયા ધર્માચાર્યની વાત સાચી માનવી ? માટે હું કાંઇ કહું તેના કરતાં તારા પરમ આરાધ્ય દેવ મહાદેવ જ કહે તે વધુ ઉચિત ગણાશે. મંત્ર-શક્તિથી હું હમણાં જ મહાદેવને પ્રગટ કરું છું. હું મંત્ર જપતો રહીશ અને તું શિવલિંગ પર કપૂર નાખતો જજે. ' સૂરિજી જાપમાં લીન બન્યા. હું કપૂર નાખતો ગયો. થોડી જ વારમાં શિવલિંગમાંથી તેજોવર્તુલ પેદા થયું. શું એનો પ્રકાશ ? જાણે અનેક સૂર્યો એકી સાથે ઊગ્યા. ક્ષણમાં જ એ પ્રકાશ પુંજમાંથી મહાદેવજી પ્રગટ થયા. માથે જટા ! જટામાં ગંગા ! બાલચન્દ્ર ! કપાળે ત્રીજી આંખ ! ગળે સાપ ! હાથમાં ડમરું અને ત્રિશૂળ ! શરીરે ભભૂતિ ! હું અભિભૂત થઇ ગયો એમનાં તેજથી. મેં મહાદેવને સત્ય ધર્મનો સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું : કુમારપાળ ! તારી તત્ત્વ જિજ્ઞાસા અતિપ્રશંસનીય છે. હજારોમાં કોઇક ભાગ્યશાળીને જ સત્ય જાણવાની ઇચ્છા થાય છે. બાકી તો મોટા ભાગના લોકો ઊંધું ઘાલીને એમને એમ જીવ્યે જતા હોય છે. બધા કરે એમ કરવું. નાહક માથાકૂટ શું કરવી ? આ તેમનો જવાબ હોય છે. આવા લોકો જીવતા નથી, માત્ર શ્વાસ લે છે. તારી સત્યની જિજ્ઞાસા જાણી મને ખૂબ જ આનંદ થયો છે. તને જે મળેલા આ ગુરુદેવ છે, એ જે કહે હું કુમારપાળ • ૪૦૭

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273