Book Title: Jain Adarsh Prasango Part 10
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
Catalog link: https://jainqq.org/explore/005434/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 6ી છીદિશ જીતીથી CTĐT © Vierscia નાળામાં ઈલ્યાસ ભથ્થરસ્થિતી Page #2 -------------------------------------------------------------------------- ________________ 'આ પ્રસંગો પુસ્તક વિષે અભિપ્રાય (૧. ૫.પૂ. આચાર્યદેવશ્રી રાજેન્દ્રસુરિ મ. સા.. આ પ્રસંગો પુસ્તક વાંચ્યા પછી) અનુમોદના તથા સુષુપ્ત સત્વને જાગ્રત કરે છે. જીવનમાં કાંઈક પણ શુભ કાર્ય કરવાનો ઉત્તમ મનોરથ પેદા કરે છે. આજના જીવોને ઉત્તમ આલંબનની જરૂરત છે, જેમાં આ બુક બોધક, માર્ગદર્શક, સરળ, શોર્ટ અને સ્વીટ જેવું છે. (૨. પ.પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસુરિ મ. સા. : “નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા.... આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે..” (ઉ. મુનિ સૌમ્યરત્ન વિજયજી : વ્યાખ્યાનમાં આ પ્રસંગો કહેવા જેવા શ્રેષ્ઠ છે. આ પુસ્તકને ખૂબ આકર્ષક બનાવો તેવી વિનંતી છે. તેથી ઘણા વાંચશે અને વાંચવાથી ઘણાને લાભ થશે. (૪ પાનાનું ટુંકાવીને) (૪. ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખઃ પાંચકુવા કાપડ મહાજન “બેંગ્લોરમાં ગયેલો. ઊંઘ ન આવતાં મિત્ર પાસે વાંચવા પુસ્તક માંગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જૈન આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા ર્દય પુલકિત બની ગયું.આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી. દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” પ. રાજેન્દ્રભાઈ : “પૂ. શ્રી ! આ પ્રસંગો પુસ્તક મારા સુશ્રાવિકાએ વાંચ્યું. ખૂબ ગમ્યું.... વાંચી ઘણાં બધાનું કલ્યાણ થાય તે ભાવનાથી આ સુંદર પુસ્તકના પ્રચારમાં અમારે રૂા. ૫૦૦૦નો લાભ લેવો છે...” આવા પ્રશંસાપૂર્ણ અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. તરફથી ભેટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ (હું અહં નમઃ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસુરીભ્યો નમો જેન આદર્શ પ્રસંગો (સત્ય, વર્તમાન, શ્રેષ્ઠ, ધાર્મિક દૃષ્ટાંતો ) ( ભાગ- ૧૦ ) પ્રેરક : પંન્યાસ ભદ્રેશ્વરવિજય ગાણિ સંપાદક : મુનિ યોગીરત્ન વિ. મ. સા. આ આવૃતિ રજી છે તા. ૧-૯-૨૦૧૨ સેર ચી | નકલ ૭000 જ પૂર્વની ૧૨000 કિંમત છે : - Of) 'પ્રાપ્તિ સ્થાન : અમદાવાદ :) મિતેશભાઈ : ૧, સુજલ ડુપ્લેક્ષ, નવા વિકાસગૃહ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૨૬૬૧૧૫૮૨ મો. : ૯૪૨૭૬૧૩૪૭૨ નિરંજનભાઈ ૧૧, ભૂમિ એપા, ૩૩, આનંદ નગર, ફતેપુરા, ભઠ્ઠા, અમદાવાદ. મિરાબીકા-નારણપુરા : પ્રકાશભાઈ મો. : ૯૨૨૮૮૪૦૭૪૪ (ઃ મુંબઈ :) . નાગદેવી : પ્રબોધભાઈ યુકો, ૧૦૩, ૧લો માળ, નારાયણ ધ્રુવ સ્ટ્રીટ, મુંબઈ-૩. ફોન : ૨૩૪૩૮૭૫૮ મો. ૯૩૨૨૨૭૯૮૬ ૪ ગોરેગાંવ (વે): નીલેશભાઈ બી-૨૦૧, સુયોગ સો, સહારા સામે, એસ.વી. રોડ, મુંબઈ-૧૦૪. ફોન : ૨૮૭૧૪૬૧૭ મો. ૯૨૨૧૦૨૪૮૮૮ C પ્રકાશિત થયેલા અન્ય પુસ્તકો પંન્યાસ ભદ્રેશ્વરવિજય જૈન આદર્શ પ્રસંગો ભાગ ૧થી૮ ભેગુ પુસ્તક રૂ. ૩૦ જૈન આદર્શ પ્રસંગો ભાગ ૧થી૮ છુટા દરેકના રૂા. ૩ જેને આદર્શ પ્રસંગો ભાગ ૯,૧૦ અને ૧૧ દરેકના રૂા. ૨ પર્યુષણ, આયંબિલની ઓળી, પૂજા, પૂજન, તીર્થયાત્રા, પ્રવાસ, પ્રવચન, આદિ ધર્મ પ્રસંગે પ્રભાવના કરવા યોગ્ય સાવ સસ્તુ અને સુંદર પુસ્તક મુક આશિષભાઈ શાહ, અંકુર, નારણપુરા, અમ મો. ૯૮૭૯૦૮૮૬૮) For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ 'આપની એક નજર મારી તરફ..... વર્તમાનમાં વિલાસમાં દોડતા જૈનોએ સાવ સરળ અને અપાર લાભદાયી અનુમોદના ધર્મને ચૂકવા જેવો નથી. પ્રભુ વીરના પ્રભાવે આજના હડહડતા કલિકાલમાં પણ વિશેષ ધર્મીઓના પ્રેરક ધર્મ પ્રસંગો આ પુસ્તકમાં રજૂ કર્યા છે. તે જૈનો ! અવશ્ય પપાના પણ વાંચો. ગમે તો બધા ભાગ વાંચો, સ્વજનોને વાંચવા પ્રેરણા કરો. અનેક સાધુ ભગવંતો તથા ધર્મપ્રેમીઓએ આવા અભૂત પ્રસંગો મને આપ્યા છે તેઓનો પણ હું ઋણી છું. પ્રાંતે પ્રભુની આજ્ઞા વિરૂધ્ધ અનાભોગથી કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્..... OPEN BOOK EXAM જૈન આદર્શ પ્રસંગો ભાગ-૧૧ તા. ૧-૯-૧૨ના રોજ વિમોચન થશે. પુસ્તકની કિંમત રૂ. ૨ તથા તેના પર પરીક્ષાનું પેપર રૂા. 3 માં મળશે. DON'T MISS IT “ આત્મ જંગ” પુસ્તકમાં આઠ કર્મના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવથી સુંદર ચિંતન મુકેલ છે. પુસ્તકની કિંમત રૂા. ૨૦ પેપરના રૂા. ૫ કુલ રૂા. ૫ | સુફતના સહભાગી અમદાવાદ : મિરાંબીકા સંઘ સ્વ. માતૃ શ્રી મોતીબેન તથા સ્વ. પિતાશ્રી ડાહ્યાલાલ તથા સ્વ. વહાલી દિકરી શ્રીપાલી સંજય શાહના આત્મશ્રેયાર્થે હ, વડાલી નિવાસી કુસુમબેન નરેશભાઈ ડાહ્યાલાલ દોશી-પરિશ્રમ ટાવર શ્રી હર્ષદભાઈ ચંપકલાલ સાલવી - શંકર સોસાયટી કલાબેન ચંપકલાલ શાહ - કલ્પતરૂ શ્રી દેવીલાબેન બાલચંદભાઈ - માનસરોવર અભયભાઈ કનૈયાલાલ - કલ્પતરૂ શ્રી ભરતભાઈ જીવાભાઈ - સ્નેહ એપાર્ટમેન્ટ રેખાબેન રમેશભાઈ - કલ્પતરૂ વસંતભાઈ ગુલાબચંદ પરિવાર - વડોદરાવાળા હિનાબેન નિલેન્દુભાઈ ભંડારી - આશિર્વાદ ફલેટ શૈલેષભાઈ ઉગરચંદ ગઢેચા - સુખ ટાવર નયનકુમાર જયંતિલાલ શાહ - પદ્મગિરિ અશોકભાઈ રમણલાલ - સકલ જસવંતલાલ મહાસુખલાલ - શુકન શ્રી ચીનુભાઈ કાળીદાસ - અભિષેક શ્રી For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ -૯૦-૯ ૦-૯૦ જલાલ્ ૩ ૯૦૯૯૯ - - - - - જીની આદર્શ પ્રાસો ST જી ( 0) (ભાગ - દસમો ૧. મહાન બૂતર બરલુટના રહેવાસી પુખરાજભાઈને ત્યાં એક કબૂતર રહે છે. જૈન ધર્મની અનુમોદનીય આરાધના કરે છે. પુખરાજભાઈ અને શ્રાવિકા રોજ સવારે ૬ વાગે સામાયિક કરે ત્યારે કબૂતર પણ જોડે બેસે. સુંદર ધાર્મિક ગીતો સાથે ધાર્મિક તીર્થોની સ્પર્શના કરાવે છે. ભક્તામર, પંચસૂત્ર, શંત્રુજયની ભાવયાત્રા શ્રાવક કરે તો કબૂતર બરોબર સાંભળે, નવકારશીનું પચ્ચક્ખાણ આપે. નવકારશીના સમયે ૩ નવકાર ગણીને પચ્ચકખાણ પરાવે, અગાશીમાં મકાઈના દાણા ચણે. બહાર જવાની ઈચ્છા હોય તો બારી ખોલી આપવામાં આવે. ઉડીને ગયેલું કબૂતર સૂર્યાસ્તના અમુક સમય પૂર્વે પાછું આવે. ખાધા પછી સૂર્યાસ્ત ચૌવિહારનું પચ્ચખાણ અપાય. ત્યાર બાદ દેવસિ પ્રતિક્રમણ અને સંથારાપોરિસી એકાગ્રચિત્તે સાંભળે. પર્વના ચાર દિવસો પહેલા એને સતત સમજાવવામાં આવે એટલે પર્વતિથિએ સ્વયં ઘરમાં જ રહે. પર્વ પર્યુષણમાં એકવાર કલ્પસૂત્ર સાંભળવા લઈ ગયા. એક બેંચ નીચે બેસી ૪૫ મિનીટ કલ્પસૂત્ર સાંભળ્યું. દિવાળીની રાત્રિએ આખી રાત્રિ જાગરણ કરે. દરવાજાને અડીને બેસી, પ્રભુ વીરના નિર્વાણના દેવવંદન સાંભળે. જ્ઞાનપંચમીએ બહાર ન જાય પરંતુ ઉપાશ્રયમાં લઈ જાય તો આખુ દેવવંદન શાંતિથી સાંભળે. પ્રભુજીની સામે જાણે કે ચૈત્યવંદન કરતું હોય તેમ જોયા કરે, બેસી રહે. કોઈની પર રાજ કરી તેને નારાજ ન કરશો. Jain ucadan International For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ **** *** ૪ ***** ઉકાળેલું પાણી પીનાર અને ચોવિહાર કરનારા કૂતરા પણ વર્તમાનમાં છે. વાસ્તવમાં, પૂર્વભવમાં કરેલી અનેક આરાધનાઓના સુસંસ્કાર કબૂતરના ભવમાં પણ ઉચ્ચ આરાધના કરવા પ્રેરે છે. પરંતુ પૂર્વની કોઈક નાની વિરાધનાના લીધે કબૂતરનો ભવ મળ્યો છે. આપણે વિચારવા જેવું છે કે હાલમાં થાય એટલી આરાધના કરી લેવા જેવી છે. કોને ખબર આવતી કાલે આવતા ભવમાં ક્યાં હોઈશું? માનવીય બુદ્ધિ, સમજણ મળ્યા પછી પણ જેને ધર્મ ક૨વો ન ગમતો હોય તે શું કૂતરા, બિલાડાના તિર્યંચના કે નરકના ભવોમાં શું ધર્મ કરશે ? ****** ૨. પ્રભુદર્શનથી પરિવર્તન મહેસાણાના સીમંધર સ્વામી દાદાનો દરબાર. ત્યાં એક ચોકીદાર મુખ્ય દ્વાર પર રાખેલ હતો. તેનો મિત્ર જંગલમાં શિકાર કરીને જીવન ગુજારે. એકવાર મિત્રને મળવા મહેસાણા આવ્યો. થોડીક વા૨ની વાતો બાદ મિત્રને ચોકીદારે કહ્યું કે આપણે મારા ઘરે જમવા જઈએ તે પૂર્વ અહીં ભગવાનના દર્શન કરતો આવ. શિકારીને ભગવાનમાં કોઈ રસ ન હતો છતાં મિત્રના દબાણથી દર્શન કરવા પગથિયા ચડવાના શરૂ કર્યા. મનમાં વિચારે કે પથ્થરને પૂજીને શુ કરવાનું ? મૂર્તિમાં કાંઈ ભગવાન હોતા હશે ? ખોટી વાતો છે બધી ! કુલ આશરે ૨૫-૨૭ પગથિયાં. ચડતો જાય અને નાસ્તિકતાના વિચારોમાં રમતો જાય. થોડા પગથિયા બાકી રહ્યા અને સીમંધરસ્વામી દાદાનું મુખ દેખાવાનું શરૂ થયું. જ્યાં સંપૂર્ણ મુખ દેખાયું અને શિકારી ત્યાં જ ઉભો રહી ગયો. એકદમ આશ્ચર્ય પામી ગયો. આટલું વિરાટ મુખ ! મુખારવિંદ પરના સૌમ્યતાના ભાવો જોઈ રહ્યો છે, કેવું પ્રસન્ન વદન !! કેવું ઉત્તમ રૂપ !! Jain Edere જેને બોલતા રોકી ન શકો તેની સાથે રોકાવું નહિ. For Pers vate Use Only www.janmembrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ આજના - - - - - - - ૧૫ - - - - - - અંતરના ભાવો બદલાવા માંડ્યા. અત્યાર સુધી મૂર્તિને પથ્થર માનનારા શિકારીના ભાવો માત્ર મુખારવિંદના દર્શનથી બદલાયા. હું કેવો હિંસક અને પ્રભુના મુખ પર કેવી અહિંસકતા!! મારા મુખ પર કાયમ રતાના ભાવો અને પ્રભુના મુખ પર દયાના ભાવો!! મારી આંખોના છેડા કાયમી લાલ અને પ્રભુના ગુલાબી ! મારો ચહેરો બિહામણો અને પ્રભુનો સુંદર સોહામણો !! અહો ! ક્યાં હું પામર અને પ્રભુ તો પરમ ! વિચારધારામાં જોરદાર પલટો આવ્યો હતો. આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા માંડ્યા આગળ વધતાં પરમાત્માની સંપૂર્ણ વિરાટ કાયા જોઈને તો જાણે કે આંખમાંથી અશ્રુની ધારા છૂટી. મનોમન નક્કી કર્યું કે આજ પછી શિકારનો ધંધો બંધ ! હવે આ દાદા એટલા બધા ગમી ગયા છે કે હવે ક્યાંય જવું નથી. જીંદગી આખી આ દાદાના ચરણોમાં ન્યોછાવર કરવી છે. અડધો એક કલાકે દાદાના દર્શન કરી પાછો મિત્ર પાસે આવ્યો. મિત્ર કહે કે ચાલ હવે જમવા જઈએ. તારે બહુ વાર થઈ. શિકારી કહે “હવે જમવામાં મને રસ નથી. મારો નિશ્ચય છે કે હવે આખી જીંદગી આ દાદાના તીર્થમાં જ રહેવું છે” તું મને અહીં નોકરી અપાવી દે પછી જમવા જઈશું. મિત્ર કહે કે અરે ! હું કાંઈ થોડો શેઠ છું તને નોકરી અપાવી દઉં. એ માટે તો શેઠને મળવું પડે. શિકારી કહે કે તું તારા શેઠ પાસે મને લઈ જા. મને ભોજન નહી ભજનમાં રસ છે. પેટપૂજા કરતાં પહેલાં પ્રભુપૂજા નક્કી કરી લેવા દે. ભક્તિ તો પછી યે થશે, દાદાની ભક્તિ પહેલા કરવી છે. બંને શેઠ પાસે પહોંચ્યા અને નોકરી માટે વાત કરી. શેઠ કહે કે હું તને ઓળખતો નથી, અમારે ચોકીદારની હવે વધારે જરૂર ( બીજાએ કરેલો ફ્રોડ ન જોતા, આપણા પૂર્વભવનો ફોલ્ટ જુવો. ) Jain Sever-e-- --- ------------- -અનામિકary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ *** નથી. શિકારી એ ઘણી વિનંતી કરી પણ શેઠ હા કેવી રીતે પાડે! છેવટે શિકારીએ આંખમાં આંસુ સાથે શેઠના પગ પકડ્યા કે શેઠ કોઈપણ હિસાબે મને નોકરીમાં રાખી લો. હું હવે અહીંથી ક્યાંય - જવાનો નથી. કાયમ માટે મેં શિકારનો ધંધો છોડી દીધો છે. = છેવટે શેઠનું હૃદય પીગળી ગયું. ચોકીદાર તરીકે તેને રાખી લીધો. ઘણાં વર્ષો ચોકીદાર તરીકે ત્યાં રહ્યો અને દાદાની ભક્તિ કરી. એક આચાર્ય ભગવંતને જ્યારે મળ્યો ત્યારે તેણે પોતાની આત્મકથા કીધી હતી. “પ્રભુદરિશનથી સમકિત પ્રગટે' એ પંક્તિઓ લખાઈ છે. પરમાત્માના દર્શન માત્રથી નાસ્તિક પણ આસ્તિક બની શકે છે. જેમ અભયકુમારે મોકલેલી પ્રતિમાના દર્શનથી આદ્રકુમાર બોધ પામ્યો અને સંયમ સુધી પહોંચ્યો, તેમ શિકારીના જીવનમાં હૃદય પરિવર્તન આવ્યું. આને કહેવાય કે પ્રભુ મળ્યા એમ નહી, પ્રભુ ફળ્યા. આપણા જીવનમાં, વ્યવહારમાં સતત પ્રભુની આજ્ઞા મુખ્ય બને તો જ પ્રભુ આપણને ફળ્યા કહેવાય ! ૩. સસરાની ભક્તિ અમદાવાદના એ શ્રાવક ને ભયંકર તકલીફ આવી. કીડની બંને ફેઈલ થઈ ગઈ. અરજન્ટ કીડની બદલવાની જરૂર ઉભી થઈ. નવી પરણીને આવેલી પૂત્રવધુ એ ઉત્તમ ભાવપૂર્વક પોતાની એક કીડની સસરાને દાનમાં આપી અને સસરાનું જીવન બચાવી લીધું. ધન્યવાદ છે આવી પૂત્રવધુઓને !! Jain Education ૪. દિલની અમીરાઈ અમદાવાદના એક સંઘમાં એક પુન્યશાળી દિકરા સાથે મળવા આવ્યા. દીકરો કામ માટે નજીકમાં ક્યાંક જઈને પાછો પિતાજીને પાણી ઉકાળો તો પુણ્ય, વાણી ઉકાળો તો પાપ. ellee Only www.jainelibary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain લેવા આવવાનો હતો. એ દરમ્યાન પુત્ર બહાર જવા નીકળ્યો એટલે પિતાજીએ ગુરૂદેવને વિનંતી કરી કે મહારાજજી ! મારી એક ખાસ વિનંતી છે “આ મારો દીકરો તમારા પરિચયમાં છે. કાલે ઉઠીને આપત્તિમાં પૈસાની જરૂરિયાત પડે તો પણ દીકરાને એટલું સમજાવજો કે ભૂખે મરીશ પણ કોઈની પાસે હાથ નહી લંબાઉં. જીવનમાં આપત્તિ આવે એ નવાઈ નથી. એની વચ્ચે ખુમારી સાથે સંતોષપૂર્વક જીવે એટલું સમજાવજો.' પૈસા નહીં પૈસાનો સંતોષ એ જ મોટું સુખ છે એવી મહાન ઉક્તિ આપણા જીવનમાં સાર્થક કરશોને ! ૫. અણુ અણુમાં ગુરૂભક્તિ દાદરના એ આરાધક શ્રાવિકા રોજ જિનપૂજા, જિનવાણીશ્રવણ, સામાયિક, પ્રતિક્રમણાદિ અનેક ઉત્તમ આરાધનાઓ કરે. જીવનના અંતિમ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કર્યા. બેભાન જેવી અવસ્થા. એકવાર થોડું ભાન આવતા ૧-૨ જણ ડૉકટરને બોલાવા દોડ્યા. દીકરાઓને લાગ્યું કે માની જીંદગી હવે કેટલી બાકી છે તે ખબર નથી. લાવ, એમની અંતિમ ઈચ્છા પૂછી લઈએ !! “મા ! મા! તારી છેલ્લી ઈચ્છા જે હોય તે કહે”, મા ધીમે ધીમે આંખ ખોલી રહી છે. સહેજ આછુ દેખાવાનું ચાલુ થયું. નર્સ આવીને બાના પગ પાસે ઉભી રહી. બાને સામે જ ધોળા કપડા દેખાયા. દીકરાઓએ માને ટેકો આપી બેસાડી અને માને ફરી વાર છેલ્લી ઈચ્છા પૂછી. “મા ! તારી ભાવના હોય તે કહે. અમે પૂરી કરશું’ મા બોલી કે અરે ! આ સામે સાધ્વીજી ભગવંત ઉભા છે તેમને વહોરાવો ! વિકરાળ પરિસ્થિતિમાં પણ વિરાટ જીવો હૈયાવરાળ ક્યારેય કાઢતા નથી Resemary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ દીકરાઓ ક્યાંકથી બદામ લાવ્યા. માના હાથમાં આપી કહ્યું “મા ! તુજ વહોરાવને !” ટેકો આપતા મા થોડી આગળ વધી. નર્સને હાથ પહોળા કરવા સમજાવ્યું. મા હાથમાં બદામ વહોરાવવા આગળ વધ્યા. એકબાજુ બદામ હાથમાંથી છૂટી અને સાથે જ શરીરમાંથી હંસલો છુટી ગયો. અંતિમ સમયે આવા ઉત્તમ ભાવો હોય તેની સગતિ થાય એમ જ્ઞાનીઓનું વચન છે. આપણા અંતિમ સમયે ભાવ ક્યા?પ્રાયઃ જીંદગીભર કરેલા શુભ ભાવો જ અંતિમ સમયે શુભ ભાવ પેદા કરે છે તે ભૂલતા નહીં. ૬. સાધર્મિષ્ન શ્રેષ્ઠ સગપણ જૈન જગતમાં ખૂબ જાણીતું નામ એટલે શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ. વિ.સં.૧૯૯૮માં સિદ્ધાંતમહોદધિ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં અંધેરી મુકામે વિશાળ, ભવ્ય ઉપધાન તપ કરાવ્યા. એ કાળે એમાં કુલ ૧૦૬૬ આરાધકો જોડાયા હતા. શેઠશ્રી ના જીવનમાં અનેક સુંદર ગુણોનું દિગ્દર્શન નીચેના પ્રસંગો પરથી થશે. અમદાવાદની માંડવી પોળનો જીર્ણોધ્ધાર ૧ લાખ (એ કાળના) થી અધિક રકમમાં કરાવનાર શેઠશ્રી દાદરમાં એક ધાર્મિક પ્રોગ્રામમાં પ્રમુખસ્થાને હતા.પોગ્રામ દરમ્યાન પ-૬ ચિઠ્ઠીઓ આવી. વાંચીને ગજવામાં મૂકી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શેઠ પાછળના દરવાજેથી બહાર નીકળ્યા. ૫-ભાઈઓ મદદ માટે ઉભા હતા. દરેકને ૧૦૦ થી ૫૦૦ રૂપિયાની મદદ કરી. ઉપરાંત દરેકને હાથ જોડીને વિનંતી કરી કે તમે સહુ જ્યારે પણ જરૂર પડે ત્યારે મારી ઓફિસે પધારજો. તમે મને પુણ્ય બંધાવવા આવો છો, તમે આવો તો જ મને પુણ્ય બંધાય છે, તેથી તમે મારા ઉપકારી છો. આપણે પ્રવચનમાં આવ્યા પછી શું પ્રવચન આપણામાં આવ્યું? એ વિચારજો Jain education International For Personale.Dacate nelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ - જ - જ જન ૯ ના બજાજ - - - જો કે ઓફિસમાં ધંધો શેઠે હવે બંધ કર્યો હતો પરંતુ દાન આપવા જ જતા હતા. ક્યારેક કોઈ જ ન આવે તો પાંજરાપોળમાં પાંચસો રૂપિયા મોકલી આપતા કેમ કે દાન વગરનો દિન એમને સૂરજ ઉગ્યા વગરનો લાગતો હતો. એક વાર શેઠ ગૃહજિનાલયમાં પૂજા કરતા હતા. એક ભગવાન ગુમ થયાનું લાગ્યું. એક ભાઈ થેલીમાં કાંઈક વજનદાર લઈ જતા જોઈ બુદ્ધિમાન શેઠને ખ્યાલ આવી ગયો. ચોકીદારને કહ્યું કે પેલા થેલીવાળા ભાઈ જેવા બહાર નીકળે કે તુરંત મારા ઘરે જમવા લઈ આવજો. પ્રેમથી આમંત્રણ આપજો. જમ્યા વગર જવા નહી દેતા. શેઠ ઘરે ચાલ્યા ગયા. થેલીવાળો બહાર નીકળ્યો અને ચોકીદારે જમવાનું આમંત્રણ આપતા આનાકાની કરવા લાગ્યો. ચોકીદારે એને જવા ન દીધો અને શેઠના ઘરે લઈ આવ્યો. જમાડ્યા બાદ શેઠે ખૂણામાં લઈ જઈ પૂછયું કે કેટલી તકલીફ છે ? થેલીવાળાએ જવાબ આપ્યો કે દીકરીના લગ્ન છે, રૂપિયા ત્રણ હજાર (તે કાળના) જોઈએ છે ! શેઠે રૂા.૩૧૦૦ નું કવર ચાંદલો કરી આપ્યું અને પ્રભુજીને પાછા જિનાલયમાં પધરાવવા વિનંતી કરી. થેલીવાળા ભાઈએ શેઠને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસ્યા અને માફી માંગતા ફરી ભૂલ નહિ કરવાનો સંકલ્પ કર્યો. શેઠ કહે, “ગભરાઈશ નહિ. જે બન્યું તે ભૂલી જજે. ભવિષ્યમાં જરૂર પડે તો મારી પાસે આવજે પણ આવી ભૂલ ન કરતો.”ધન્ય છે શેઠની ઉદારતા! ગંભીરતા! સાધર્મિક ભક્તિ.! ૭. જિનભક્તિ શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, અમદાવાદમાં રોષકાળમાં રોકાયા બીજાના દોષોને માફ કરજો, સ્વદોષોને સાફ કરજો.' Jain Educatori TeTTauonar r orpersonala Private Use Omy www.jainenbrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ હતા ત્યારે એક આરાધક યુવક વંદન કરવા માટે આવ્યો. વંદન બાદ મને કહે કે પૂજ્યશ્રી ! આજે દેરાસરમાં બધા પ્રભુજીને ગુલાબના હાર ચડાવ્યા અને ખૂબ આનંદ આવ્યો. આવી રીતે રોજે રોજ હાર ચડાવીએ તો કાંઈ વાંધો ખરો ? મેં કહ્યું “આ તો શ્રાવકોનું ઉત્તમ કર્તવ્ય છે. પરમાત્માની અધિકાધિક ભક્તિ કરવાથી તીર્થંકર નામકર્મ પણ બંધાઈ શકે. એટલું જ નહી આગળ વધીને રોજ પ્રભુની આંગી માટે સુંદર મુગટ, આભૂષણો, હાર બનાવી શકાય અને પ્રભુની સુંદર આંગી બનાવી શકાય. જ્યારે ચૈત્યવંદનાદિ આરાધના પૂર્ણ થાય ત્યારે ઘરે પાછા જતી વખતે તે મુગટાદિ પાછા ઘરે લઈ જઈ શકાય. બીજે દિવસે ભક્તિ કરવા પાછા લાવવાના, આંગી કરવાની અને આરાધના પૂર્ણ થયા બાદ ઘરે પાછા લઈ જઈ શકાય. રોજેરોજ સુંદર આંગીની સામે ભક્તિ કરતા આનંદ ઉલ્લાસ વધે તો પુન્યાનુબંધી પુન્ય, નિર્જરાદિની પ્રાપ્તિ થાય.” યુવક સાંભળી આનંદિત થઈ ગયો. થોડા દિવસો બાદ મળવા માટે આવ્યો.ત્યારે ચાંદીનો સુંદર હાર બનાવડાવી લાવ્યો હતો અને એ દિવસથી એણે ચડાવવાની શરૂઆત કરી. પૂજા પૂર્ણ થયા બાદ પાછો લઈ જાય. કેટલાક ભાગ્યશાળીઓએ એને પૂછવા માંડ્યું કે પ્રભુને ચડાવેલું પાછું ઘરે ન લઈ જવાય. તમે કોઈ આચાર્ય ભગવંતને પૂછ્યું છે? આવા પ્રશ્નો કરવા માંડ્યા. વિચારવાનું એટલું જ છે કે ઘણાને આ અંગે ખ્યાલ હોતો નથી. પ્રભુને ફૂલ ચડાવ્યા પછી નિર્માલ્ય કહેવાય, જે બીજે દિવસે ન વપરાય, પરંતુ આભૂષણો તો બીજે દિવસે વાપરી શકાય અને આ Jain E શ્વાસ મૂકીને તો શ્વાન પણ જાય, સુવાસ મૂકીને જનારા મહાન. Omnxy.org Page #13 -------------------------------------------------------------------------- ________________ જનક - જલન - જલ ૧૧ - - - - - - - રીતે શ્રાવક રોજ ભક્તિ માટે લાવીને આંગી કરી શકે. પૂજા પૂર્ણ થયા બાદ ઘેર લઈ જઈ શકે. આવું જેને ખ્યાલ ન હોય તે વિરોધ કરતા હોય છે. દેહ પર શોભા માટે હજારો-લાખોના આભૂષણ કરાવનારા આપણે દેવ માટે કેટલા આભૂષણ બનાવવા તૈયાર છીએ? પ્રભુને તો રોજેરોજ વસ્ત્રાદિથી પૂજાના વિધાન શાસ્ત્રોમાં છે. રોજ સુંદર નૈવેદ્યનો થાળ ચડાવી શકાય. કાંદિવલીના અશોકભાઈ તો પોતાના ગૃહજિનાલમાં રોજ ૧ માણસ જમી શકે એટલી વસ્તુનો સુંદર થાળ બનાવી પ્રભુને અર્પણ કરે છે !! ૮. વિશિષ્ટ પ્રભુભક્તિ શેફાલી જૈન સંઘ,પાલડીના કેટલાક શ્રાવકો રવિવારના સવારે પોળોમાં આવેલા પ્રાચીન દેરાસરોમાં પૂજા કરવા જાય છે. દર રવિવારે આશરે પ-૭-૧૦દેરાસરની પૂજા કરતા કરતાં છેવટે બધા પ્રાચીન જિનાલયોના પ્રભુજીની પૂજા પૂર્ણ કરશે. ધન્ય છે તેમની પ્રભુભક્તિને !! ૯. વૃધ્ધ મહાત્માઓની ભક્તિ પૂ.પ્રવર્તક ધર્મગુપ્ત વિ.ની તબિયત અચાનક ખૂબ બગડી ગઈ. ડૉક્ટરે સલાહ આપી કે હવે એક જ જગ્યાએ રોકાવું પડશે. ટ્રીટમેન્ટ લાંબી ચાલશે. આંબાવાડી સંઘે પૂજ્યશ્રીને પોતાને ત્યાં રાખવાની વિનંતી કરી.આશરે ૧૧ વર્ષ સુધી ગુરૂભગવંતને પોતાના સંઘમાં સાચવ્યા, વૈયાવચ્ચનો લાભ લીધો. એમના કાળધર્મ બાદ સુંદર મહોત્સવ પણ કર્યો. પૂ.હર્ષઘોષ વિ.ને પણ તબિયતને લીધે ર-૩ વર્ષ આંબાવાડી સંઘે સાચવ્યા. પૂ.આ.શ્રી અજિતચંદ્રસૂરી અને પૂ.પં. આંખો આપનાર માને આંખ ચાલી જશે, ત્યારે સહાય કરીશ ને? Jain Education interna ---------------------- - horary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ ******* વિનીતચંદ્ર વિ.ને પણ ઘડપણમાં વિહાર ન કરી શકવાને લીધે શ્રી લક્ષ્મવર્ધક સંઘે વર્ષો સુધી ઉપાશ્રયમાં સાચવ્યા. વર્તમાનમાં ભૌતિકયુગમાં પણ સેંકડો દીક્ષાઓ સાધુ-સાધ્વીની થાય છે. સાધ્વીજીઓની સંખ્યા સાધુ કરતાં અનેકગણી છે. ઘડપણમાં વિહાર ન થાય ત્યારે લાંબો સમય રોકાવવા માટે શું કરવું? ઘણા ખરા સંઘોમાં ૪ કે ૭ દિવસના રોકાણથી વધારે રોકાણ ન કરી શકાય તેવા નિયમ ચોક્કસ કારણોસર હોય છે. તો હવે વૃધ્ધ સાધ્વીજીઓનું શું ? એટલે જ પ્રાઈવેટ ઉપાશ્રયો લેવા પડે પરંતુ તેમાં પણ વિરોધ ઘણી વાર આવતો હોય છે. સંઘોએ આ અંગે ખૂબ ઉંડાણથી વિચાર કરવા જેવો છે. આગળ પડતા શ્રાવકોની સાથે આપણે પણ વિચાર કરવો રહ્યો. જો કે રાજનગર-અમદાવાદના શ્રાવકોને ખૂબ ધન્યવાદ કે મોટા ભાગના સંઘોમાં ૫-૭ પ્રાઈવેટ ઉપાશ્રયો પૂ.સાધ્વીજી ભગવંતોના હોય છે, ગોચરી-વૈયાવચ્ચ બધુ સાચવી લે છે. ૧૦. મોક્ષનું મૂળ વિનય વાસણાના એ ધર્મિષ્ઠ શ્રાવિકા પોતાની સામાયિક-પૂજાદિ આરાધના ઉપરાંત સાધ્વીજી ભગવંતોની વૈચાવચ્ચ કરે છે. આગમો પણ સોનાની શાહીથી જાતે લખતા શીખીને આગમલેખનમાં પણ ભાગ લઈ રહ્યા છે. એમના સાસુ કાળ કરી ગયા તે નિમિત્તે સંઘના ઉપાશ્રયમાં પૂજા રાખી હતી. પૂજાના અઠવાડિયા પૂર્વે અન્ય કોઈ સાધ્વીજી ભગવંત કાળધર્મ પામતા સંઘે ત્રિદિવસીય જિનેન્દ્ર-ભક્તિ મહોત્સવ રાખ્યો હતો. એના દિવસોમાંથી એક દિવસ આ શ્રાવિકાના સાસુની પૂજા આવતી હતી. પહેલેથી પોતે નોંધાવ્યું હતું, નકરો ભર્યો હતો છતાં સંઘે પતિના સાસુ-સસરાને જ ખૂબ સાચવનારી વહુઓને ધન્યવાદ (?) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂછાવતા તુરંત હા પાડી કે પહેલા સાધ્વીજી ભગવંતના મહોત્સવની પૂજા એ દિવસે હોય તો ભલે હું થોડા દિવસ પછી અમારી પૂજા ગોઠવીશ. ખરેખર એમણે સાસુની પૂજા થોડાક દિવસ પછી રાખી સગા-સંબંધીઓને સમાચાર મોકલાવી દીધા. ધન્ય છે તેમની સંઘભક્તિ, સાધુ ભક્તિને !! છેવટે આપણે એટલું તો કરી શકીએ કે પક્ષાલની લાઈનમાં ઉભા રહ્યા પછી કોઈક વચ્ચે ઘૂસી જાય તો ઉચાટ કે ઉકળાટ કર્યા વગર એને આવકાર આપીએ તો સંઘ, સાધર્મિક આપણા હૃદયમાં વસ્યા કહેવાય. ૧૧. ફ્રી જેન રીડીંગ લાયબ્રેરી ઓપેરા જૈન સંઘમાં નૂતન આયંબિલ ખાતાનું નિર્માણ થયા બાદ સુબોધભાઈ ટ્રસ્ટીએ વિચાર કર્યો કે આયંબિલ ખાતાના ઉપરના માળનો હોલ પૂજાદિ અનુષ્ઠાનો માટે રાખેલ છે. વધુ આયંબિલ થાય તો ઉપર પણ વ્યવસ્થા કરી શકાય. પરંતુ મોટે ભાગે હોલનો ૭-૧૦ દિવસે કે મહિને એકવાર ઉપયોગ થાય છે. એમનેમ હોલ ખાલી પડ્યો રહે એના કરતાં કાંઈક સદુપયોગ થાય તો સારું. સદ્દબુદ્ધિથી વિચાર કર્યો કે જૈનોના કોલેજદિમાં ભણતા ઘણા છોકરા-છોકરીઓને કોલેજનું વાંચવું હોય તે માટે શાંતિપૂર્ણ સ્થાન મળે તો એકાગ્રતાથી સારી રીતે વાંચી શકે. પૂછતા ખબર પડી કે ઘણા જૈન કોલેજિયન યુવાનો દુરદૂર લાયબ્રેરીમાં સવારથી ટીફીન લઈ વાંચવા જાય અને છેક સાંજે પાછા આવે.એનાકરતા ઉપરના હોલમાં જ એની વ્યવસ્થા ગોઠવીએ તો કેમ? બધા ટ્રસ્ટીઓને આ અંગે સમજણ આપી અને જણાવ્યું કે એક વાર શરૂઆત કરી જોઈએ પછી આગળની વાત આગળ. જાહેરાત (જન્મકાલે મા-બાપે પેંડા વહેંચ્યા, આજે દીકરા મા-બાપને વહેંચે છે.) Jain Ex. ના નિમ-- -- - ----------- - - કોમrrere dy.org Page #16 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ૯૯૯૯૯-૧૧૪ - - - - - - - - કરાવતા યુવાનો ભણવા આવવા લાગ્યા. સ્પેશ્યિલ પાસ બનાવડાવ્યા. દરેકે રોજ પાસ સાથે લાવવાના. ચોપડામાં આવ્યા ગયાના સમયની નોંધ કરવાની. સંપૂર્ણ શાંતિપૂર્વક વાંચન કરવાનું. વાતો કરવાની મનાઈ. બાજુમાં જ ભોજનશાળા ચાલે એટલે બપોરે વિદ્યાર્થીઓ ત્યાં પોતાના પૈસે જમી લે. સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી વાંચવા રોકાઈ શકાય. પરીક્ષાના દિવસોમાં રાત્રે ૧૨ સુધી રોકાઈ શકાય. આજુબાજુવાળાને તકલીફ ન પડે તે માટે પાર્કિંગની વ્યવસ્થા વિદ્યાર્થીઓને સમજાવી દીધી. લાયબ્રેરીમાંથી ઉતર્યા પછી પણ આશરે ૧૦૦ મીટર દૂર ગયા પહેલા વાતો કરવા રસ્તા પર ઉભા નહિ રહેવાનું-શિસ્તનું પાલન કરે તેની પર ધ્યાન આપતાં. | નાના નિયમોનું લીસ્ટ તેઓને આપે. ઈચ્છાપૂર્વક જે નિયમો લે તે લખાવવાના, ૨-૩ વાર રસપૂરીનું જમણ ગરીબોને કરાવ્યું, એ પણ વિદ્યાર્થીઓના પોતાના ખર્ચે જ. ૨-૩ વાર બ્લડ ડોનેશન વિદ્યાર્થીઓએ કર્યું. વર્ષમાં ૨-૩ વાર વિદ્યાર્થીઓનું સામૂહિક સરસ્વતી પૂજનાદિ અનુષ્ઠાન પણ રાખે છે. પૂજનમાં વિદ્યાર્થીઓને ખૂબ આનંદ આવી ગયો. પોતાના પૈસા ભેગા કરીને વિદ્યાર્થીઓએ હોસ્પિટલાદિમાં ફ્રુટ વિતરણ કાર્યક્રમ કર્યો. ક્યારેક ગુરૂભગવંતના પગલા કરાવી વિદ્યાર્થીઓને હિતશિક્ષા પણ અપાવે. પછી તો વિદ્યાર્થીનીઓની પણ માંગ આવવાથી એમને પણ હા પાડી. વચ્ચે પાર્ટીશન કરી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની જગ્યા અલગ રાખી છે તેમજ દાદરા પણ આવવા જવાના અલગ રાખ્યા છે. જગ્યા મૂળ તો આયંબિલખાતાની. એ જગ્યામાં લોકોએ આયંબિલાદિ માટે દાન આપેલું છે તો શિક્ષણનું કામ કેવી રીતે ( બચપણમાં ભયમાં માની યાદ, આજે માની યાદથી ભય (?) ) Jain Sા કાકા- કાદા ---- કામ--- ---- -- - - Swe ary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ ----- -------જલ૧૫ - - - - - - - - થાય? આવો દોષ ન લાગે માટે લોકોને પ્રેરણા કરી મહિને અમુક રકમ નકરા પેટે નક્કી કરી આયંબિલખાતામાં લાયબ્રેરી નિમિત્તે જમા કરાવે. સાથે લાઈટ-પંખાનો ખર્ચો પણ અપાવે. જ્યારે પૂજા-પૂજન હોય ત્યારે લાયબ્રેરીની રજા. ક્યારેક સાધ્વીજી ભગવંતને ઉતરવાની જરૂર પડી તો લાયબ્રેરી ની રજા. આવુ તો વર્ષમાં ૧૫-૨૦ વાર. ઘણા સંઘોમાં વધારાની જગ્યા પડી હોય છે. કોઈક પુન્યશાળી મહેનત કરે, જવાબદારી લે તો આવું કાર્ય ગોઠવાઈ શકે. આવા વિદ્યાર્થીઓ આગળ જતા જૈન શાસનના કાર્યો પણ કરે. ધ્યાન એટલું રાખવું કે એનો નકરો સર્વ સાધારણમાં સંઘમાં નક્કી થયા મુજબ ભરાવી દેવો જેથી દોષ ન લાગે. આ જ રીતે વૃધ્ધોની લાયબ્રેરી પણ વિચારી શકાય. ઘણાનાં ઘરોમાં ધાર્મિક પુસ્તકો, ધાર્મિક મેગેઝીનો, વાર્તાના પુસ્તકો પડ્યા હોય તે અહી આપી જાય તો વૃધ્ધો ત્યાં બેસીને વાંચી શકે. ૧૨. પૂર્વજન્મ - પૂનર્જન્મ બોરિવલી, દોલતનગરના સેવંતીભાઈ પ-૭ વર્ષ પૂર્વે મળ્યા ત્યારે ઉંમર આશરે ૮૮ વર્ષ. નાનપણમાં ૫ વર્ષની ઉંમરે પૂર્વના ભવોનું જાતિસ્મરણ જ્ઞાન થયું હતું.' ૫ વર્ષના સેવંતીએ બધાને કહેવા માંડ્યું કે હું ગયા ભવમાં બ્રાહ્મણ હતો. ૨૦-૨૫ વર્ષ જીવ્યો હતો, પરંતુ તે ભવનું ખાસ યાદ નથી આવતું પરંતુ એની આગલો ભવ હું પાટણમાં રહેતો હતો. એ ભવની ઘણી બધી વાતો કહેવા માંડી. માતા-પિતા, લોકો આશ્ચર્ય પામતા. પાટણ લઈ ગયા તો સેવંતીએ જે પ્રમાણે ઘર, કુટુંબાદિની Family - Father and Mother I Love You Jain e ------- -- ---- - બનાના છ ay.org Page #18 -------------------------------------------------------------------------- ________________ -------------{૧૬ - - - - - - - - - વાતો કરી તે સત્ય નીકળી. અનેક લોકો સેવંતીને ઉલટ તપાસ કરવા આવતા અને તાજુબ થઈને જતા. વડોદરાની ગાયકવાડ સરકારને ખબર પડતા તેની તપાસ કરવા મોટર લઈને માણસોને મોકલ્યા. માણસોએ પૂછતાછ કરી. ઉંધુ ચત્ત- જાત જાતના પ્રશ્નો પૂછી ઘણી તપાસ કરતાં સત્ય સમજાયું. સેવંતી એમને એક દુકાને લઈ ગયો કે જે દુકાનમાં પોતે ૪૦ વર્ષ પૂર્વે પૂર્વના ભવમાં નોકરી કરતો હતો. દુકાનના શેઠિયાઓ પાસે ૪૦ વર્ષ પહેલાનાં ચોપડા જે ધૂળ ખાતા ક્યાંક માળિયાદિમાં હતા તે નીચે ઉતરાવ્યા. સેવંતીએ કહ્યું કે આ ચોપડામાં આ તારીખમાં આ વ્યક્તિના ખાતામાં આટલી રકમ જમા-ઉધાર બોલે છે. તે તમે જોઈ લો. દુકાનના માલિકને ય ખબર નહોતી એવી ચોપડાની ઘણી વાતો મોઢે કહી બતાવી ત્યારે બધાને માનવું પડ્યું કે અમારે ત્યાં નોકરી કરનાર મુનિજ મર્યા બાદ સેવંતી બન્યો છે. આ ભવની સેવંતીભાઈની બેન આગલા ભવમાં તેમના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી જે આજે સગીબેન તરીકે જન્મ લીધો છે !! મૃત્યુ એ અંત નથી પરંતુ એક સ્ટેશન છે. અનાદિકાળથી આપણો આત્મા કર્મના પ્રભાવે જુદાજુદા જન્મ લે છે અને મરે છે. આવી અનેક વાતો ભગવાનની આજે પણ સત્ય સાબિત થાય છે. રાજીવગાંધી મરીને ચેન્નાઈની ઝૂંપડપટ્ટીમાં મનિષ ત્રિપાઠી તરીકે જન્મ્યો છે તેના પણ પુરાવા મનિષ ત્રિપાઠીએ આપ્યા છે. માધવરાવ સિંધિયા જે પ-૭ વર્ષ પૂર્વે પ્લેન ક્રેશ થતાં માર્યા ગયા તે પણ મધ્યપ્રદેશમાં આશીષ નામના છોકરા તરીકે જન્મ્યા છે તેના પુરાવા મળ્યા છે. (વેઢે ગણાય એટલી મૂડીમાં મોટા કરનાર મા-બાપને આજે રેઢા ન મૂકતા.) Jain E - --------- - -- -- --- - - www.jatremorary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આવા તો ઢગલાબંધ કિસ્સાઓ આજે પણ મળે છે. શાશ્વત એવા આત્માના શાશ્વતા સુખ-મોક્ષ માટે કાંઈક પુરુષાર્થ કરીએ તો આપણી શ્રધ્ધા સાચી !!! ૧૩. દેવ - ગુરૂભક્તિ લક્ષ્મીવર્ધકના ભાનુબેન, બંગલામાં એકલા રહે. એક સાધ્વીજી ભગવંત લાંબુ રોકાઈ શકાય માટે એક સ્થાન શોધતા હતા. ભાનુબેન એમને ઓળખતા ન હતાં છતાં પોતાના બંગલાની ઉપર આખો માળ બંધાવ્યો. પૂ.સાધ્વીજીને વિનંતી કરી છેલ્લા ૧૨-૧૩ વર્ષથી પોતાને ત્યાં ઉતાર્યા છે. ધન્ય છે ગુરૂભક્તિની ભાવનાને !! દેરાસર-ઉપાશ્રય જેવા ધર્મસ્થાનો એ શાંતિને આપનારી, પુન્યાનુબંધી પુન્ય ઉપાર્જન કરવાના સ્થાનો છે. માટે એટલું તો નક્કી કરવું કે થાય તો ધર્મ કરશું પણ ન થાય તો ધર્મમાં અંતરાય તો ક્યારેય નહી જ કરીએ. વાસણા વિસ્તારમાં પટેલ બિલ્ડરે દેરાસર માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં ફ્લેટમાં વેચાતી જગ્યા આપ્યા બાદ ઉપરના ૧-૨ ફ્લેટવાળા એ અંગે ફરિયાદ કરવા ગયા. બિલ્ડર કહે કે તમને ન ફાવતું હોય તો તમારા ફ્લેટના ભરેલા પૈસા પાછા લઈ લો અને ફ્લેટ ખાલી કરી નાખો. હું બીજાને વેચીશ પણ દેરાસર તો થશે જ. તમે થાય તે કરી લો. ધન્ય છે પટેલની ધર્મભક્તિને !!! એ જ દેરાસરની પ્રતિષ્ઠા વખતે ગુરૂપૂજનનો મોટો રકમનો ચડાવો પટેલ બિલ્ડરે લીધો હતો !! અમદાવાદના એક ભાગ્યશાળીને સમાચાર મળ્યા કે બાજુનો ફ્લેટ સાધ્વીજી મ.સા. માટે લેવાઈ રહ્યો છે. અજ્ઞાનતાને લીધે ખૂબ વિરોધ કર્યો. પોલીસ કેસ આદિની સહુને ધમકી આપી. સમજુ, મહાન (?) દીકરાના ઘરમાં પત્ની એ રાજરાણી, મા એ નોકરાણી. Jain Edua WvtzR******y.org Page #20 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ૧૮ - - - - - - - - - - - - - સજ્જને સમજાવ્યું કે જો ભાઈ ! સાધ્વીજીઓને ઘડપણમાં કોઈક જગ્યા જોઈએ તો એમની રહેવાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. છેવટે એમના સગા કરતા હોય તો આપણે વિરોધ ન કરાય. પરંતુ ન સમજ્યા. છેવટે ફલેટ ન લેવા દીધો. થોડાક જ દિવસોમાં શરીરમાં ભારે રોગ થયો. ખૂબ વેદના થવા લાગી. છેવટે થોડા દિવસો બીમારી ભોગવી કાળ કરી ગયા. આ જ વિસ્તારમાં દેરાસર બનવાનો વિરોધ કરનાર ભાઈ આજે પણ એ પાપનું પરિણામ ભોગવી રહ્યા છે. પૈસો ખલાસ થઈ ગયો, જુવાનજોધ પુત્ર અચાનક ચાલ્યો ગયો. જગ્યા વેચીને બીજે રહેવા ચાલી જવું પડ્યું. ૧૪. શ્રુતજ્ઞાનભક્તિ અમદાવાદનાં શાંતિનગરની પાઠશાળામાં આશરે ૪૦૦ થી વધુ સંખ્યા આવે છે. મુખ્ય સંભાળનારા જે.વી.શાહ પોતે તન-મન નધનથી ભક્તિ કરી રહ્યા છે. સતત પાઠશાળાનું ધ્યાન રાખે છે. અનેક શિક્ષકો વિવિધ સમયે ભણાવવા આવે છે. આરાધકો હોંશે હોંશે ભણે છે. વિવિધ પ્રભાવનાઓ સ્પર્ધાઓ પણ ચાલુ ને ચાલુ. જૈન સોસાયટીમાં પણ પાઠશાળામાં ૨૫૦-૩૦૦જેવી સંખ્યા છે. કમલેશભાઈ વિ. ખૂબ સારી રીતે ધ્યાન રાખી શ્રુતજ્ઞાનની ભક્તિ કરી રહ્યા છે. અમદાવાદની જેમ મુંબઈ આદિમાં પણ આવી પાઠશાળાઓ જોરદાર ચલાવવામાં મુખ્ય ફાળો અમુક ચોક્કસ ભાગ્યશાળીઓ, ટ્રસ્ટીઓનો છે તેઓને લાખ લાખ ધન્યવાદ!!! અનેક સ્થાને ટીનીમીની વજસ્વામી પાઠશાળાઓમાં અનેક શ્રાવિકાઓ ઘરનું કામ છોડીને પણ ૩ થી ૭ વર્ષના બાળકોને મોઢે સૂત્રો બોલાવી ભણાવી રહ્યા છે. અનુમોદના વારંવાર !!! ( જેણે બોલતા શીખવાડ્યું તેને જ આજે ચૂપ રહેવાની ધમકી? For Personal & Private Use Only 'WWW.jainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯ *** ૧૫. ભાવતપ અને સમાધિ એક શ્રાવિકાને વર્ષીતપની ભાવના જાગી, રંગેચંગે વર્ષીતપ પૂર્ણ કર્યો. હવે વર્ષીતપ હૃદયમાં વસી ગયો એટલે બીજા વર્ષીતપ માટે શ્રાવકને વાત કરી પરંતુ શ્રાવકે ના પાડી. ત્યાર પછી સળંગ આશરે ૫ વર્ષથી સળંગ બે દિવસ ક્યારેય ખાધુ નથી. વર્ષીતપની જેમ એકાંતરા ઉપવાસ ચાલુ છે. પારણાના દિવસે શ્રાવકની સાથે એમને ખરાબ ન લાગે માટે સવારે ૧ કપ ચા વાપરે. બાકીના દિવસમાં બેસણાની જેમ બે સમય એક જગ્યાએ બેસીને વાપરી લેવાનું. બીજે દિવસે ઉપવાસ. ભાવથી વર્ષીતપ કરનારા આ તપસ્વી શ્રાવિકાને લાખ લાખ ધન્યવાદ !!! આ જ શ્રાવિકાનો જુવાનજોધ એકનો એક દીકરો અચાનક કાળ કરી ગયો. મા હોવાથી આઘાત તો અનુભવ્યો પરંતુ ધર્મની સમજણ એટલી સારી કે શ્રાવકને કહે કે એનું આયુષ્ય પૂર્ણ થયું હશે, આપણો ઋણાનુંબંધ પૂર્ણ થયો હશે, તો એ ચાલ્યો ગયો. ૧૬. જિનશાસનનું ઝળહળતું રત્ન એ યુવાનના ઘરે રાતના સમયે અધિકારીઓએ રેડ પાડી. આવેલ માલ ખોટો છે તેવી ફરિયાદ સામેવાળી પાર્ટીએ કરતાં અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. દૂરના ગોડાઉન ઉપર લઈ ગયા બાદ એક પછી એક વસ્તુઓનું ચેકીંગ ચાલ્યું. એક સાથે ૩૦૩૫ અધિકારીઓ અને ૪૦જેવા સ્ટાફના માણસો તપાસ કરી રહ્યા હતા. યુવાને જે પ્રમાણે માલ લીધેલો, આપેલો તેની વિગતો સંપૂર્ણ આપી. વાતો પરથી અધિકારીઓને લાગ્યું કે યુવાનની વાતો સાચી છે. બીજે દિવસે આખો દિવસ ચેકીંગ ચાલ્યું. જમવા માટે અધિકારીઓનું ખાવાનું હોટલમાંથી આવવાનું હતુ. યુવાનને કહે કે તારું ય જોડે મંગાવી લઈએ. યુવાન કહે કે હું હોટલનું ખાતો નથી બચપણમાં લાચાર હતા ત્યારે જેણે સાચવ્યા તેમની લાચાર અવસ્થામાં તું સાચવી લેજે. For P Sally.org Page #22 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - ૨૦) નાના નાના નાના નાનાને બહારનું પાણી પણ પીતો નથી. હું ઉકાળેલું પાણી પીવું છું. મારા ઘરે જણાવી દઈશ તો મારા ઘરેથી ટીફીન લઈને આવશે. છેવટે અધિકારીઓએ ઘરે ફોન કરવા દીધો. પત્ની જ્યારે ટીફીન લઈને આવી ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે તારા પતિનો કોઈ વાંક નથી લાગતો. તમે ચિંતા નહી કરતા. ગભરાવા જેવું નથી અને ગોડાઉનને સીલ નહી મારીએ. એ યુવાનની ઉંમર આશરે ૩૯ વર્ષ. નામ એનું રીતેશ. થોડા વર્ષો પૂર્વે ગુટકાનો શોખીન હતો પરંતુ કોઈ સારા નિમિત્તે ગુટકા છોડી. ૨ વર્ષ પૂર્વે મહેસાણાના પોતાના મિત્રે દીક્ષા લીધી હતી, તે મ.સા.નું ચાતુર્માસ મહેસાણા હતું. વારંવાર સંપર્કમાં આવતા ચૌવિહાર આદિ અનેક આરાધનાઓ જીવનમાં આવતી ગઈ. વર્ધમાન તપ આયંબિલનો પાયો નાંખ્યો. પૂજયશ્રીની પ્રેરણાથી ધર્મના ક્ષેત્રમાં મક્કમતાપૂર્વક આરાધના વધારતો ગયો. હોટલ વિગેરે બહારનું ખાવાનો સંપૂર્ણ ત્યાગ. લગ્નાદિ સંસારના કોઈ પણ પ્રસંગમાં જવું નહિ. બીજા ઘણાં નિયમો જેવા કે પરિગ્રહ પરિમાણાદિ પણ સારી રીતે પાળે છે. રીતેશના ધંધામાં પૂર્વ કર્મોદયે આપત્તિ આવી પરંતુ હવે ધર્મની સમજના પ્રભાવે આપત્તિનો સહર્ષ સ્વીકાર હતો, સમાધિ રાખી શક્યો હતો. બીજે દિવસે અધિકારીએ ગાંધીનગર બોલાવ્યો. પૂછતાછ ૪-૫ કલાક ચાલી. વચ્ચે માણસ પાણી લઈને આવતો પણ રીતેશ લેતો ન હતો. અધિકારીએ પૂછ્યું કે પાણી કેમ નથી લેતો? રીતેશ કહે કે હું ઉકાળેલું પાણી પીવું છું. ઓફિસની બહાર વોટરબેગ છે તેમાં પાણી છે. અધિકારીએ બહારથી એની વોટરબેગ મંગાવી આપી. જરૂરી તપાસ માટે સાંજે અમદાવાદ આવવા નીકળ્યા. વોટરબેગ ઓફિસમાં ભૂલાઈ ગઈ. રીતેશે ( અક્કલ આપનારી માને અક્કલ વગરની કહેતા વિચારજો. ) Jain Education Tematorral or personal Private use www.jame brary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ નાના નાના નાના-નાના-મ૨૧) -------------- વિનંતી કરી કે સાંજે સૂર્યાસ્ત પહેલાં વોટરબેગનું પાણી કાઢી નાખવું પડે. અર્જન અધિકારીએ ફોન કરી ઓફિસમાં રહેલા માણસ પાસે પાણી ઢોળાવી દીધું. પરંતુ “અત્યારે સૂર્યાસ્તની તૈયારી અને પાણી હમણાં નહીં પીવે તો આખી રાત ગરમીમાં કેવી રીતે કાઢશે.” એ વિચારે અધિકારીએ આજુબાજુમાં ઉકાળેલા પાણી માટે જાતે તપાસ કરાવવાની ચાલુ કરી !!! છેવટે પાણી ન જ મળ્યું અને અધિકારીને અફસોસ રહી ગયો. ઘણા બધાનું કહેવું હતું કે આવી પરિસ્થિતિમાં તો ઘણાં કેસોમાં માણસ જેલમાં જ હોય પરંતુ તું હજી શાંતિથી ફરી શકે એ ખરેખર ભગવાનની કૃપા કહેવાય. એક વાર સાડા ત્રણ વર્ષનો રીતેશનો દીકરો પહેલા માળે ગેલેરીમાંથી નીચે પડ્યો. ૧૭ ફુટ ઉંચાઈ. બધાને થયું કે જીવવાની શક્યતા નથી. નીચે દોડતા પહોંચ્યાં. પછી જોયું કે આંખની પાંપણ નીચે ઘા લાગ્યો છે તથા હાથે ફ્રેશ્ચર થયું હતું. ડૉક્ટરે ટાંકા લીધા અને હાથે ફેક્ટર માટે પ્લાસ્ટર કર્યું. બીજી કોઈ ઈજા થઈ ન હતી. ૧૭ ફુટ ઉપરથી પડે અને છોકરો બચે એ આશ્ચર્ય! આને કહેવાય દેવ-ગુરૂ-ધર્મની કૃપા !! થોડા દિવસ બાદ ટાંકા તોડાવવાનો દિવસ આવ્યો. ડૉક્ટર પાસે રીતેશ અને શ્રાવિકા ઉભા હતાં. નીલેશને લોચ કરાવવાની ભાવના ઘણા સમયથી હતી. આ જ સમયે લોચ કરવાવાળા શ્રાવકના સમાચાર આવ્યા કે હમણાં આવો તો લોચ કરવાની અનુકૂળતા છે. પછી નહી ફાવે. શ્રાવિકાબેન કહે કે તમે ચિંતા નહીં કરો. હું અહીં છું તમે લોચ કરાવવા જઈ આવો !! રીતેશે જીંદગીનો પ્રથમ લોચ સહર્ષ કર્યો. એક વાર શ્રાવિકા મુંબઈ ગયા હતા ત્યારે ૯ વર્ષની દીકરી પડી ( મારો સ્વભાવ બેસ્ટ અને મા નો સ્વભાવ વેસ્ટ કે ઉલટુ? Eer Personal: Putous.co. in.lib.ey.org Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨૨** ગઈ. દાંતમાંથી લોહી નીકળવા માંડ્યું. રાતનો સમય. ચોવિહાર થઈ ગયો હતો. બધા કહે કે ડૉક્ટર પાસે લઈ જાવ. ચોવિહાર દીકરીને તૂટે તેનું પ્રાયશ્ચિત લેવડાવી દેજો. રીતેશ કહે કે મારે દીકરીનો માત્ર આ ભવનો નહી પરભવનો પણ વિચાર કરવાનો છે. દીકરીને પૂછ્યું, “તને સહન થાય તો કાલે સવારે ડૉક્ટર પાસે જઈશું નહિતર અત્યારે. બોલ શું કરવું છે ?” દીકરી કહે કે મેં ચોવિહાર કર્યો છે. રાત્રે મોઢામાં પાણી ન નંખાય. કાલે સવારે જઈશું. ખરેખર દીકરીએ આખી રાત સહન કર્યું. સવારે નવકા૨શી બાદ ડૉક્ટર પાસે ગયા. ત્યારે પણ દાંતમાંથી થોડું લોહી ચાલું હતું. કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે !! એક વાર રીતેશ સાંજનું પ્રતિક્રમણ કરવા નીકળતો હતો. ઓફિસેથી ફોન આવ્યો કે ઓફિસનો એક માણસ ગોડાઉનમાંથી ૧-૨ લાખનો માલ ચોરી કરી ટ્રક ભરીને જાય છે. રીતેશે પેલા માણસને ફોન કરીને કહ્યું કે મને સમાચાર મળી ગયા છે તારે જે લઈ જવું હોય તે લઈ જજે. પરંતુ એટલી વાત નક્કી કે હું તને નોકરીમાંથી છૂટો નથી કરવાનો. તારે નોકરી તો ચાલુ જ રાખવાની છે. ફોન મૂકી રીતેશ પ્રતિક્રમણ કરવા પહોંચી ગયો. “પૈસા જાય તે ચાલશે પરંતુ પ્રતિક્રમણ રહી જાય તે નહી ચાલે.” કેવી દૃઢ ધર્મભાવના !! અનુમોદના !! બીજે દિવસે સવારે ઓફિસે પહોંચ્યો ત્યારે પેલા માણસે બધું પાછું સોંપી દીધું. આજે રીતેશ ઉત્તમ આરાધના કરી રહ્યો છે. સવાર-સાંજ પ્રતિક્રમણ, બિયાસણા, જિનવાણીશ્રવણ, મધ્યાહ્ન કાળની પૂજા આદિ આરાધના સુંદર ચાલે છે. આજુબાજુના અનેક યુવાનોને ચોવિહાર છઠ્ઠુ કરીને સાત Jain duc Dog is a Status & Mother is a destatus. ternational For Personal & Private Use Only www.lainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ નાના નાના નાના ૨૩e ----- જાત્રા, પૂજા, વ્યાખ્યાનાદિમા પ્રેરણા કરી જોડી રહ્યો છે. લાખો ધન્યવાદ છે કે કલિકાલમાં પણ આવા સત્ત્વશાળી આત્માઓ જૈન શાસનને શોભાવી રહ્યા છે. તમે વાંચ્યા બાદ એટલું તો કહી શકશો કે ધર્મક્ષેત્રમાં હમ ભી કીસે સે કમ નહિ !! ૧૭. એક પ્રશ્નથી અજવાળું “પપ્પા! આજે અમને પાઠશાળામાં ગુરૂજીએ સમજાવ્યું કે જે કંદમૂળ ખાય, રાત્રિભોજન કરે તે નરકમાં જાય. જુવો પપ્પા! તમે અને મમ્મી બંને કંદમૂળ ખાવ છો એટલે તમે તો નરકમાં જવાના એ વાત નક્કી !! પરંતુ પછી મારું કોણ? - સાબરમતી, અમદાવાદના એ ભાગ્યશાળી પંકજભાઈ. પત્ની સાથે રાત્રે જમતા હતા ત્યારે ૧૧ વર્ષના દીકરાએ પાઠશાળાએથી પાછા આવીને ઉપરનો પ્રશ્ન કર્યો. આમ તો પંકજભાઈ ના માતા-પિતા ધાર્મિકવૃત્તિવાળા. માતા-પિતા બંનેએ પ્રથમ ઉપધાન પણ કરેલ હતું પરંતુ પંકજભાઈને ધર્મ ગમતો ન હતો, માવાનું વ્યસન પડી ગયેલું એટલે ટેવ છૂટતી ન હતી. સાંજે માતાપિતા ચોવિહાર કરે, રસોઈ વહેલી તૈયાર થઈ જાય, પંકજભાઈને કહે કે જમીને જા, પરંતુ પંકજભાઈને રાત્રે જ ખાવા જોઈએ. પતિપત્ની કંદમૂળ પણ ખાતા. તપસ્વી આ.શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજીનું ચાતુર્માસ સાબરમતીમાં થયું ત્યારે શ્રાવિકાએ પર્યુષણમાં ૯ ઉપવાસ કર્યા, દીકરો ઘણી વાર મ.સા. પાસે જતો. પાઠશાળાથી આવીને જ્યારે કંદમૂળ અને નરકગમનની વાત અંગે પ્રશ્ન કર્યો ત્યારે પંકજભાઈ વિચારમાં પડી ગયા. એક જોરદાર ઝાટકો લાગ્યો. નાનપણમાં અઠ્ઠાઈ કરેલી. નાનપણમાં ધર્મના જે બીજ પડ્યા હતા તે અત્યારે ( ઘરડાઘરમાં મૂકનારનાં મા-બાપે નાનપણમાં અનાથાશ્રમમાં નમૂક્યોતે મોટી ભૂલ. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ નજ જન જન ના ના નામ ૨૪) ના નાના નાના નાના-નાઉપયોગી બન્યા. દીકરાના પ્રશ્ન પછી બાપે કંદમૂળને કાયમ માટે અલવિદા કરી દીધા. ચાતુર્માસમાં ઉપધાન થવાના હતા. દીકરાએ પપ્પાને ફોર્મ બતાવી સહી કરવાનું કહ્યું. પંકજભાઈએ ઘણું સમજાવ્યું કે તું નાનો છે. તારાથી ન થાય. ૪૮ કલાકે ખાવાનું એકવાર મળશે. રાત્રે પાણી પણ નહી પીવાય વિગેરે ઘણું ઘણું. પરંતુ દીકરો મક્કમ હતો. મારે તો કરવું જ છે. આખરે પિતાએ ફોર્મ ભરી સહી કરી આપી. ઉપધાન પૂર્વે પૂજયશ્રીને મળવા ગયા ત્યારે પૂજ્યશ્રીએ મમ્મીને પ્રેરણા કરી કે તમે પણ ઉપધાન કરી લો. ઉપધાનની શરૂઆતને માત્ર ૯ દિવસ બાકી હતા. ઘરમાં માતા-પિતાને થોડી તકલીફ હતી. પરંતુ પત્નીને પણ ભાવના જાગતા પંકજભાઈએ હા પાડી. પત્નીનું ફોર્મ ભરાયું. ઉપધાન પ્રવેશના આગલા દિવસે રાત્રે પત્ની કહે કે તમારે આવતી કાલે રવિવારની રજા છે. તમે એક દિવસ કરી તો જુવો પછી સોમવારે સવારે પાછા આવતા રહેજો. પંકજભાઈ વિચારે કે છેલ્લા કેટલાય વર્ષોમાં માવાના વ્યસનને લીધે સંવત્સરીના પણ બેસણું નથી કર્યું. ઉપધાનમાં તો એકાંતરે ઉપવાસ પર નવી એકાસણું આવશે. ના, ના, મારાથી નથાય. વિધિ કંઈ આવડે નહિ. નવકાર સિવાય એકેય સૂત્ર આવડે નહિ. પરંતુ વારંવાર ધર્મપત્ની ના આગ્રહથી છેવટે એક દિવસનું વિચાર્યું. આશ્ચર્ય સર્જાયું. એક દિવસ માટે ગયેલા પંકજભાઈએ આખું ઉપધાન સહપરિવાર પૂર્ણ કર્યું. પછી તો જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. રાત્રિ ભોજન ને માવા તો રવાના થઈ ગયા. પરંતુ હાલમાં બે પ્રતિક્રમણ જેટલા સૂત્રો કંઠસ્થ કર્યા. તત્ત્વજ્ઞાનના વર્ગમાં જતા થઈ ગયા છે. રોજ જિનવાણીશ્રવણ, પ્રતિક્રમણ પણ કરે છે. ખરેખર આપણને ભણાવનાર મા-બાપ હવે અભણ લાગે છે. For Personalatvate use only www.jamemorary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ જ નાના - - - - - -જલ૨૫) ના નાના- નાના નાનાદીકરાના એક પ્રશ્નથી પરિવર્તન પામેલા પંકજભાઈની નાવ ધર્મમાર્ગે પૂરપાટ દોડી રહી છે. રાત્રે પોતાના ઘરમાં પાણી પણ કોઈને આપતા નથી. સજોડે વર્ષીતપની આરાધના પણ કરી. વર્ષીતપમાં બિયાસણાના દિવસે પણ સૂર્યોદય પછી જ ચૂલો ચાલુ કરવાનો. શાક પણ પછી જ સુધારવાનું. પોરિસીના પચક્કખાણ પહેલા બિયાસણું નહીં કરવાનું. વર્ષીતપ શરૂ કર્યા પછી મહિના પછી પંકજભાઈના મમ્મી પડી ગયા, પગમાં ફ્રેક્ટર આવ્યું છતાં બંનેએ વર્ષીતપ ચાલુ જ રાખ્યો. શ્રાવિકાને ધન્યવાદ કે સાસુને ફ્રેક્ટર, સસરાને પણ શરીરની તકલીફો, દીકરાને ભણાવવાનોસાચવવાનો ઘરનું કામ,પોસ્ટનું બહારનું કામ બધું જ માથે આવવા છતાં ઉલ્લાસભેર તપ કર્યો. એક વાર પંકજભાઈના કારખાનાના પાડોશી સુથારને વર્ષીતપનું બિયાસણું કરાવવાનો ભાવ જાગ્યો. પંકજભાઈએ સમજાવ્યા મુજબ સુથારે પણ સૂર્યોદય પછી જ રસોઈ કરી. શાક પણ સૂર્યોદય પછી જ સુધાર્યું. લોટના કાળનું પણ ધ્યાન રાખ્યું. રસોઈ જયણા-પૂર્વક બનાવી હતી. પંકજભાઈ પાઠશાળામાં જયણાદિ જાણકારી મેળવતા તે સુથારને પણ ઓફિસે સમજાવતા સુથારના ઘરમાં આટલી જાગૃતિ આવી હતી. બિયાસણાના અંતે સુથારે ભેટ આપવાની વાત કરતાં પંકજભાઈ કહે કે તમારે આપવું જ હોય તો મને તમારું વ્યસન આપી દો. સુથારે કાયમ માટે તમાકુ લેવાનું બંધ કરી દીધું. પડીકીઓ પણ પંકજભાઈને સોંપી દીધી. વર્ષીતપના અંતિમ દિવસોમાં તેમના માતુશ્રીના પગ પાકી ગયા, પ્લાસ્ટીક સર્જરી કરાવવી પડી. છતાં મક્કમતાપૂર્વક વર્ષીતપ બંનેએ સજોડે પાર પાડ્યો. ( ગંગા વહાવો તો પણ વહાલ કરનારી મા ને બેહાલ નહી કરતો. Jain Education internauonal - For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - ૨૬ - - - - - - - - - - - - - આગળ વધતાં પંકજભાઈએ ૧૬ ઉપવાસ કર્યા જેનું પારણું આયંબિલથી કર્યું હતું. આસો મહિનામાં સજોડે વર્ધમાન તપનો પાયો નાંખ્યો. કોઈના લગ્ન પ્રસંગે જમવા જાય ત્યારે પણ બધાની વચ્ચે થાળી ધોઈને પીવે. ઘણા બધા જોયા કરે. કોઈ પૂછે તો જણાવે કે આ એંઠવાડમાં ૪૮ મિનિટ પછી આપણા જેવા સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્યો અસંખ્યાતા ઉત્પન્ન થાય અને મરે. આ જીવોની વિરાધનાથી બચવા થાળી ધોઈને પીએ છીએ. આનાથી ૧ આયંબિલનો લાભ થાય. ધન્યવાદ છે સાબરમતીના આ યુગલને !! ૧૮. ભર ગરમીમાં ઉપધાન તપ , છેલ્લા ૭-૮ વર્ષોથી ઉનાળાની ભયંકર ગરમીમાં સેકંડો બાળકો ૯૯ યાત્રા કરી રહ્યા છે. એ જાણ્યા પછી ઘણી વાર વિચારતો કે ઉનાળામાં શું ઉપધાન ન થઈ શકે? વિદ્યાર્થીઓને ૨ મહિનાના વેકેશનમાં ઘણો લાભ થઈ જાય. ખરેખર વિ.સં. ૨૦૬૭ નો ઉનાળો આની શરૂઆત માટે અમર થઈ ગયો. પૂ. મુનિશ્રી સંયમબોધિ વિ.મ.સા.ની પ્રેરણાથી પૂના પાસેના પાર્શ્વ પ્રજ્ઞાલય તલેગાંવ તીર્થમાં આશરે ૬ થી ૨૦ વર્ષના મીની શ્રાવકો-શ્રાવિકાઓએ ૪૭ દિવસના ઉપધાન તપ ચ.વ.૬, પૂ.આ.ભુવનભાનુસૂરીશ્વરજી ની જન્મ શતાબ્દિ વર્ષના દિવસથી શરૂ કર્યા. આશરે ૩૦૦ બાળકો-બાલિકાઓએ ઉપધાનની માળ પહેરી. ભાવથી બોલજો કે “ગાજે જે ગાજે છે મહાવીરનું શાસન ગાજે છે શાશ્વતા શત્રુજ્ય ગિરિરાજની શાશ્વતી ટૂંક ગિરનાર તીર્થ કે જેના પર આવતી ચોવીશીના બધા ભગવાન નિર્વાણ પામવાના છે ત્યાં પણ ઉનાળાની ભયંકર ગરમીમાં ૪૦ જેટલા યુવાનોએ અઢારિયાની આરાધના ભાવોલ્લાસથી પૂર્ણ કરી. ( ઘોડો બનીને ખુશ કરનાર બાપને ગધેડાની જેમ ડફણા તો નહીજને (?) ) Jain severe - eretene - --- --- ---- - enemorary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯. જીવો અને જીવવા દો અમદાવાદના એ ભાગ્યશાળીના ઘરમાં પુત્રનો જન્મ થયો. પિતાજી સંબંધીઓને ત્યાં પેંડા મોકલવા લીસ્ટ બનાવતા હતા. દીકરાએ પિતાજીને સમજાવ્યું કે તમારી તૈયારી હોય તો આ બધી જ રકમ જીવદયામાં વાપરીએ. સંમતિ મળી ગઈ. ખરેખર, અનેક જીવોને છોડાવવાનો મોટો લાભ મળી ગયો. ઘરના સંસારના પ્રસંગે આવા કોઈક ઉત્તમ કાર્યો તમે પણ કરશો ને? ૨૦. બાળ આરાધક મૂળ ઝીંઝુવાડાનો નિવાસી અને હાલ પાલડીના એ ટેણિયાને છ વર્ષની ઉંમરે અઠ્ઠાઈ કરવાની ભાવના જાગી. લક્ષ્મીવર્ધક સંઘમાં ચાતુર્માસ રહેલા તપસ્વી પૂ.આશ્રી નવરત્નસાગરસૂરિજી એ વાસક્ષેપ અને આશીર્વાદ આપ્યા. રંગેચંગે અઢાઈ કર્યા બાદ આસો મહિનામાં ઉપધાનમાં ઝુકાવ્યું. પ્રથમ જ દિવસે જોરદાર તાવ આવ્યો. ઘરના બધા ગભરાઈ ગયા. પરંતુ ટેણિયો મક્કમ હતો. દેવ-ગુરૂ કૃપા અને ટેણિયાનું સત્ત્વ, પૂર્વજન્મના સંસ્કાર બળ આપી ગયા. તકલીફો વચ્ચે પણ ભાવથી રંગેચંગે ઉપધાન તપની માળ પહેરી. આજે તો એની ઉમર ૧૩ વર્ષની છે અને દીક્ષાની ભાવના પણ છે. એ વિચારે છે કે ઝીંઝુવાડામાં ઘરે ઘરે દીક્ષા થઈ છે તો મારે પણ મારા કુટુંબમાંથી દીક્ષા લઈ કુળનું ગૌરવ જાળવવું જોઈએ. એના મિત્રે ગયા વર્ષે ૧૩વર્ષની ઉંમરે સિધ્ધિતપ પૂર્ણ કર્યો. ૨૧. જાગતી પાઠશાળા મુંબઈના ચોપાટી જૈન સંઘમાં આશરે એક વર્ષ પૂર્વે સંઘના સ્તરે પાઠશાળામાં “રત્નત્રયમ્” નામે ધર્મસંસ્કરણ કેન્દ્ર શરૂ થયું. આપત્તિમાં “ઓ મા” ની બૂમ પાડનારા સંપત્તિમાં “જો માં' (?) Jain Education international For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ જ નજર - જન જ ન ૨૮૪૯નાક જ ન જ ન અહીં અભ્યાસ માટે આવનાર પ્રત્યેક બાળકને દર છ માસે રૂ.૧૦૦૦ની ફી ભરવાની હોય છે. સિત્તેરથી અધિક સંખ્યા આવે છે, એ પણ ઉલ્લાસભેર. સંઘના જ વીસ નવયુવાનો “ઓનરરી” સેવા આપે છે. પોતે વેલ એજ્યુકેટેડ હોવા છતાં સમય ફાળવી રહ્યા છે. ઈંગ્લીશ મીડીયમમાં બાળકોને એમની જ શૈલીમાં અભ્યાસ કરાવે છે. A, B.C, D શીખવાડવા માટે A ફોર અરિહંત, M ફોર મુનિ એવી રીતે અંગ્રેજી બારાખડી શીખવાડાય છે. કોમ્યુટરમાં તેના મોટા પ્રતિક બતાડાય છે. પ્રશ્નોત્તરી પણ રખાય છે. કેટલાક અભ્યાસ ધાર્મિક મોક્ષની સાપ સીડી આદિ ગેમો દ્વારા પણ શીખવાડાય છે. ધાર્મિક પ્રેક્ટીકલ જ્ઞાન માટે “સાધર્મિકડે માં દરેક બાળક ઘરેથી નાસ્તાની બેગ લાવે અને પછી એના દ્વારા એ બીજા બાળકને જમાડીને પરસ્પર સાધર્મિક ભક્તિ કરે. આવી જ રીતે અન્ય ડે અને નાટિકા વિગેરે કરાવાય છે. વર્કશોપ અને પ્રોજેક્ટનું આયોજન પણ કરાય છે. સ્પીચ પણ તૈયાર કરાવાય છે. પ્રતિમાસ એકવાર તમામ બાળકોને હોસ્પિટલમાં, અનાથાશ્રમો માં ફુટ વિતરણ, મિષ્ટાન્ન વિતરણ માટે લઈ જાય છે. દર બે માસે જૈન તીર્થોનો યાત્રા પ્રવાસ તો ખરો જ. વર્તમાનમાં અનેક સંઘોમાં મોટે ભાગે પાઠશાળાઓમાં સંખ્યાઓ ખૂબ ઘટવા માંડી છે, લથડિયા ખાતી ચાલે તેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. દરેક સંઘે આ અંગે વ્યવસ્થિત વિચારણાઓ, આયોજનો કરવા જ રહ્યા. આવતી કાલના જિનશાસનની ધજા ગગનમાં લહેરાવવા બાળપેઢીને ખૂબ પ્રોત્સાહિત કરો !! ફરી એકવાર અમદાવાદના શાંતિનગર અને જૈન સોસાયટી ની જાગતી પાઠશાળાઓના સંચાલકોને ધન્યવાદ!!! ( ક્યાં ખર્ચો છો? ધર્મમાં તો સદ્વ્યય, ઘરમાં તો વ્યય, અધર્મમાં તો દુર્થય Jain du.cation international - -- -- -- - --- - einelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ - ના નજર જ ના નામ ની - ૧ ૨૯ : વાર ના નામ ની નાર - નાના૨૨. શ્રી નમસ્કાર મહામંત્રની વિશિષ્ટ આરાધના મુંબઈ-કાંદિવલી (ઈસ્ટ)માં રહેતા પંડિતશ્રી ધનંજયભાઈ જશુભાઈ જૈન (પ્રેમકેતુ) સુપ્રસિધ્ધ વિધિકાર અને જૈન ધર્મના જાણીતા પંડિતજી છે. શ્રી સિધ્ધચક્ર આદિ પૂજનો ભાવવાહી વિવેચન સહિત ભણાવે છે. એક વખત તેમના ચારિત્રપદનું વર્ણન સાંભળીને પૂજનમાં બેઠેલ ૨૦-૨૨ વર્ષની ઉંમર ધરાવતા નવપરણિત યુગલને ભાવોલ્લાસ વધ્યો. વર્ણન સાંભળતા આંખોમાંથી અશ્રુધાર વહી. કુંભની સ્થાપના કરતાં પાંચ પર્વતિથિનો બ્રહ્મચર્યનો નિયમ પાંચ વર્ષ માટે પંડિતજીની પ્રેરણાથી લઈ લીધો. એક દિવસ પહેલાં જ લગ્ન કરનારા યુગલને માટે પાંચ પર્વતિથિનો નિયમ પણ કેવે અઘરો પડે, તે તો ભોગરસિક જુવાનિયાઓ જ સમજી શકે. ધન્યવાદ તે યુગલને! અને ધન્યવાદ તેમને આવી પ્રેરણા આપનાર પંડિતજીને !! આજથી આશરે ચૌદ વર્ષ પૂર્વે (વિ.સં.૨૦૪૭માં) રાણકપુર તીર્થના દર્શન કરતાં પં.ધનંજયભાઈના હૃદયમાં ભાવ જાગ્યો. “હે, પરમાત્મન્ ! ધરણા શાહ જેવા તો મારા નસીબ ક્યાંથી... કે આપનું આવું ભવ્ય જિનાલય હું બનાવી શકું?"પરંતુ જ્યાં સુધી મારા નાનકડા ઘરમાં મારા સ્વદ્રવ્યના ભગવાન ભરાવીને ગૃહમંદિર ન બનાવું ત્યાં સુધી મૂળમાંથી ઘીનો ત્યાગ. આ રીતે ભગવાન સમક્ષ અભિગ્રહ ધારણ કર્યો. અઢી વર્ષ સુધી મૂળથી ઘી બંધ રહ્યું. ત્યાર બાદ પોતાના નાના ફૂલેટમાં સુંદર ગૃહમંદિર બનાવ્યું અને વિ.સં. ૨૦૪૯માં શ્રી શિતલનાથ ભગવાનની ચલપ્રતિષ્ઠા કરી. વિ.સં.૨૦૬૦ની સાલમાં શ્રા.સુ.૨ થી ૨૧ દિવસ સુધી સળંગ આયંબિલ તપ સાથે શ્રી નવકાર-મહામંત્રની અનુમોદનીય આરાધના ઘરમાં જ રહીને પં.ધનંજયભાઈએ કરી. પ્રતિદિન (આખી દુનિયામાં વાંકોચાલનારસર્પદરમાં તો સીધો, આપણે ક્યાં સીધા? For Personar & Private use only Jain Education international Page #32 -------------------------------------------------------------------------- ________________ -------- ---- --જન૩૦ ના નાના નાના જ સ્વગૃહમંદિરના પ્રભુશ્રી શિતલનાથ સ્વામીના અંગ ઉપર રોજ પાંચ હજાર શ્વેત-પુષ્પ અર્પણ કરે. અને પ્રત્યેક ફુલ ચડાવતા એક નવકાર ગણે. આ રીતે રોજના ૫૦૦૦ ફુલ અને ૫૦૦૦ નવકારનો જાપ તેમણે કર્યો. ૨૧ દિવસ સુધી ચોવીસે કલાકનું સંપૂર્ણ મૌન. અને આયંબિલ પણ ઘરમાં જ કરવાનું. આમ કુલ ૧,૦૮,૦૦૦ વિશિષ્ટ નવકાર જાપ તેમણે કર્યો. “રોજના ૫૦૦૦ શ્વેત પુષ્પ અર્પણપૂર્વક, ૫૦૦૦નો નવકાર જાપ કરનાર, લાખ નવકાર વિધિપૂર્વક ગણે તે તીર્થકર પદ બાંધે” એવા ભાવાર્થવાળો શાસ્ત્રીય શ્લોક વાંચીને ધનંજયભાઈને આવો વિશિષ્ટ જાપ કરવાનો મનોરથ જાગ્યો હતો. આ ૨૧ દિવસ દરમ્યાન એક ચમત્કારિક ઘટના બનવા પામી. જાપના આરંભના દિવસે જ ધનંજ્યભાઈએ શ્રીક્ષેત્રપાળ - દેવ, શ્રી ગણિપીટક યક્ષરાજ અને શ્રી ત્રિભુવન સ્વામિની દેવીની સ્થાપના કરી હતી. તેની બાજુમાં અખંડ-દીપકની પણ સ્થાપના કરી હતી. તે અખંડ-દીપકની ઉપર અડધા ફૂટની ઉપર રહેલ આરસના નીચલો ભાગ અખંડ દીવો સતત ૨૧ દિવસ સુધી અખંડપણે ચાલવા છતાં જરાય “કાળો” થવા ન પામ્યો. સામાન્ય રીતે આ રીતે અખંડ દીવાની જ્યોતનો ઉપરનો ભાગ કાળો-મેશ થઈ જતો હોય છે. પણ અહીં અખંડ દીવાનો ઉપરિભાગ જાપના ૨૧ દિવસોમાં અને તે પછી બીજા ૨૧ દિવસ સુધી કુલ ૪૨ દિવસ સુધી ચાલવા છતાં જરા પણ “કાળો” ન થતાં દર્શન કરનારા અનેક ભાગ્યશાળીઓ આશ્ચર્ય પામ્યા હતાં. એક ગીતાર્થ આચાર્યદેવે કહ્યું કે “ઉત્તમ અને નિર્મળભાવે જાપ થયો હોય, તો દૈવી સાન્નિધ્ય પ્રાપ્ત થયાનો આ શુભસંકેત ગણી શકાય ઘરમાં ગૃહમંદિર કર્યાના આ કેવા મહાન લાભ. જાપ દરમ્યાન પંડિતજીની ચિત્તપ્રસન્નતા અને નિર્મળતા અનુમોદનીય હતી. વહાલા પર જ વહેમીલા, પછી ડંખીલા. Jain S ation International Personel Private Use Onl i nelibery.org Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ * વિ.સં.૨૦૫૭ની સાલમાં પં.ધનંજ્યભાઈએ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં રહીને, એકવીશ દિવસ સુધી પોતાના મુંબઈના બધા બાહ્ય સંપર્કો તોડી નાંખીને, સળંગ એકવીશ આયંબિલ કરવાપૂર્વક પરમતારકશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતનો મંત્ર જાપ ૧,૦૮,૦૦૦ ની સંખ્યામાં કર્યો હતો. આવી પ્રભુભક્તિના તેમને મળેલા શુભ સંસ્કારોનું મૂળ સુપ્રસિધ્ધ વક્તા પૂ.પંન્યાસપ્રવર શ્રી ગુરુદેવ શ્રી ચન્દ્રશેખર વિજયજી મ.ની અને તેમના પિતા-ગુરુદેવ પૂ.મુનિરાજશ્રી જયચન્દ્રવિજયજી મ.ની તથા તેમના માતાસાધ્વીશ્રી સ્વ.પદ્મયશાશ્રીજી મ.સા.ની પરમકૃપા જ છે. ૨૩. સિધ્ધાચલગિરિ નમો નમઃ શત્રુંજ્ય ગિરિરાજના દાદાની ભક્તિ કરનાર એક પૂજારીજી રોજ દાદાને ૧૦૮ ખમાસમણા આપે છે. યોગેશભાઈએ રોજના ૨૦૦૦ ખમાસમણા આપવા દ્વારા ૧૫ વર્ષમાં ૩ ક્રોડ ખમાસમણા દાદાને આપ્યા છે. ૧૬ દિવસમાં ૯૯ જાત્રા પુરી કરનાર ભાગ્યશાળી પણ છે. મુંબઈના સમકિત ગ્રુપના ‘શત્રુંજ્ય સત્કાર’ આયોજનમાં શત્રુંજ્ય ગિરિરાજ ઉપર જ્યાં જ્યાં કચરો ભેગો થયો તેને એકઠો કરી શુદ્ધિ માટે યુવાનો શત્રુંજ્ય પર ભેગા થયા. બિસ્કીટના પેકેટો ટન બંધ નીકળ્યા, કોથળીઓ, ચંપલો આદિ અનેક વસ્તુઓનું વજન પણ ટનમાં હતું. કુંડોમાંથી પણ કેટલાય કચરાની નીકળ્યા તો છોકરાઓના ડાયપર પણ ઘણા નીકળ્યા. શત્રુંજ્ય ગિરિરાજ શાશ્વતુ તીર્થ છે ત્યાં ફૂંકાય પણ નહિ તો પછી આટલા કચરા કેવી રીતે નંખાયા. આપણે સંકલ્પ કરીએ કે અમે ક્યારેય કોઈ કચરો ગિરિરાજમાં નહિ નાંખીએ. Jain Education inter ઉકળતા નહિ ઉછળતા ભાવે ધર્મ કરો. Omy www.jammenbrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ --------લ ૩૨ % જજ ---- - - ૨૪. જીવદયા ધર્મ સાર એ છે IAS ઓફિસર, ગુરૂભગવંતનું પ્રવચન સાંભળીને ગેસનો ચૂલો પૂંજણીથી પૂંજીને જ ચાલુ કરવાનો નિયમ લીધો. સામન્યથી જાતે ચા બનાવવાનું ક્યારેક જ થતું પરંતુ એકવાર કારણસર ચા જાતે જ બનાવવાની આવી. નિયમ યાદ આવતાં પૂંજણી લઈ પૂંજવાનું ચાલુ કર્યું. પ્રસંગ એવો બન્યો હતો કે આગલા દિવસે ચા બનાવતા ઉભરાઈને બર્નર પર પડેલી. સાફ કરવાનું રહી જતાં ૪૦૦-૫૦૦ કીડીઓ ભેગી થઈ ગયેલી. પૂંજણીથી પૂંજતાં જ ૪૦૦-૫૦૦ કીડીઓ ચારેબાજુ ભાગવા માંડી. સારું થયું કે પંજણીથી પૂંજ્યુ નહિતર સેંકડો કીડીઓ મોતના મુખમાં હોમાઈ ગઈ હોત. આપણે પણ સંકલ્પ કરીએ કે આખા દિવસમાં જ્યારે પણ ગેસ ચાલુ કરીએ ત્યારે પૂંજણીથી પૂંજીને જ ચાલુ કરીશું. - ૨૫. આરાધક પરિવાર ખાનપુરનો એ આરાધક પરિવાર નામ છે જયંતિલાલ મણિલાલ દામાણી પરિવાર. જયંતિભાઈને રોજ પરમાત્માની પૂજા કરવાનો નિયમ. પૂર્વ કર્મ પ્રભાવે ૭૫ વર્ષની ઉંમરે એટેકની સાથે પેરાલીસીસનો ભયંકર હુમલો થયો. પૂજા કરવા જઈ શકતા નથી. રોજ આંસુ પડે છે. દિલીપભાઈ અને મયુરભાઈ બંનેએ પિતાજીની ભાવના પૂરી કરવા ગૃહજિનાલય બનાવવા વિચાર કર્યો. વિ.સં. ૨૦૪૯માં ટોકરશાની પોળમાંથી પંચધાતુના પ્રાચીન શ્રી વાસુપૂજ્ય સ્વામી દાદાને લાવી ગૃહજિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી, આગળ વધતાં પરિવારમાંથી દીક્ષા કોઈકની થાય તો કુળનું નામ ઉજાળે તેવી ખૂબ ભાવના. નેહલને ગુરૂ ભગવંતનો સત્સંગ થતાં સંયમની ( ઔષધશાળા(હોસ્પિટલ)કરતાં પૌષધશાળા વધુ જરૂરી છે. ) Jain bucation International - ગાયક-નાના viney.org Page #35 -------------------------------------------------------------------------- ________________ જન - - - - ૧૩૩)ને જ જજ જજના - તીવ્ર તાલાવેલી જાગી. પરિવારે ધામધૂમથી દીકરાને દીક્ષા આપી. નામ પડ્યું “પૂ.જ્ઞાનભાનુ વિ.મ.સા.” દીક્ષા બાદ પિતા દિલીપભાઈએ થોડાક સમયમાં એકાસણા શરૂ કર્યા. આજે ૧૧ વર્ષથી સળંગ એકાસણા ચાલુ છે. જેમાં વધુમાં વધુ ૭ દ્રવ્ય વાપરવાના અને ચૌદશે તો માત્ર ત્રણ જ દ્રવ્યથી કરે છે. સંવત ૨૦૪૯માં ઘરમાં હીનાબેન અને અલકાબેને માસક્ષમણ કર્યું. મયૂરભાઈને તો મસાલા વગર ૧ કલાક પણ ન ચાલે. એમને પણ ભાવના જાગતા માસક્ષમણમાં ઝુકાવ્યું અને રંગેચંગે પાર પાડ્યું પછી તો કાયમ માટે માવા ગયા. હીનાબેને વર્ધમાન તપની ૪૫ ઓળી કરેલ છે તો અલકાબેને ૫00 આયંબિલ, ૨ વર્ષીતપ સળંગ, વિશિસ્થાનકની ૩ ઓળી વિ.તપની આરાધના કરેલ છે. ૨૬. અનીતિ કે અપાય સુરતના શિલ્પાબેને પાપના પૈસા અંગે પ્રસંગ જણાવ્યો છે. તેમની નજીકમાં રહેનારા એક ભાઈએ જમીનના જે પૈસા આવ્યા હતા તેમાંથી ભાગીદારને તેના હકના પૈસા ન આપ્યા. જે ભાગીદારે પૂર્વે પૈસાથી ઘણી વાર મદદ કરી હતી. તેવા ભાગીદારને મદદ માટે લીધેલા પૈસા તો ન જ આપ્યા. ઉપરથી જમીનના ભાગના પૈસા પણ ન આપ્યા. આવા અનીતિના પાપો થોડા જ સમયમાં ઉદયમાં આવતા ઘરના એક સભ્યને પગના ઘૂંટણમાં ઓપરેશન કરાવવું પડ્યું અને બંને પગ કામ કરતા કાયમ માટે અટકી ગયા. એક પગમાં પાંચ વખત ઓપરેશન કરાવવા છતાં હજુ ચાર વર્ષથી ચાલી શકાતું નથી. ૩ લાખ રૂપિયા જગ્યાના પચાવી પાડ્યા તે પાપના પ્રભાવે આશરે ૮થી ૯ લાખ રૂપિયાનો રામનો પૈસો જોઈએ છે કે હરામનો પૈસો? Jain Education internauonal For Personal a Private use only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ *** ખર્ચ ઓપરેશનમાં થઈ ચૂક્યો છે. ઉપરથી પીડા ભોગવી રહ્યા છે તે બોનસમાં. જીવનમાં ક્યારેય કોઈનો મફતિયો પૈસો નથી જ જોઈતો એવો દઢ સંકલ્પ કરી પાપના પૈસાને કાયમ માટે અલવિદા કરી શકશો ને ? પૈસાને સર્વસ્વ માનનારાઓ બરોબર વાંચજો કે પૈસાથી ભોજન ખરીદી શકાય છે. પણ ભૂખ નહિ. પૈસાથી ડનલોપની ગાદી ખરીદી શકાય છે પણ ઉંઘ નહિ. ♦ નડિયાદના દલસુખભાઈ ઉંમ૨-૭૦ વરસ ઉપરની થઈ. એમની પાસે ભાડા પર રાખેલી બે વખાર હતી. ૫૦ વરસથી આ વખારનો કબજો એમની પાસે હતો. એક દિવસ આ વખારનો માલ બધો ખાલી કરી એમણે આ બંને વખારનો કબજો મકાન માલિકને આપતા જણાવ્યું, “મારી હવે ઉંમર થઈ છે, મારા છોકરાઓ મારા કહ્યામાં હાલ તો છે જ, પણ મારા મરણ પછી એ આ વખારો,” રહે તેનું મકાન-કબજો બળવાન છે” વગેરે કાયદાઓનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરે એમાં મને અન્યાયઅનીતિના દર્શન થાય છે અને એવું ન બને એટલે જ આ વખારોનો ખાલી કબજો તમને સોંપી દઉ છું. તમો એ સંભાળી લો. મારે અન્યાય-અનીતિનું કાંઈ ન ખપે.” હા ! માનવતાના આવા દીવડાઓ હજી પણ ટમગમતા રહી પ્રકાશ પાથરી રહ્યા છે એ ખૂબ પ્રસન્નતાની વાત છે. ૨૭. ભગવાન મેરે ભી હૈ શ્રી આદિનાથ જિનાલય - મંડપેશ્વર રોડ, બોરીવલી વેસ્ટ મુંબઈ શાંતારામ નામના મંડપ કોન્ટ્રાક્ટરે કોઈ એક શુભપ્રસંગ ૫૨ શ્રી સંઘ માટે મંડપ બાંધી આપ્યો. એ માટેનું બીલ આપવાનું કહેતા પ્રભુ મને સાંભળ એમ નહિ, પ્રભુ મને સંભાળ. For Personal Private Use Only www.jainelibary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ ૯ - - - - - - - - - - - - ૧૩પ - - - - - - - - - એણે બીલ રૂા. ૩૪,૦૦૦/-નું બનાવ્યું. ટ્રસ્ટીઓએ હિસાબ ગણી કહ્યું, “શાંતારામ ! બીલની વ્યાજબી રકમ તો ૨૮,૦૦૦/- જેવી જ થાય છે.” શાંતારામ કહે, “આપને બોલા તો મને બીલ દીયા હૈ, લેકિન આપ જો રકમ દંગે મુઝે મંજુર હૈ.” શાંતારામની ભાષામાં સરળતાનો ટંકાર હતો. ટ્રસ્ટીઓએ એને ૨૮,૦૦૦/- ચૂકવ્યા તો આ શાંતારામે એમાંથી ૪,૦૦૦/- ટ્રસ્ટીના હાથમાં આપ્યા અને જણાવ્યું, “ઈસમેં સે ભગવાન કી સુંદર આંગી બનાના.” - બીજા કોઈ પ્રસંગમાં દીવાળી આસપાસના દિવસોમાં આ શાંતારામે શ્રી આદિનાથ જિનાલયમાં ખૂબ સુંદર લાઈટોની રચના કરી. મંદિર સુશોભિત બનાવ્યું. આનું બીલ માગવામાં આવ્યું તો શાંતારામ કહે, “ભગવાન સિર્ફ આપ કે નહીં હૈ, મેરે ભી હૈ, યહ મેરી ભક્તિ હૈ, ઈસ કા બીલ લેને કી બાત નહીં હૈ.” અજૈનની ભક્તિ વાંચી આપણે પણ શક્તિ મુજબ ધર્મમાં ભક્તિ કરીશુ એવો સંકલ્પ કરશો ને !! ૨૮. જબ કોઈ નહી આતા ભારતીબહેન મહેસાણાના જણાવે છે કે “હું સુરત એકલી ગયેલી. બેનના ત્યાં પૂજનનો પ્રસંગ હતો. નીકળવાના એક કલાક પૂર્વે લોહીની ઉલટી આખું બાથરૂમ ભરાઈ જાય તેટલી થઈ. ઘરમાં ૫૦-૬૦માણસ હાજર. બધા ગભરાઈ ગયા. એ વખતે મેં અમારા મૂળનાયક વાસુપૂજય દાદાને યાદ કરી ભાવના ભાવી, દાદા! હવે તારો સહારો છે. ડૉક્ટરનું કહેવું હતું કે આવી પરિસ્થિતિમાં મહેસાણા સુધી પહોંચવું મુશ્કેલ છે. બેન-બનેવી મુકવા આવ્યા. વાસુપૂજ્ય દાદાનું સ્મરણ કરતા સુરતથી નીકળ્યા. અમદાવાદ પછી તબિયત થોડી બગડી પણ દાદાનો જાપ મનમાં ચાને ઠંડી કરવા રકાબીમાંપહોળી, મનનેÚકરવા પહોળું-ઉદાર બનાવવું પડે. Jain Educaton internauonal For Personar & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ----------------લ૩૬)---------------- એકદમ ચાલુ કરી દીધો. મહેસાણા પહોંચી ગઈ. અહીંયા આવી હોસ્પિટલમાં દાખલ કરી. અહીંના ડૉક્ટર પણ કહેવા લાગ્યા કે તમને ભગવાને બચાવી. સાચે જ અત્યારે દાદાની કૃપાથી હરતીફરતી છું.” ૨૯. સંઘભક્તિ વાસણા, અમદાવાદમાં આવેલ શેફાલી સંઘના પ્રમુખ રમણભાઈ વર્ષોથી તન-મન અને ધનથી સંઘની સુંદર ભક્તિ કરે છે. પ્રભુભક્તિ, વૈયાવચ્ચાદિ ધર્મક્ષેત્રમાં દર વર્ષે લાખો ખર્ચ છે. કરોડો રૂપિયાના માલિક હોવા છતાં વૈભવી વિસ્તારમાં બંગલો બાંધી રહેવાના બદલે શેફાલી સંઘમાં ઉત્તમ ભક્તિ, પૂજાદિ આરાધનાઓ મળતી હોવાથી ત્યાં જ રહે છે.ત્રણે દિકરાઓના ફલેટ પણ શેફાલીમાં જ છે. ત્રણે દીકરાઓ પ્રભુભક્તિ, સુંદર આંગીમાં ખૂબ રસ ધરાવે છે. રોજ ૧-૨ કલાક પ્રભુભક્તિમાં ગાળે છે. રોજના ૨૦૦૩૦૦નો ખર્ચ આવે તોય ભક્તિ ચાલુ જ રાખી છે. રમણભાઈએ આપેલા સંસ્કારો ખરેખર સાર્થક બન્યા છે. હમણાં જ એક સાથે આશરે ૭૦ જેટલા સાધુ-સાધ્વીનું ચોમાસુ પોતાના ખર્ચે શેફાલી સંઘમાં ખૂબ સારી રીતે કરાવ્યું. આગળ વધતાં ઘાટલોડિયા, અમદાવાદમાં લાખો રૂપિયા ખર્ચી સ્વદ્રવ્યથી દેરાસર બંધાવ્યું. કાયમી નિભાવ માટે પણ ઘણા પૈસા આપીને સગવડ કરી રાખી છે. ધન્ય છે આવા સુશ્રાવકોને કે જેઓ શ્રીમંતાઈ છતાં આબાદી આપનાર પ્રભુને ક્યારેય છોડી જવા તૈયાર નથી ! 30. તપસ્વી ભક્તિ વિ.સં. ૨૦૬૫ ઓપેરા સોસા. અમદાવાદમાં ચૈત્રી ઓળી કરાવવાની થઈ. ઓપેરાના આયંબિલ ખાતમાં આશરે ૩૫૦ અહંકાર એ મહા અંધકાર છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ 路路路路路路路路路路39) 然然然然然然然然然 જેટલી ઓળી છેલ્લા પ-૭ વર્ષથી થાય છે. આઠમાં ભાગની ચોપડીમાં પ્રસંગ નં.-૧૧ પુષ્ટીનો પ્રસંગ લીધેલ છે. તેજ બાલિકાએ ૫ વર્ષની ઉંમરે પોતાની નાની બેન સાથે ચૈત્રી ઓળી રંગેચંગે કરી. ચાર પાંચ વર્ષની નાની ઉંમરે આયંબિલ કરનાર બંને બેનોની અનુમોદના કર્યા બાદ સંઘની અનુમોદના પણ અવશ્ય કરવા જેવી છે કેમ કે ચૈત્ર મહિનાના ધોમધખતા તડકાના દિવસોમાં તપસ્વીઓને આયંબિલ કર્યા બાદ ઘેર જવા શાતા રહે તે માટે સંઘે સ્પેશિયલ રિક્ષાની વ્યવસ્થા રાખી છે. ૩-૪ તપસ્વી ભેગા થાય એટલે રિક્ષામાં તેમના ઘેર મુકી આવે. આ રિક્ષા જોઈને વર્ષો પૂર્વ માકુભાઈ શેઠ વગેરેના કાળમાં તપસ્વીઓ માટે મોટરો મોકલાતી તે અવશ્ય યાદ આવે. આપણે સંકલ્પ કરીએ કે આવા કોઈ તપસ્વી રસ્તા પર ચાલતા જતા હશે તો અમે તેમને અમારા વાહન પર ઘરે મુકી આવીશું, તૈયાર છો ને! - કાંદિવલી, દહાણુકરવાડી સંઘે ટીની મીની પાઠશાળાના છોકરાઓને ઘરેથી લાવવા-પાછા મુકવા માટે સ્પેશ્યિલ મેટાડોર રાખી છે જેથી મા-બાપને મુશ્કેલી ઓછી પડે. ધન્ય છે આવી સંઘભક્તિની ભાવનાને ! ૩૧. ધન્ય આરાધક ભાવ શ્રી સુરત વીશા ઓશવાલ જૈન છે.મુ.પૂ. જ્ઞાતિના શ્રેષ્ઠિવર્ય શ્રી અભેચંદભાઈના સુપુત્રરત્ન શ્રી મહેન્દ્રભાઈ. વિદેશમાં વાસ હોવા છતાં ને વેપારમાં વ્યસ્ત હોવા છતાં ગજબનાક આરાધના કરી છે. આ રહી એમની તપ-આરાધનાની તવારીખ... -વિ.સં. ૨૦૦૮-૨૦૧૫સુધી દર પર્યુષણમાં અઠ્ઠાઈ આદરી. - બીજા ૨૭ વર્ષ ફરી સળંગ પર્યુષણમાં અઠ્ઠાઈની તપસ્યા. - ઈનામદાર બનવું છે કે ઈમાનદાર? Jain ECO કામ ------- ----------- - jammenbrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪૯૪૯ - - - - - - - - - જલ ૩૮ ---------------- - એક વર્ષ તો એવું વીત્યું કે જાપાનમાં રહ્યા રહ્યા વરસમાં આવતી છ એ છ અઠ્ઠાઈની તપસ્યા આદરી હતી. - સં. ૨૦૪૪ પાલિતાણા મુકામે ચાતુર્માસિક આરાધના અને જીવનભર સચિત્ત-જલ અને રાત્રિભોજન ત્યાગની પ્રતિજ્ઞા. ત્યારથી દર વર્ષે ચોમાસુ શત્રુંજયની શીતલ છાયામાં જ અને એમાં છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ખર્ચે પોતાની સાથે ૧૫૦ જેટલા આરાધકોની પણ ચાતુર્માસિક ભક્તિ કરે છે. - સં. ૨૦૪૫-૪૬ દેશવિરતિજીવનના પાયાસમાન ત્રણેય શ્રી ઉપધાન તપની મૌનપૂર્વક તથા આયંબિલથી કઠોર આરાધના. શ્રાવકજીવનને દીપાવનાર બારવ્રતનો નાણ સમક્ષ સ્વીકાર અને સંથારે – શયનની ઘોરપ્રતિજ્ઞાનો સ્વીકાર. - શત્રુંજય મહાતીર્થની સવિધિ નવ્વાણુ યાત્રા. - ત્યારથી જજીવનપર્યત કમસે કમ બિયાસણાનું પચ્ચકખાણ. એમાં પણ સૂર્યાસ્તની બે ઘડી પહેલા આહાર-પાણીનો ત્યાગ. -સં. ૨૦૪૮-૪૯ બે સળંગ વરસીતપ; એ પણ એકાસણાથી. સિદ્ધિતપની કઠોર આરાધના કરી છે. - અતારિઅઢ-દસ તપની ઘોર સાધના. સળંગ દસ ઉપવાસ, સોળ ઉપવાસ અને એથીય આગળ માસક્ષમણની અદ્ભુત તપસ્યા દ્વારા ઉપાસના. - પાલિતાણામાં એકાસણાથી શ્રેણિતપની સુદીર્ઘકાલીન આરાધના. - મહેન્દ્રભાઈના ધર્મપત્ની શ્રી મિનાક્ષીબેને ઉપધાનતપની માળા સાથે બાવ્રતનો સ્વીકાર અને સંથારે શયનની પણ પ્રતિજ્ઞાનો સ્વીકાર. - માત્ર તપના માર્ગે જ આગળ વધ્યા છે એમ નહિ પુણ્યના ( પૈસાને હેન્ડઓવર કરો પણ હેડઓવર કે હાર્ટઓવર તો નહી જ. Jain Sucation International PersonalD ec i bery.org Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉદયે મળેલી લક્ષ્મીનો સદ્વ્યય પણ એવી જ દાનગંગા સાથે વહાવ્યો છે. - સુરતથી શિખરજી મહાતીર્થના સંઘપતિ તો બન્યા સાથે થોડા દિવસ માટે ચુસ્ત યાત્રિકજીવનનો પણ આસ્વાદ લીધો. - કાત્રજ (પૂના) તીર્થમાં ભવ્ય અંજનશલાકા મહોત્સવમાં પ્રભુજીના માતા-પિતા બનવાનો અમૂલ્ય લાભ લીધો. - સં. ૨૦૪૮માં પાલિતાણા મુકામે અસલચાંદીથી ભરેલા નવછોડનું ભવ્ય ઉજમણું પણ કરાવ્યું. ૩૨. પુણ્યની ફિક્સ ડીપોઝીટ જોગેશ્વરી (વેસ્ટ)ના એ પ્લોટ માલિકે પોતાનો પ્લોટ વેચવા કાઢ્યો. પ્લોટમાલિકના ધર્મપત્ની ખૂબ ધર્મપ્રેમી. એમણે પોતાના પતિને ખૂબ વિનમ્ર ભાષામાં જણાવ્યું, “આપણા આ પ્લોટની બાજુમાં જ વીશ જૈનોના ફલેટો છે. આપણે પૈસા કરતાં ધર્મકમાણી કરવા જેવી છે. આ પ્લોટ વેચીએ નહીં અને અહીંજ જિનમંદિર - ઉપાશ્રય બનાવીએ તો કેટલું મઝાનું ? અહીં જિનપૂજન-દર્શન દ્વારા અનેક જીવો સમક્તિની પ્રાપ્તિ-શુદ્ધિ વગેરે કરશે અને અહીં સાધુ-સાધ્વીજી પધારશે તો આપણને એમને વસતી (ઉપાશ્રય) દાનનો મહાન લાભ પણ થશે.” પત્નીની નિષ્ઠાપૂર્વકની વિનંતી પતિને અપીલ કરી ગઈ અને વેચવા કાઢેલા પ્લોટ ઉપર જ એ પરિવારે સુંદર મજાનું જિનમંદિર અને ઉપાશ્રય સ્વદ્રવ્યથી નિર્માણ કર્યા. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ જિનબિંબો વિધિપૂર્વક બિરાજમાન કરાયા. ભવ્ય જીવો માટે આ આરાધનાની સુંદર પરબ બની ગઈ. મંદિર-ઉપાશ્રયનો સંપૂર્ણ લાભ લેનાર શિવગંજ (રાજસ્થાન) પેટમજૂર છો કે ધનમજૂર? Jain Education internacional ----------------- jamemorary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ નિવાસી છગનલાલજી પાલરેચા અને એમના ધર્મપ્રેમી દેવગુરુભક્તિપ્રિયા સુ.શ્રાવિકા નારંગીબેન. એમણે શિવગંજમાં પણ જિનમંદિર નિર્માણમાં લાભ લીધેલો છે. આ ભવના ધનનોદાનકાર્યમાં જિનમંદિર નિર્માણાદિમાં લાભ લઈને ભવોભવના પુણ્યની ફિક્સ ડીપોઝીટ શું તમારે કરવી છે? ૩૩. ભક્તો તારા તને પારે દમયંતીબેન, અમદાવાદ લખે છે કે મારા વર્ષીતપ વખતે પાલિતાણા દાદાની જાત્રા કરવા ગયા પણ ઉપર સખત ગીર્દી હતી. દાદાનો પક્ષાલ સારી રીતે થયો પણ પૂજા થવાની કોઈ શક્યતા ન હતી. સાંજે ૬ વાગે અમારી બસ ઉપડવાની હતી. અમારી સાથેના તપસ્વી પક્ષાલ કરીને નીચે જવા માંડ્યા. જીવ ઘણો બળતો હતો પણ જતાં પહેલાં દાદાના દર્શન કરવા ગઈ એ સમયે એવી ભાવના થઈ કે દાદાની પહેલી પૂજા હું જીવનમાં ક્યારે કરીશ? એ વિચારતાં રડવું આવી ગયું. મારા એવા કેવા કર્મો કે હું તે કરી શકતી નથી. દર્શન કરી બહાર નીકળી હતી તો ત્યાં નાની ઉંમરનું નાસિકનું એક દંપતી સોનાની થાળી વાટકી લઇ બહાર બેઠું હતું. પૂજાનો બધો જ ચઢાવો એમનો હતો. પરણીને પહેલી જાત્રા કરવા આવ્યા હતા. મને જોઈને પૂછયું “બા પૂજા નથી કરવી?” મેં કહ્યું બેટા ગીર્દી બહુ છે. શક્યતા લાગતી નથી. તેમણે મને સાથે બેસાડી સૌથી પહેલી પૂજા મારી પાસે કરાવી. મને કહે મારી મા સાથે હોય તો હું તેમને જ કરાવું ને! તમે મારી મા જેવા જ છો ને! હજુ એ દિવસ અને એ ઘડી નજર સામેથી ખસતા નથી. મને તો એ બંનેના નામની પણ ખબર નથી. જાણે દેવ આવીને પૂજા કરાવી ગયા. દાદા એ થોડી સેકન્ડોમાં જ મારી ઇચ્છા પૂરી કરી. • દિલ હોય ત્યાં દલીલની જરૂર નથી. Jain : Eા :ERefret E==ere were "Jerrerary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ ***** ૩૪. તપસ્વી અમર રહો. આદર્શ પ્રસંગો ભાગ-૯માં ૪૦માં પ્રસંગમાં મુંબઈના શકુંતલાબેનના દાનાદિધર્મની વાત જાણેલી. આ શ્રાવિકાએ જીવનમાં કરેલ તપની યાદી મસ્તક નમાવીને વાંચો. આઠ અઠ્ઠાઈ | માસ ક્ષમણ / ૧૬ ઉપવાસ / ૧૦ ઉપવાસ | શ્રી સિધ્ધિતપ ચત્તારિ અઠ્ઠદશ દોય તપ | શ્રી સિંહાસન તપ | સમવસરણની ચાર બારી તપ / શ્રી મોક્ષ દંડ તપ / શ્રી ધર્મચક્ર તપ | શ્રી શત્રુંજ્ય તપ | શ્રી વર્ષીતપ બે સાથે કર્યા / શ્રી ગણધર તપ / શ્રી રતન પાવડીના સાત છઠ્ઠુ બે અઠ્ઠમ / શ્રી ગૌતમ લબ્ધિ તપ (અઢાર દિવસ) | શ્રી અક્ષયનિધિ તપ / શ્રી મેરૂ તેરસ તપ / પાંચ ઈન્દ્રિય જય તપ / શ્રી લોગસ્સ તપ | શ્રી ૧૦૮ પાર્શ્વપ્રભુનો તપ | શ્રી નવપદજીની ઓળી-૨૫ / શ્રી પંચમીનો તપ – ઉપવાસથી | શ્રી પોષ દશમી તપ – અગિયારસ તપ - ચૈત્રી પૂનમ છ વર્ષ / શ્રી ગિરિરાજની નવ્વાણુની યાત્રા | દોઢ ગાઉ, ૩ ગાઉ, ૬ ગાઉ, ૧૨ ગાઉની યાત્રા | ચઉવિહારો છઠ્ઠ કરી ૭ જાત્રા / ત્રણે ઉપધાન | શ્રી ગિરિરાજ ની છત્રછાયામાં ચોમાસું / શ્રી કંઠાભરણ તપ | શ્રી નમસ્કાર મહામંત્ર તપ / શ્રી ક્ષીરસમુદ્ર તપ / શ્રી પંચ મહાવ્રત તપ | શ્રી ગૌતમ કમળ તપ / શ્રી ૧ થી ૧૩ ભગવાનના એકાસણા | શ્રી વીસસ્થાનક તપની ઓળી ૧૬ પુરી કરી - ઉપવાસથી | શ્રી વર્ધમાન તપની ઓળી ૨૫ પુરી કરી. - ચાલો, એમની પગપાળા છ’રી પાલિત સંઘ યાત્રા પણ વાંચી લઈએ ઃ Jain Education Inter ૧. બેણપ ગામથી પાલીતાણા ૨. હસ્તગિરિ થી પાલીતાણા ૩. વલ્લભીપુર થી પાલીતાણા ૩૧ દિવસ ૦૮ દિવસ ૦૭ દિવસ સાધર્મિકને સલાહ નહી સહાય આપજો ! www.jan rebrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ --------------ધ૪૨ - - - - - ૪. મુંબઈ-પ્રાર્થના સમાજથી થાણા ૦૪ દિવસ ૫. તળાજા થી પાલીતાણા ૦૭ દિવસ ૬. મુંબઈ-મુલુંડથી વિરાર ૦૫ દિવસ ૭. ક્ષત્રીયકુંડ થી સમેતશિખર ૨૦ દિવસ ૮. વલ્લભીપુર થી પાલીતાણા ૦૮ દિવસ ૯. કદમગિરિ થી હસ્તગિરિ ૦૮ દિવસ વાંચકો, વાંચ્યા પછી આપણે બધું જ ન કરી શકીએ તો આમાંથી કઈ કઈ આરાધના કરી શકીએ તેમ છીએ એ વિચારી એનો અમલ કરશો તો સાચી અનુમોદના ગણાશે. ૩૫. નવાર ક્યાએ માતા પામ્યા શાતા ! અનિમેષભાઈ કાંદિવલી, (હાલ-અમદાવાદ)ના નિવાસી તેમના ઘરમાં બનેલ જાપના ચમત્કાર અંગે જણાવે છે કે, મારા પૂ.માતુશ્રી સૌ.જયોતિબેન ધનંજયભાઈ. તા. ૨૩-૧૧-૦૪ના દિવસે તેમને મોં ઉપર પેરેલીસીસના કાંઈક ચિહ્નો જણાયા. ડિૉક્ટરને બોલાવ્યા. તેમણે કહ્યું કે “ન્યુરોલોજીસ્ટને બતાવવું પડશે.” એપોઈન્મેન્ટ મળે તેમ ન હતું છતાં કાંદિવલી (ઈસ્ટ)ના સ્થાનિક ડૉક્ટરની ચિઠ્ઠી લઈને બપોરે ૩ વાગે ન્યુરોલોજીસ્ટ પાસે પહોંચ્યા. ડૉક્ટરની આસિસ્ટંટ લેડીએ કહ્યું તમારો નંબર સાડા પાંચે આવશે. પ્રતિક્ષા કર્યા વગર છૂટકો ન હતો. પાંચ વાગે દર્દીની પીડા ખૂબ વધી ગઈ. માથામાં તીવ્ર દુઃખાવો થાય. માથુ ભીંત જોડે પછાડવાનું મન થાય. દર્દી લવારા કરે. ઉન્મત્ત વ્યક્તિની જેમ અસંબદ્ધ બોલ્યા કરે. ઉભા ન રહી શકે. આસિસ્ટન્ટ લેડીને સૂચના કરી કે દર્દીની સ્થિતિ ગંભીર છે. પહેલાં લઈ લો પણ તે ન માની. ૫.૩૦ વાગે નંબર આવ્યો. ન્યુરોલોજીસ્ટે તપાસીને કહ્યું “દર્દીની સ્થિતિ ઘણી ગંભીર છે. અમુક પ્રકારના ટેસ્ટ તરત કરાવીને મને જાણ કરો.” લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યાં. દર્દી ખુરશી ઉપર ( દુઃખીને માલ ન આપી શકો તો રૂમાલથી આંસુ તો લૂછજો ! ) Jain durearoniementione --- Sen were--SE-Grif" www.jamemorary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૩** વ્યવસ્થિત બેસી ન શકે. શરીરના ડાબી બાજુના અંગમાં પેરેલેસીસનો હુમલો આવી ચૂક્યો હતો. માંડ-માંડ બ્લડ લેવરાવ્યું. ત્યાંથી સીધા ‘સીટી સ્કેન' કરાવવા મલાડની અન્ય હોસ્પિટલમાં લઈ ગયાં. માતુશ્રીનું અસંબદ્ધ બોલવાનું ચાલુ હતું. પણ મનમાં નવકાર-જાપ અને અન્ય મંત્ર-સ્મરણ ચાલુ હતાં. સીટી સ્કેન વગેરેના રીપોર્ટને ફોન દ્વારા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટરને જણાવ્યાં. તેમની સૂચના અનુસાર ડૉ.પંકજ ગાંધીના દવાખાને દાખલ કરાયાં. તે સમયે રાત્રે લગભગ ૯-૩૦ વાગી ચૂક્યા હતાં. ડૉક્ટરે દર્દીને તપાસી.. કેસની ગંભીરતા જાણી લીધી. મારા પિતાજીને ડૉક્ટરે કહ્યું, ‘હું ટ્રાય કરુ છું છતાં કેસ ગંભીર છે.’ રાત્રે ૧૨ વાગે પિતાજી ઘરે જવા નીકળ્યા. મારા માતુશ્રી બોલ્યા કે ‘આપણા ઘરે ઘરમંદિર છે ને ? શીતલનાથ ભગવાનની આરતી આજે રહી ગઈ છે. જઈને ઊતારી લેજો અને ભગવાનના અંગલૂછણાં મેં પલાળેલા, તે ધોઈ નાખજો. જેથી કાલે તમને પૂજામાં તકલીફ ના પડે.’ (રોજ અષ્ટ પ્રકારી જિનપૂજાના અને આરતી કરવાના સંસ્કાર કાંઈક ઉન્મત્ત જેવી અવસ્થામાં પણ કેવા સંવાદી વચનો બોલાવે છે !! આ છે રોજ કરાતી ધર્મની પ્રવૃત્તિના સંસ્કારોની જાજવલ્યમાન શુભઅસર. ૯ બીજા દિવસે સવારે ૯ વાગે પિતાશ્રી હોસ્પિટલમાં આવ્યા. માતુશ્રી ને મળતાં પૂછ્યું : કેમ છે ? માતુશ્રી ઃ સારું એટલે ખૂબ સારૂં. હું આજે સવારે મારી જાતે દીવાલનો પણ ટેકો લીધા વિના... બાથરૂમ સુધી ચાલીને ગઈ છું. હવે મને કાંઈ જ નથી. પિતાજી આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તેમની સામે માતુશ્રીએ ટેકા વિના ચાલી બતાવ્યું. ડોક્ટર કહે ઃ મને ય આશ્ચર્ય થાય છે.... આટલું સારું... આટલું જલ્દી કેમ થઈ ગયું ? મને તો ‘મિરેકલ’ ઘટના લાગે છે. સાધર્મિક નબળો હોઈ શકે, નકામો તો નહિ જ. Jain Educat ***=y.org Page #46 -------------------------------------------------------------------------- ________________ --------- ----ક્ષ૪૪ --- -------------- વળી, પિતાજી માતુશ્રી પાસે આવ્યા. પૂછ્યું “રાતે ઉંઘ સારી આવી?” માતુશ્રીએ જવાબ આપ્યો “ના જરાય ઉંઘ આવી નથી.' પિતાજી કહે કે તો આખી રાત શું કર્યું? માતુશ્રીએ જવાબ આપ્યો કે આખી રાત જાપ કર્યો. શ્રી નવકાર મહામંત્રની બાધા પારાની સાત માળા ગણી અને તમે પેલો મંત્ર શિખવાડ્યો છે ને “ૐ નમો જિણાણે સરણાર્ણ મંગલાણં લોગુત્તરમાણે હોં હીં હું હું હ હું અસિઆઉસા મૈલોક્ય લલામ ભૂતાય શુદ્રોપદ્રવશમનાય અહત નમઃ સ્વાહા. આ મંત્રની ૧૨ માળા ગણી. “આટલો મોટો મંત્ર ૧૨ વાર કે ૧૨ માળા?'ના... ૧૨ વાર નહી. પ્રત્યેક મણકા ઉપર આખો મંત્ર. તેવી ૧૦૮ વાળી ૧ માળા... તેવી ૧૨ માળા. . પિતાજીએ કહ્યું : આવી ૧ માળા ગણતાં લગભગ ૨૫-૩૦ મિનિટ થાય. તો ૧૨ માળા ગણતાં ૬ કલાક થાય ને? હા... આખી રાત મેં નવકાર અને પરમેષ્ઠિમંત્રનો જાપ જ કર્યો છે.. તને લાગે છે કે પરમાત્માના શાસનના આ મહામંત્રના શ્રધ્ધાપૂર્વકના આ જાપે જ આવો અજબ ચમત્કાર સજર્યો છે? હા... મને પણ ચોક્કસ લાગે છે. આ હતા એ સમયના માતુશ્રીના હૃદયોદ્ગાર. મહામંત્રશ્રી નવકાર અને પરમેષ્ઠિ મંત્રના દઢ શ્રધ્ધાપૂર્વકના જાપનું સર્વોત્તમ ફળ શાશ્વત-શિવપદની પ્રાપ્તિ જ છે. અને તે લક્ષ્ય સંકલ્પપૂર્વક જ આવા મહામંત્રનો જાપ કરવો ઘટે.. પરંતુ સાથે શાશ્વત-શિવપદ-પ્રાપ્તિના માર્ગની આરાધનામાં આવતા વિનોનું વિદારણ પણ કરી આપે છે. ૩૬. મરતા સમરો મુંબઈની એક ચાલીમાં કાંતિ કાકા અને તેમના ધર્મપત્ની - સાધર્મિકનું અપમાન એ સંઘનું અપમાન છે. Jain Education internauona ----------------------- memorary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ -------- - જ ૪૫ - - ---------- રહેતા હતાં. બંનેને ઉમરાદિને કારણે આંખે દેખાવાનું લગભગ નહીવતું. ધર્મના ભાવ જોરદાર એટલે આખો દિવસ સામાયિક - પ્રતિક્રમણાદિ આરાધના કર્યા કરે. દેખી ન શકે પરંતુ પાંચ વર્ષ બાદ મળ્યા હોય તો અવાજ પરથી ઓળખી લે. પૂર્વકર્મના ઉદયે એક વાર ઘરમાં ભયંકર આગ લાગી. આજુબાજુના લોકો ભેગા થયા. આગ એટલી જોરદાર હતી કે અંદર બચાવવા જાય તેને જાનનું જોખમ હતું. બધા બહાર ઉભા ઉભા જોયા કરે, વિચાર્યા કરે પણ હિંમત કોણ કરે? કાકા-કાકીને આગનો ખ્યાલ આવી ગયો. બહાર નીકળવાનો રસ્તો જડતો નથી. છેવટે નવકારમંત્ર ગણવા બેસી ગયા. મરશું તો મરશું પણ છેલ્લે નવકાર ગણતા જવું છે. ખૂબ ભાવથી, એકાગ્રતાથી નવકાર ચાલુ થયા. લોકો બહાર ઉભા હતા અને જોયું કે કાકા-કાકીને કોઈ આગમાંથી બહાર મૂકી ગયું. Who is he? ૩૭. દુઃખમાં સમરો હર્ષને કાનની પાછળ ગાંઠ થઈ. ડૉક્ટરે ટી.બી.ની ગાંઠ તરીકે નિદાન કર્યું. દવાઓ અને ભારે ઈંજેક્શનો ચાલુ થયા. માબાપના ટેન્શનનો કોઈ પાર નથી. એક બાજુ દીકરાનો જાન જોખમમાં, ભારે ખર્ચા. ઉપરથી દોડધામ.૬ થી ૮ મહિના પસાર થવા આવ્યા. ગાંઠ ઓગળતી નથી. મા તો ડૉક્ટર પર ગુસ્સે ભરાઈ કે આટલા રૂપિયા લીધા પછી પણ ગાંઠ ઓગળતી નથી. મારા દીકરાને તમે મારી નાખશો. ડૉક્ટર કહે કે બાયોપ્સી કરાવી જુઓ. ટેન્શન ઉપરથી વધ્યું. બાયોપ્સીનો રીપોર્ટ શું આવ્યો? “કેન્સર'. ડૉક્ટરે હાથ ઉંચા કરી દીધા. “હવે આ કેસ મારા હાથમાં નથી.” દવાઓથી હવે કંટાળ્યા હતા. જીવનું જોખમ ઉભું હતું. છેવટે કલ્યાણમિત્રે સલાહ સાધર્મિકનું સન્માન એ સંઘનું સન્માન છે. Jain - -- - - ---------- - -- - ----dy.org Page #48 -------------------------------------------------------------------------- ________________ આપી કે હવે તો નવકારના શરણે જ જાવ. ઉત્તમ પ્રેરણા આપી. મા-બાપાદિએ ભાવપૂર્વક, એકાગ્રતાપૂર્વક નવકારના જાપ શરૂ કર્યા. નમસ્કાર મહામંત્રના જાપના પ્રભાવે ધીમે ધીમે ગાંઠ ઓગળવા લાગી. જાપ વધતો ચાલ્યો, ગાંઠ ઘટતી ચાલી. છેવટે નવકારના જાપના પ્રભાવે સંપૂર્ણ ગાંઠ ઓગળી ગઈ. ડૉક્ટર પણ આશ્ચર્યમાં પડી ગયા. હર્ષનું જીવન બચી ગયું અને આજે શાંતિથી જીવન જીવે છે. મોટા ભાગના જીવો બચવા માટે આપત્તિ દૂર કરવા માટે દુનિયાના બધા પ્રયત્નો કર્યા બાદ કંટાળીને છેવટે મેજીક એવા નવકારના શરણે આવે છે, એના કરતાં જીવનમાં “ચાહે સુખ મેં હો યા દુઃખ મેં” સતત નવકાર નો જાપ શું કામ ન કરવો? અંગ્રેજીમાં કહેવત છે કે ”Prevention is beter than cure” ગુજરાતીમાં કહેવત છે કે “પાણી પહેલા પાળ બાંધવી”. તાત્પર્યાર્થ એટલો છે કે આપત્તિ આવ્યા બાદ નવકારાદિ આરાધનાઓ કરવી એનાં કરતાં આપત્તિ આવે કે ન આવે, કાયમ માટે નમસ્કાર મહામંત્રનો જાપ કરવો એ જ મહામંગલકારી છે. શાસ્ત્રીય ભાષામાં નવકાર મંત્રનું નામ છે “શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ.” ૩૮. સમરો દિવસને રાત ઈ.સ. ૨૦૦૦ની સાલમાં પંકજભાઈને અમેરિકામાં લોસ એજીલસ શહેરથી સાનફ્રાન્સિસ્કો જવાનું થયું. વિમાન ઉપડ્યું. અડધો કલાક બાદ વિમાન આખું ધ્રુજવા માંડ્યું. ધીરે ધીરે ઉપર નીચે જવા માંડ્યું. આખું વાતાવરણ આનંદને બદલે શોકમાં પલટાઈ ગયું. પરિચારિકાએ બધાને સીટ બેલ્ટ બાંધવાનું કહ્યું. બારીમાંથી નીચે જોતાં જ ચક્કર આવી જાય તેમ લાગ્યું. પર્વત અને ખીણ વચ્ચે વિમાન હીંચકા ખાઈ રહ્યું હતું. યાત્રિકો બધા જ ગભરાઈ ગયા. એક જ વિચાર સહુનો “હવે ગયા.” સાધર્મિક દયાપાત્ર નથી, ભક્તિપાત્ર છે. Jain Sawerow a nie -Person- weedse. - મામાના કary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ પંકજભાઈને પણ પરસેવો છૂટી ગયો. મોતના મુખમાં બેઠા છીએ. છેવટે યાદ આવતાં શ્રી નવકારનો જાપ શરૂ કર્યો. હવે નવકાર, તું જ બચાવજે. હોઠથી અને હૈયાથી નવકાર મંત્રનું શરણ, સ્મરણ લેતા મરણ ભુલાયું. ૧૫ થી ૨૦ મિનીટનો એ શરણપૂર્વકનો જાપ છેવટે ફળીભૂત થયો. વિમાન હવે સ્થિરતાપૂર્વક ઉધ્વા લાગ્યું. સૌના જીવમાં જીવ આવ્યો. આધિ, વ્યાધિ અને ઉપાધિથી દૂર રાખનાર નવકારનો જાપ રોજ ઓછામાં ઓછા ૧૦૮નો અવશ્ય કરશુ એવો સંકલ્પ કરશો ને ! આગળ વધતાં ૯ લાખ નવકારનો જાપ તો આવતા ભવમાં પણ દુર્ગતિને તાળા મારવાની ગેરંટી આપે છે. જોઈએ છે ગેરંટી? તો હાથ જોડો કે વહેલી તકે નવ લાખ નવકારનો સંકલ્પ કરી પૂરા કરશું. આ જ રીતે એક પુણ્યશાળી બહારગામ ગયા ત્યારે રસ્તામાં ચોરોએ પકડીને મારામારી, લૂંટફાટ કરી. પુન્યશાળી ગાડીની પાછળ પડી ગયા. નવકાર મંત્રનો જાપ શરૂ કર્યો. અને ગણતરીની પળોમાં અચાનક પોલીસની ગાડી આવી અને ચોરો રંગે હાથે પકડાઈ ગયા. બોલો શ્રી નવકાર મહામંત્રની જય !! ૩૯. શ્રધ્ધાનો સાયન્સને પડકાર નૌતમકુમારને સખત તાવ આવ્યો. કીડનીના બ્લેડર તદન ખરાબ થઈ ગયા હતા. વડોદરા હોસ્પિટલમાંથી નડીયાદ કિડની હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં પણ આ જ રીપોર્ટ. ટ્રીટમેન્ટ ચાલુ કરી. ઓપરેશન ડેન્જર હોવાથી ન કર્યું. માત્ર પેશાબ વેગમાં થાય તે રીતે પેઢુમાં કાણું પાડ્યું. આ બધું ઘણું મુશ્કેલીભર્યું હતું. ઉંમર માત્ર ૩૨ વર્ષ. બલસાણાની વાતો સાંભળીને ગુરૂ મહારાજના કહેવાથી મદદ કર્યા બાદ મદ (અભિમાન) નહીં કરતા. Jain E EECT re-enre : -------------- - sjementary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ ---------------ળ૪૮ ------------- ઘરના દરેક સભ્યોએ જાપ શરૂ કર્યા. ૨૧ દિવસ પછી બલસાણા તીર્થ દર્શન કરવા ગયા. ત્યાંથી અમદાવાદ આવી રીપોર્ટ કઢાવતા. જાણવા મળ્યું કે, બ્લેડરમાં જે ખામી હતી તે સાફ થવા માંડી છે. નડીયાદ જઈ થોડા થોડા દિવસે રીપોર્ટ કઢાવતા ગયા. દરેકમાં સુધારો આવતા આવતા એક દિવસે ડૉક્ટરે કર્યું કે, હવે તદન મામૂલી ઓપરેશન કરવું પડશે. ને એ ઓપરેશન પછી કિડની પહેલાની જેમ કામ કરવા લાગશે. દાદાનો આ પ્રભાવ અને ભક્તોની આવી શ્રધ્ધા ખરેખર જ સાયન્સ માટે એક પડકાર રૂપ છે. - ૪૦. તારો એક જ આધાર સંદિપ એનું નામ. ટાઈફોઈડ થયો. ખોરાક ન પચે, આંતરડા માં રસી થઈ. અમદાવાદ જીવરાજ હોસ્પિટલમાં ૧ મહિનો રહ્યો. બાટલા ચઢાવ્યા. ૧૯ દિવસ થયા. મોઢેથી પાણીનું ટીપું ગયું નથી. આંતરડામાં ૩-૪ પંક્યર થયા. પાંચ ટબ જેટલું બ્લડ નીકળ્યું. ૨૨ બોટલ લોહી ચઢાવ્યું. સંદિપ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. ત્રણ બેન વચ્ચે એક ભાઈ, માતા અને બેનોની આંખમાં આસું સુકાતા ન હતા. મોઢા સુજી ગયા હતા, કારણ ડૉક્ટરોએ હાથ ખંખેરી નાંખ્યા હતા. હવે તો પ્રભુ જ બચાવે. આ સમયે કો'કેવિમલનાથ દાદાના જાપનો સંકેત કર્યો, માતા અને બેનો દિલ લઈને જાપમાં મગ્ન બન્યા. જાણે ચમત્કાર સર્જાયો. ધીમે ધીમે વેદનાઓની ભરતી ઓસરવા લાગી.નોકરીયાત માણસોએ સવા લાખ ખર્ચ્યા છતાં કાંઈ ન વળ્યું. ને દાદાના નામની અમૂલ્ય ઔષધિથી સંદિપને જીવતદાન મળ્યું. આજે સંદિપ એક રૂપિયાની દવા વગર હસતો ખીલતો છે. ૬ ૬ ૬૬ ૬ શાસનપ્રભાવક સ્વ.પૂ.પં.શ્રી ચંદ્રશેખર વિ.ગણિને સાદર સમર્પણ Jain Educator tratar For persona a Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ અને અંતે છે હે વાચક, પુસ્તક ગમ્યું? છે તો એમાંથી યથાશક્તિ અથવા અલ્પ પણ આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરૂષાર્થ કરવા જેવો છે. સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. છે આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. મિત્રો,સ્વજનો, પડોશીઓ વગેરે પ-૨૫ને ભેટ આપવાથી તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે. ! માત્ર રૂ. ૨૫-૫૦માં જ્ઞાનભકિત થશે. શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. કયારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાને લાભ થયો પણ છે. ગામે ગામ, ઘરે ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૧૧ નવી હજારો કોપી સાથે પ્રગટ થાય છે. પહેલા અને બીજા ભાગની ૧૫ વર્ષમાં ૨૦ આવૃતિ અને બાકીના ભાગોની પણ અનેક આવૃતિ અને હિંદી સાથે, આની કુલ ૪,૮૭,૦૦૦ નકલો પ્રગટ થઈ છે. સઘળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. છે ભાગ ૧ થી ૮ ભેગા અને છૂટા કન્સેશનથી મળશે. છે. આવા પ્રેરક સત્ય પ્રસંગો મને મોકલી આપો. (ભાગ-૧૧ ટુંક સમયમાં પ્રકાશિત થશે.) For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ન " મારે સુખ જ જોઈએ છે" લો વિશ્વના દરેક જીવની આ સર્વસામાન્ય ઈચ્છા છે. જીવ સુખ માટે મહેનત પણ કરે છે. પરંતુ અફસોસ કે સંસારના સુખો માટે અનંતો કાળ મહેનત કરી પરંતુ હંમેશા દુઃખ જ લમણે ઝી'કાય છે. કઈ રીતે મળે સુખ ? કઈ રીતે મળેલુ સુખ કાયમ ટકે ? એનો એક માત્ર ઉત્તર છે કે સિધ્ધિગતિની પ્રાપ્તિ. સિધ્ધિગતિ એટલે જયાં આત્માનું અનંત સુખ, અનંતુ જ્ઞાન વિગેરે શાશ્વતા અનંત કાળ માટે રહે તેવી ગતિ. શીધ્રાતિશીધ્ર મોક્ષપ્રાપ્તિ માટે પંચસૂત્રમાં ત્રણ ઉપાય બતાવવામાં આવ્યા છે. (1) અરિહંતાદિ ચારના શરણ (2) સ્વ દુષ્કતોની નિંદા (3) સ્વ-પરના સુકૃતોની અનુમોદના. આ પુસ્તકના કેટલાક પ્રસંગો ચાર શરણાની મહત્તા માટે, તો કેટલાક પોતાના પાપોની નિંદા માટે, તો કેટલાક વિશ્વના જીવોની ઉત્તમ આરાધના, સાત્વિકતા, ખુમારીને જાણીને અનુમોદના કરવા લખ્યા છે. મોક્ષની નજીકમાં પહોંચેલા દરેક જીવોને આવા વર્તમાનના, સત્ય પ્રસંગો વાંચતા અન્યોમાં રહેલા ઉત્તમ ગુણોને પોતાનામાં લાવવાના મનોરથ અવશ્ય જાગે, બીજાની અનુમોદના કરે, ભવોભવ જિનશાસન મળતુ રહે તેવી ઝંખના જાગે એ જ શુભાશિષ. calea fern 2 Printed By: Ashish Shah 9879088678 ચાર શરણ સુકૃત-અનુમોદના દુકૃતગહ Jane CHARITY.org