SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ -------------{૧૬ - - - - - - - - - વાતો કરી તે સત્ય નીકળી. અનેક લોકો સેવંતીને ઉલટ તપાસ કરવા આવતા અને તાજુબ થઈને જતા. વડોદરાની ગાયકવાડ સરકારને ખબર પડતા તેની તપાસ કરવા મોટર લઈને માણસોને મોકલ્યા. માણસોએ પૂછતાછ કરી. ઉંધુ ચત્ત- જાત જાતના પ્રશ્નો પૂછી ઘણી તપાસ કરતાં સત્ય સમજાયું. સેવંતી એમને એક દુકાને લઈ ગયો કે જે દુકાનમાં પોતે ૪૦ વર્ષ પૂર્વે પૂર્વના ભવમાં નોકરી કરતો હતો. દુકાનના શેઠિયાઓ પાસે ૪૦ વર્ષ પહેલાનાં ચોપડા જે ધૂળ ખાતા ક્યાંક માળિયાદિમાં હતા તે નીચે ઉતરાવ્યા. સેવંતીએ કહ્યું કે આ ચોપડામાં આ તારીખમાં આ વ્યક્તિના ખાતામાં આટલી રકમ જમા-ઉધાર બોલે છે. તે તમે જોઈ લો. દુકાનના માલિકને ય ખબર નહોતી એવી ચોપડાની ઘણી વાતો મોઢે કહી બતાવી ત્યારે બધાને માનવું પડ્યું કે અમારે ત્યાં નોકરી કરનાર મુનિજ મર્યા બાદ સેવંતી બન્યો છે. આ ભવની સેવંતીભાઈની બેન આગલા ભવમાં તેમના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી જે આજે સગીબેન તરીકે જન્મ લીધો છે !! મૃત્યુ એ અંત નથી પરંતુ એક સ્ટેશન છે. અનાદિકાળથી આપણો આત્મા કર્મના પ્રભાવે જુદાજુદા જન્મ લે છે અને મરે છે. આવી અનેક વાતો ભગવાનની આજે પણ સત્ય સાબિત થાય છે. રાજીવગાંધી મરીને ચેન્નાઈની ઝૂંપડપટ્ટીમાં મનિષ ત્રિપાઠી તરીકે જન્મ્યો છે તેના પણ પુરાવા મનિષ ત્રિપાઠીએ આપ્યા છે. માધવરાવ સિંધિયા જે પ-૭ વર્ષ પૂર્વે પ્લેન ક્રેશ થતાં માર્યા ગયા તે પણ મધ્યપ્રદેશમાં આશીષ નામના છોકરા તરીકે જન્મ્યા છે તેના પુરાવા મળ્યા છે. (વેઢે ગણાય એટલી મૂડીમાં મોટા કરનાર મા-બાપને આજે રેઢા ન મૂકતા.) Jain E - --------- - -- -- --- - - www.jatremorary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy