SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ હતા ત્યારે એક આરાધક યુવક વંદન કરવા માટે આવ્યો. વંદન બાદ મને કહે કે પૂજ્યશ્રી ! આજે દેરાસરમાં બધા પ્રભુજીને ગુલાબના હાર ચડાવ્યા અને ખૂબ આનંદ આવ્યો. આવી રીતે રોજે રોજ હાર ચડાવીએ તો કાંઈ વાંધો ખરો ? મેં કહ્યું “આ તો શ્રાવકોનું ઉત્તમ કર્તવ્ય છે. પરમાત્માની અધિકાધિક ભક્તિ કરવાથી તીર્થંકર નામકર્મ પણ બંધાઈ શકે. એટલું જ નહી આગળ વધીને રોજ પ્રભુની આંગી માટે સુંદર મુગટ, આભૂષણો, હાર બનાવી શકાય અને પ્રભુની સુંદર આંગી બનાવી શકાય. જ્યારે ચૈત્યવંદનાદિ આરાધના પૂર્ણ થાય ત્યારે ઘરે પાછા જતી વખતે તે મુગટાદિ પાછા ઘરે લઈ જઈ શકાય. બીજે દિવસે ભક્તિ કરવા પાછા લાવવાના, આંગી કરવાની અને આરાધના પૂર્ણ થયા બાદ ઘરે પાછા લઈ જઈ શકાય. રોજેરોજ સુંદર આંગીની સામે ભક્તિ કરતા આનંદ ઉલ્લાસ વધે તો પુન્યાનુબંધી પુન્ય, નિર્જરાદિની પ્રાપ્તિ થાય.” યુવક સાંભળી આનંદિત થઈ ગયો. થોડા દિવસો બાદ મળવા માટે આવ્યો.ત્યારે ચાંદીનો સુંદર હાર બનાવડાવી લાવ્યો હતો અને એ દિવસથી એણે ચડાવવાની શરૂઆત કરી. પૂજા પૂર્ણ થયા બાદ પાછો લઈ જાય. કેટલાક ભાગ્યશાળીઓએ એને પૂછવા માંડ્યું કે પ્રભુને ચડાવેલું પાછું ઘરે ન લઈ જવાય. તમે કોઈ આચાર્ય ભગવંતને પૂછ્યું છે? આવા પ્રશ્નો કરવા માંડ્યા. વિચારવાનું એટલું જ છે કે ઘણાને આ અંગે ખ્યાલ હોતો નથી. પ્રભુને ફૂલ ચડાવ્યા પછી નિર્માલ્ય કહેવાય, જે બીજે દિવસે ન વપરાય, પરંતુ આભૂષણો તો બીજે દિવસે વાપરી શકાય અને આ Jain E શ્વાસ મૂકીને તો શ્વાન પણ જાય, સુવાસ મૂકીને જનારા મહાન. Omnxy.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy