SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ - જ - જ જન ૯ ના બજાજ - - - જો કે ઓફિસમાં ધંધો શેઠે હવે બંધ કર્યો હતો પરંતુ દાન આપવા જ જતા હતા. ક્યારેક કોઈ જ ન આવે તો પાંજરાપોળમાં પાંચસો રૂપિયા મોકલી આપતા કેમ કે દાન વગરનો દિન એમને સૂરજ ઉગ્યા વગરનો લાગતો હતો. એક વાર શેઠ ગૃહજિનાલયમાં પૂજા કરતા હતા. એક ભગવાન ગુમ થયાનું લાગ્યું. એક ભાઈ થેલીમાં કાંઈક વજનદાર લઈ જતા જોઈ બુદ્ધિમાન શેઠને ખ્યાલ આવી ગયો. ચોકીદારને કહ્યું કે પેલા થેલીવાળા ભાઈ જેવા બહાર નીકળે કે તુરંત મારા ઘરે જમવા લઈ આવજો. પ્રેમથી આમંત્રણ આપજો. જમ્યા વગર જવા નહી દેતા. શેઠ ઘરે ચાલ્યા ગયા. થેલીવાળો બહાર નીકળ્યો અને ચોકીદારે જમવાનું આમંત્રણ આપતા આનાકાની કરવા લાગ્યો. ચોકીદારે એને જવા ન દીધો અને શેઠના ઘરે લઈ આવ્યો. જમાડ્યા બાદ શેઠે ખૂણામાં લઈ જઈ પૂછયું કે કેટલી તકલીફ છે ? થેલીવાળાએ જવાબ આપ્યો કે દીકરીના લગ્ન છે, રૂપિયા ત્રણ હજાર (તે કાળના) જોઈએ છે ! શેઠે રૂા.૩૧૦૦ નું કવર ચાંદલો કરી આપ્યું અને પ્રભુજીને પાછા જિનાલયમાં પધરાવવા વિનંતી કરી. થેલીવાળા ભાઈએ શેઠને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસ્યા અને માફી માંગતા ફરી ભૂલ નહિ કરવાનો સંકલ્પ કર્યો. શેઠ કહે, “ગભરાઈશ નહિ. જે બન્યું તે ભૂલી જજે. ભવિષ્યમાં જરૂર પડે તો મારી પાસે આવજે પણ આવી ભૂલ ન કરતો.”ધન્ય છે શેઠની ઉદારતા! ગંભીરતા! સાધર્મિક ભક્તિ.! ૭. જિનભક્તિ શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, અમદાવાદમાં રોષકાળમાં રોકાયા બીજાના દોષોને માફ કરજો, સ્વદોષોને સાફ કરજો.' Jain Educatori TeTTauonar r orpersonala Private Use Omy www.jainenbrary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy