SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ દીકરાઓ ક્યાંકથી બદામ લાવ્યા. માના હાથમાં આપી કહ્યું “મા ! તુજ વહોરાવને !” ટેકો આપતા મા થોડી આગળ વધી. નર્સને હાથ પહોળા કરવા સમજાવ્યું. મા હાથમાં બદામ વહોરાવવા આગળ વધ્યા. એકબાજુ બદામ હાથમાંથી છૂટી અને સાથે જ શરીરમાંથી હંસલો છુટી ગયો. અંતિમ સમયે આવા ઉત્તમ ભાવો હોય તેની સગતિ થાય એમ જ્ઞાનીઓનું વચન છે. આપણા અંતિમ સમયે ભાવ ક્યા?પ્રાયઃ જીંદગીભર કરેલા શુભ ભાવો જ અંતિમ સમયે શુભ ભાવ પેદા કરે છે તે ભૂલતા નહીં. ૬. સાધર્મિષ્ન શ્રેષ્ઠ સગપણ જૈન જગતમાં ખૂબ જાણીતું નામ એટલે શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ. વિ.સં.૧૯૯૮માં સિદ્ધાંતમહોદધિ પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજીની નિશ્રામાં અંધેરી મુકામે વિશાળ, ભવ્ય ઉપધાન તપ કરાવ્યા. એ કાળે એમાં કુલ ૧૦૬૬ આરાધકો જોડાયા હતા. શેઠશ્રી ના જીવનમાં અનેક સુંદર ગુણોનું દિગ્દર્શન નીચેના પ્રસંગો પરથી થશે. અમદાવાદની માંડવી પોળનો જીર્ણોધ્ધાર ૧ લાખ (એ કાળના) થી અધિક રકમમાં કરાવનાર શેઠશ્રી દાદરમાં એક ધાર્મિક પ્રોગ્રામમાં પ્રમુખસ્થાને હતા.પોગ્રામ દરમ્યાન પ-૬ ચિઠ્ઠીઓ આવી. વાંચીને ગજવામાં મૂકી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શેઠ પાછળના દરવાજેથી બહાર નીકળ્યા. ૫-ભાઈઓ મદદ માટે ઉભા હતા. દરેકને ૧૦૦ થી ૫૦૦ રૂપિયાની મદદ કરી. ઉપરાંત દરેકને હાથ જોડીને વિનંતી કરી કે તમે સહુ જ્યારે પણ જરૂર પડે ત્યારે મારી ઓફિસે પધારજો. તમે મને પુણ્ય બંધાવવા આવો છો, તમે આવો તો જ મને પુણ્ય બંધાય છે, તેથી તમે મારા ઉપકારી છો. આપણે પ્રવચનમાં આવ્યા પછી શું પ્રવચન આપણામાં આવ્યું? એ વિચારજો Jain education International For Personale.Dacate nelibrary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy