SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Jain લેવા આવવાનો હતો. એ દરમ્યાન પુત્ર બહાર જવા નીકળ્યો એટલે પિતાજીએ ગુરૂદેવને વિનંતી કરી કે મહારાજજી ! મારી એક ખાસ વિનંતી છે “આ મારો દીકરો તમારા પરિચયમાં છે. કાલે ઉઠીને આપત્તિમાં પૈસાની જરૂરિયાત પડે તો પણ દીકરાને એટલું સમજાવજો કે ભૂખે મરીશ પણ કોઈની પાસે હાથ નહી લંબાઉં. જીવનમાં આપત્તિ આવે એ નવાઈ નથી. એની વચ્ચે ખુમારી સાથે સંતોષપૂર્વક જીવે એટલું સમજાવજો.' પૈસા નહીં પૈસાનો સંતોષ એ જ મોટું સુખ છે એવી મહાન ઉક્તિ આપણા જીવનમાં સાર્થક કરશોને ! ૫. અણુ અણુમાં ગુરૂભક્તિ દાદરના એ આરાધક શ્રાવિકા રોજ જિનપૂજા, જિનવાણીશ્રવણ, સામાયિક, પ્રતિક્રમણાદિ અનેક ઉત્તમ આરાધનાઓ કરે. જીવનના અંતિમ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કર્યા. બેભાન જેવી અવસ્થા. એકવાર થોડું ભાન આવતા ૧-૨ જણ ડૉકટરને બોલાવા દોડ્યા. દીકરાઓને લાગ્યું કે માની જીંદગી હવે કેટલી બાકી છે તે ખબર નથી. લાવ, એમની અંતિમ ઈચ્છા પૂછી લઈએ !! “મા ! મા! તારી છેલ્લી ઈચ્છા જે હોય તે કહે”, મા ધીમે ધીમે આંખ ખોલી રહી છે. સહેજ આછુ દેખાવાનું ચાલુ થયું. નર્સ આવીને બાના પગ પાસે ઉભી રહી. બાને સામે જ ધોળા કપડા દેખાયા. દીકરાઓએ માને ટેકો આપી બેસાડી અને માને ફરી વાર છેલ્લી ઈચ્છા પૂછી. “મા ! તારી ભાવના હોય તે કહે. અમે પૂરી કરશું’ મા બોલી કે અરે ! આ સામે સાધ્વીજી ભગવંત ઉભા છે તેમને વહોરાવો ! વિકરાળ પરિસ્થિતિમાં પણ વિરાટ જીવો હૈયાવરાળ ક્યારેય કાઢતા નથી Resemary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy