SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ******* વિનીતચંદ્ર વિ.ને પણ ઘડપણમાં વિહાર ન કરી શકવાને લીધે શ્રી લક્ષ્મવર્ધક સંઘે વર્ષો સુધી ઉપાશ્રયમાં સાચવ્યા. વર્તમાનમાં ભૌતિકયુગમાં પણ સેંકડો દીક્ષાઓ સાધુ-સાધ્વીની થાય છે. સાધ્વીજીઓની સંખ્યા સાધુ કરતાં અનેકગણી છે. ઘડપણમાં વિહાર ન થાય ત્યારે લાંબો સમય રોકાવવા માટે શું કરવું? ઘણા ખરા સંઘોમાં ૪ કે ૭ દિવસના રોકાણથી વધારે રોકાણ ન કરી શકાય તેવા નિયમ ચોક્કસ કારણોસર હોય છે. તો હવે વૃધ્ધ સાધ્વીજીઓનું શું ? એટલે જ પ્રાઈવેટ ઉપાશ્રયો લેવા પડે પરંતુ તેમાં પણ વિરોધ ઘણી વાર આવતો હોય છે. સંઘોએ આ અંગે ખૂબ ઉંડાણથી વિચાર કરવા જેવો છે. આગળ પડતા શ્રાવકોની સાથે આપણે પણ વિચાર કરવો રહ્યો. જો કે રાજનગર-અમદાવાદના શ્રાવકોને ખૂબ ધન્યવાદ કે મોટા ભાગના સંઘોમાં ૫-૭ પ્રાઈવેટ ઉપાશ્રયો પૂ.સાધ્વીજી ભગવંતોના હોય છે, ગોચરી-વૈયાવચ્ચ બધુ સાચવી લે છે. ૧૦. મોક્ષનું મૂળ વિનય વાસણાના એ ધર્મિષ્ઠ શ્રાવિકા પોતાની સામાયિક-પૂજાદિ આરાધના ઉપરાંત સાધ્વીજી ભગવંતોની વૈચાવચ્ચ કરે છે. આગમો પણ સોનાની શાહીથી જાતે લખતા શીખીને આગમલેખનમાં પણ ભાગ લઈ રહ્યા છે. એમના સાસુ કાળ કરી ગયા તે નિમિત્તે સંઘના ઉપાશ્રયમાં પૂજા રાખી હતી. પૂજાના અઠવાડિયા પૂર્વે અન્ય કોઈ સાધ્વીજી ભગવંત કાળધર્મ પામતા સંઘે ત્રિદિવસીય જિનેન્દ્ર-ભક્તિ મહોત્સવ રાખ્યો હતો. એના દિવસોમાંથી એક દિવસ આ શ્રાવિકાના સાસુની પૂજા આવતી હતી. પહેલેથી પોતે નોંધાવ્યું હતું, નકરો ભર્યો હતો છતાં સંઘે પતિના સાસુ-સસરાને જ ખૂબ સાચવનારી વહુઓને ધન્યવાદ (?) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy