SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ *** ૧૫. ભાવતપ અને સમાધિ એક શ્રાવિકાને વર્ષીતપની ભાવના જાગી, રંગેચંગે વર્ષીતપ પૂર્ણ કર્યો. હવે વર્ષીતપ હૃદયમાં વસી ગયો એટલે બીજા વર્ષીતપ માટે શ્રાવકને વાત કરી પરંતુ શ્રાવકે ના પાડી. ત્યાર પછી સળંગ આશરે ૫ વર્ષથી સળંગ બે દિવસ ક્યારેય ખાધુ નથી. વર્ષીતપની જેમ એકાંતરા ઉપવાસ ચાલુ છે. પારણાના દિવસે શ્રાવકની સાથે એમને ખરાબ ન લાગે માટે સવારે ૧ કપ ચા વાપરે. બાકીના દિવસમાં બેસણાની જેમ બે સમય એક જગ્યાએ બેસીને વાપરી લેવાનું. બીજે દિવસે ઉપવાસ. ભાવથી વર્ષીતપ કરનારા આ તપસ્વી શ્રાવિકાને લાખ લાખ ધન્યવાદ !!! આ જ શ્રાવિકાનો જુવાનજોધ એકનો એક દીકરો અચાનક કાળ કરી ગયો. મા હોવાથી આઘાત તો અનુભવ્યો પરંતુ ધર્મની સમજણ એટલી સારી કે શ્રાવકને કહે કે એનું આયુષ્ય પૂર્ણ થયું હશે, આપણો ઋણાનુંબંધ પૂર્ણ થયો હશે, તો એ ચાલ્યો ગયો. ૧૬. જિનશાસનનું ઝળહળતું રત્ન એ યુવાનના ઘરે રાતના સમયે અધિકારીઓએ રેડ પાડી. આવેલ માલ ખોટો છે તેવી ફરિયાદ સામેવાળી પાર્ટીએ કરતાં અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. દૂરના ગોડાઉન ઉપર લઈ ગયા બાદ એક પછી એક વસ્તુઓનું ચેકીંગ ચાલ્યું. એક સાથે ૩૦૩૫ અધિકારીઓ અને ૪૦જેવા સ્ટાફના માણસો તપાસ કરી રહ્યા હતા. યુવાને જે પ્રમાણે માલ લીધેલો, આપેલો તેની વિગતો સંપૂર્ણ આપી. વાતો પરથી અધિકારીઓને લાગ્યું કે યુવાનની વાતો સાચી છે. બીજે દિવસે આખો દિવસ ચેકીંગ ચાલ્યું. જમવા માટે અધિકારીઓનું ખાવાનું હોટલમાંથી આવવાનું હતુ. યુવાનને કહે કે તારું ય જોડે મંગાવી લઈએ. યુવાન કહે કે હું હોટલનું ખાતો નથી બચપણમાં લાચાર હતા ત્યારે જેણે સાચવ્યા તેમની લાચાર અવસ્થામાં તું સાચવી લેજે. Jain Education International For P Sally.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy