________________
****
*** ૪ *****
ઉકાળેલું પાણી પીનાર અને ચોવિહાર કરનારા કૂતરા પણ વર્તમાનમાં છે. વાસ્તવમાં, પૂર્વભવમાં કરેલી અનેક આરાધનાઓના સુસંસ્કાર કબૂતરના ભવમાં પણ ઉચ્ચ આરાધના કરવા પ્રેરે છે. પરંતુ પૂર્વની કોઈક નાની વિરાધનાના લીધે કબૂતરનો ભવ મળ્યો છે. આપણે વિચારવા જેવું છે કે હાલમાં થાય એટલી આરાધના કરી લેવા જેવી છે. કોને ખબર આવતી કાલે આવતા ભવમાં ક્યાં હોઈશું? માનવીય બુદ્ધિ, સમજણ મળ્યા પછી પણ જેને ધર્મ ક૨વો ન ગમતો હોય તે શું કૂતરા, બિલાડાના તિર્યંચના કે નરકના ભવોમાં શું ધર્મ કરશે ?
******
૨. પ્રભુદર્શનથી પરિવર્તન
મહેસાણાના સીમંધર સ્વામી દાદાનો દરબાર. ત્યાં એક ચોકીદાર મુખ્ય દ્વાર પર રાખેલ હતો. તેનો મિત્ર જંગલમાં શિકાર કરીને જીવન ગુજારે. એકવાર મિત્રને મળવા મહેસાણા આવ્યો. થોડીક વા૨ની વાતો બાદ મિત્રને ચોકીદારે કહ્યું કે આપણે મારા ઘરે જમવા જઈએ તે પૂર્વ અહીં ભગવાનના દર્શન કરતો આવ. શિકારીને ભગવાનમાં કોઈ રસ ન હતો છતાં મિત્રના દબાણથી દર્શન કરવા પગથિયા ચડવાના શરૂ કર્યા. મનમાં વિચારે કે પથ્થરને પૂજીને શુ કરવાનું ? મૂર્તિમાં કાંઈ ભગવાન હોતા હશે ? ખોટી વાતો છે બધી !
કુલ આશરે ૨૫-૨૭ પગથિયાં. ચડતો જાય અને નાસ્તિકતાના વિચારોમાં રમતો જાય. થોડા પગથિયા બાકી રહ્યા અને સીમંધરસ્વામી દાદાનું મુખ દેખાવાનું શરૂ થયું. જ્યાં સંપૂર્ણ મુખ દેખાયું અને શિકારી ત્યાં જ ઉભો રહી ગયો. એકદમ આશ્ચર્ય પામી ગયો. આટલું વિરાટ મુખ ! મુખારવિંદ પરના સૌમ્યતાના ભાવો જોઈ રહ્યો છે, કેવું પ્રસન્ન વદન !! કેવું ઉત્તમ રૂપ !!
Jain Edere
જેને બોલતા રોકી ન શકો તેની સાથે રોકાવું નહિ.
For Pers
vate Use Only
www.janmembrary.org