SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આજના - - - - - - - ૧૫ - - - - - - અંતરના ભાવો બદલાવા માંડ્યા. અત્યાર સુધી મૂર્તિને પથ્થર માનનારા શિકારીના ભાવો માત્ર મુખારવિંદના દર્શનથી બદલાયા. હું કેવો હિંસક અને પ્રભુના મુખ પર કેવી અહિંસકતા!! મારા મુખ પર કાયમ રતાના ભાવો અને પ્રભુના મુખ પર દયાના ભાવો!! મારી આંખોના છેડા કાયમી લાલ અને પ્રભુના ગુલાબી ! મારો ચહેરો બિહામણો અને પ્રભુનો સુંદર સોહામણો !! અહો ! ક્યાં હું પામર અને પ્રભુ તો પરમ ! વિચારધારામાં જોરદાર પલટો આવ્યો હતો. આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા માંડ્યા આગળ વધતાં પરમાત્માની સંપૂર્ણ વિરાટ કાયા જોઈને તો જાણે કે આંખમાંથી અશ્રુની ધારા છૂટી. મનોમન નક્કી કર્યું કે આજ પછી શિકારનો ધંધો બંધ ! હવે આ દાદા એટલા બધા ગમી ગયા છે કે હવે ક્યાંય જવું નથી. જીંદગી આખી આ દાદાના ચરણોમાં ન્યોછાવર કરવી છે. અડધો એક કલાકે દાદાના દર્શન કરી પાછો મિત્ર પાસે આવ્યો. મિત્ર કહે કે ચાલ હવે જમવા જઈએ. તારે બહુ વાર થઈ. શિકારી કહે “હવે જમવામાં મને રસ નથી. મારો નિશ્ચય છે કે હવે આખી જીંદગી આ દાદાના તીર્થમાં જ રહેવું છે” તું મને અહીં નોકરી અપાવી દે પછી જમવા જઈશું. મિત્ર કહે કે અરે ! હું કાંઈ થોડો શેઠ છું તને નોકરી અપાવી દઉં. એ માટે તો શેઠને મળવું પડે. શિકારી કહે કે તું તારા શેઠ પાસે મને લઈ જા. મને ભોજન નહી ભજનમાં રસ છે. પેટપૂજા કરતાં પહેલાં પ્રભુપૂજા નક્કી કરી લેવા દે. ભક્તિ તો પછી યે થશે, દાદાની ભક્તિ પહેલા કરવી છે. બંને શેઠ પાસે પહોંચ્યા અને નોકરી માટે વાત કરી. શેઠ કહે કે હું તને ઓળખતો નથી, અમારે ચોકીદારની હવે વધારે જરૂર ( બીજાએ કરેલો ફ્રોડ ન જોતા, આપણા પૂર્વભવનો ફોલ્ટ જુવો. ) Jain Sever-e-- --- ------------- -અનામિકary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy