SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ---------------ળ૪૮ ------------- ઘરના દરેક સભ્યોએ જાપ શરૂ કર્યા. ૨૧ દિવસ પછી બલસાણા તીર્થ દર્શન કરવા ગયા. ત્યાંથી અમદાવાદ આવી રીપોર્ટ કઢાવતા. જાણવા મળ્યું કે, બ્લેડરમાં જે ખામી હતી તે સાફ થવા માંડી છે. નડીયાદ જઈ થોડા થોડા દિવસે રીપોર્ટ કઢાવતા ગયા. દરેકમાં સુધારો આવતા આવતા એક દિવસે ડૉક્ટરે કર્યું કે, હવે તદન મામૂલી ઓપરેશન કરવું પડશે. ને એ ઓપરેશન પછી કિડની પહેલાની જેમ કામ કરવા લાગશે. દાદાનો આ પ્રભાવ અને ભક્તોની આવી શ્રધ્ધા ખરેખર જ સાયન્સ માટે એક પડકાર રૂપ છે. - ૪૦. તારો એક જ આધાર સંદિપ એનું નામ. ટાઈફોઈડ થયો. ખોરાક ન પચે, આંતરડા માં રસી થઈ. અમદાવાદ જીવરાજ હોસ્પિટલમાં ૧ મહિનો રહ્યો. બાટલા ચઢાવ્યા. ૧૯ દિવસ થયા. મોઢેથી પાણીનું ટીપું ગયું નથી. આંતરડામાં ૩-૪ પંક્યર થયા. પાંચ ટબ જેટલું બ્લડ નીકળ્યું. ૨૨ બોટલ લોહી ચઢાવ્યું. સંદિપ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. ત્રણ બેન વચ્ચે એક ભાઈ, માતા અને બેનોની આંખમાં આસું સુકાતા ન હતા. મોઢા સુજી ગયા હતા, કારણ ડૉક્ટરોએ હાથ ખંખેરી નાંખ્યા હતા. હવે તો પ્રભુ જ બચાવે. આ સમયે કો'કેવિમલનાથ દાદાના જાપનો સંકેત કર્યો, માતા અને બેનો દિલ લઈને જાપમાં મગ્ન બન્યા. જાણે ચમત્કાર સર્જાયો. ધીમે ધીમે વેદનાઓની ભરતી ઓસરવા લાગી.નોકરીયાત માણસોએ સવા લાખ ખર્ચ્યા છતાં કાંઈ ન વળ્યું. ને દાદાના નામની અમૂલ્ય ઔષધિથી સંદિપને જીવતદાન મળ્યું. આજે સંદિપ એક રૂપિયાની દવા વગર હસતો ખીલતો છે. ૬ ૬ ૬૬ ૬ શાસનપ્રભાવક સ્વ.પૂ.પં.શ્રી ચંદ્રશેખર વિ.ગણિને સાદર સમર્પણ Jain Educator tratar For persona a Private Use Only www.jainelibrary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy