SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - ના નજર જ ના નામ ની - ૧ ૨૯ : વાર ના નામ ની નાર - નાના૨૨. શ્રી નમસ્કાર મહામંત્રની વિશિષ્ટ આરાધના મુંબઈ-કાંદિવલી (ઈસ્ટ)માં રહેતા પંડિતશ્રી ધનંજયભાઈ જશુભાઈ જૈન (પ્રેમકેતુ) સુપ્રસિધ્ધ વિધિકાર અને જૈન ધર્મના જાણીતા પંડિતજી છે. શ્રી સિધ્ધચક્ર આદિ પૂજનો ભાવવાહી વિવેચન સહિત ભણાવે છે. એક વખત તેમના ચારિત્રપદનું વર્ણન સાંભળીને પૂજનમાં બેઠેલ ૨૦-૨૨ વર્ષની ઉંમર ધરાવતા નવપરણિત યુગલને ભાવોલ્લાસ વધ્યો. વર્ણન સાંભળતા આંખોમાંથી અશ્રુધાર વહી. કુંભની સ્થાપના કરતાં પાંચ પર્વતિથિનો બ્રહ્મચર્યનો નિયમ પાંચ વર્ષ માટે પંડિતજીની પ્રેરણાથી લઈ લીધો. એક દિવસ પહેલાં જ લગ્ન કરનારા યુગલને માટે પાંચ પર્વતિથિનો નિયમ પણ કેવે અઘરો પડે, તે તો ભોગરસિક જુવાનિયાઓ જ સમજી શકે. ધન્યવાદ તે યુગલને! અને ધન્યવાદ તેમને આવી પ્રેરણા આપનાર પંડિતજીને !! આજથી આશરે ચૌદ વર્ષ પૂર્વે (વિ.સં.૨૦૪૭માં) રાણકપુર તીર્થના દર્શન કરતાં પં.ધનંજયભાઈના હૃદયમાં ભાવ જાગ્યો. “હે, પરમાત્મન્ ! ધરણા શાહ જેવા તો મારા નસીબ ક્યાંથી... કે આપનું આવું ભવ્ય જિનાલય હું બનાવી શકું?"પરંતુ જ્યાં સુધી મારા નાનકડા ઘરમાં મારા સ્વદ્રવ્યના ભગવાન ભરાવીને ગૃહમંદિર ન બનાવું ત્યાં સુધી મૂળમાંથી ઘીનો ત્યાગ. આ રીતે ભગવાન સમક્ષ અભિગ્રહ ધારણ કર્યો. અઢી વર્ષ સુધી મૂળથી ઘી બંધ રહ્યું. ત્યાર બાદ પોતાના નાના ફૂલેટમાં સુંદર ગૃહમંદિર બનાવ્યું અને વિ.સં. ૨૦૪૯માં શ્રી શિતલનાથ ભગવાનની ચલપ્રતિષ્ઠા કરી. વિ.સં.૨૦૬૦ની સાલમાં શ્રા.સુ.૨ થી ૨૧ દિવસ સુધી સળંગ આયંબિલ તપ સાથે શ્રી નવકાર-મહામંત્રની અનુમોદનીય આરાધના ઘરમાં જ રહીને પં.ધનંજયભાઈએ કરી. પ્રતિદિન (આખી દુનિયામાં વાંકોચાલનારસર્પદરમાં તો સીધો, આપણે ક્યાં સીધા? For Personar & Private use only www.jainelibrary.org Jain Education international
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy