SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ *** ખર્ચ ઓપરેશનમાં થઈ ચૂક્યો છે. ઉપરથી પીડા ભોગવી રહ્યા છે તે બોનસમાં. જીવનમાં ક્યારેય કોઈનો મફતિયો પૈસો નથી જ જોઈતો એવો દઢ સંકલ્પ કરી પાપના પૈસાને કાયમ માટે અલવિદા કરી શકશો ને ? પૈસાને સર્વસ્વ માનનારાઓ બરોબર વાંચજો કે પૈસાથી ભોજન ખરીદી શકાય છે. પણ ભૂખ નહિ. પૈસાથી ડનલોપની ગાદી ખરીદી શકાય છે પણ ઉંઘ નહિ. ♦ નડિયાદના દલસુખભાઈ ઉંમ૨-૭૦ વરસ ઉપરની થઈ. એમની પાસે ભાડા પર રાખેલી બે વખાર હતી. ૫૦ વરસથી આ વખારનો કબજો એમની પાસે હતો. એક દિવસ આ વખારનો માલ બધો ખાલી કરી એમણે આ બંને વખારનો કબજો મકાન માલિકને આપતા જણાવ્યું, “મારી હવે ઉંમર થઈ છે, મારા છોકરાઓ મારા કહ્યામાં હાલ તો છે જ, પણ મારા મરણ પછી એ આ વખારો,” રહે તેનું મકાન-કબજો બળવાન છે” વગેરે કાયદાઓનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરે એમાં મને અન્યાયઅનીતિના દર્શન થાય છે અને એવું ન બને એટલે જ આ વખારોનો ખાલી કબજો તમને સોંપી દઉ છું. તમો એ સંભાળી લો. મારે અન્યાય-અનીતિનું કાંઈ ન ખપે.” હા ! માનવતાના આવા દીવડાઓ હજી પણ ટમગમતા રહી પ્રકાશ પાથરી રહ્યા છે એ ખૂબ પ્રસન્નતાની વાત છે. ૨૭. ભગવાન મેરે ભી હૈ શ્રી આદિનાથ જિનાલય - મંડપેશ્વર રોડ, બોરીવલી વેસ્ટ મુંબઈ શાંતારામ નામના મંડપ કોન્ટ્રાક્ટરે કોઈ એક શુભપ્રસંગ ૫૨ શ્રી સંઘ માટે મંડપ બાંધી આપ્યો. એ માટેનું બીલ આપવાનું કહેતા પ્રભુ મને સાંભળ એમ નહિ, પ્રભુ મને સંભાળ. For Personal Private Use Only Jain Education International www.jainelibary.org
SR No.005434
Book TitleJain Adarsh Prasango Part 10
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2012
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy