Page #1
--------------------------------------------------------------------------
________________
@kkblidh lo
- જૈન ગ્રંથમાળા
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
નંદ કૃત સયા.
અર્થ સહિત.
સગુણાનુરાગી મુનિરાજ શ્રી કપૂરવિજયજીના
| સદુપદેશથી શા. જયસુખલાલ રામચંદ ગાઘાનિવાસી તરફથી
મળેલી આર્થિક સહાયથી.
છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈનધર્મ પ્રસારક સભા
ભાવનગર.
વીર સંવત ૨૪૫૮ વિક્રમ સંવત ૧૯૮૮ આવૃત્તિ ૧ લી.
નકલ ૩૦૦૦ , મૂલ્ય-વાંચન-પઠન-મનન.
ભાવનગર-આનંદ પ્રીન્ટીગ પ્રેમ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
મા સયાઓ એના કત્તની રચેલી બહોંતરી અથ સહિત છપાવતાં તેની સાથે મૂકેલા છે, પરંતુ તે અર્થ સાથે છપાવાની આવશ્યકતા " જણાતાં સંહારાજશ્રી કપૂરવિજયજીની પ્રેરણાથી અર્થ લખવાનો પ્રયાસ
શરૂ કર્યો, તેઓ સાહેબે તપાસીને સુધારી આપવાની તસ્દી લીધી, તેને ૫રિણામે તેમજ તેઓ સાહેબના ઉપદેશથી આર્થિક સહાય કરનાર ગૃહસ્થ મળી આવવાથી આ બુક જૈન સમુદાય પાસે રજુ કરવાનું બની શકયું છે.
આમાં દાખલ કરેલા (પર) સવૈયાઓ પૈકી ૪૪ સવૈયાઓ સઝાયપ૬ સ્તવનાદિ સંગ્રહમાં ધણા વર્ષ અગાઉ છુપાયેલા છે અને ૮ સવૈયાઓ ઉપદેશમાળાના અથવાળી બુકમાં છપાયેલા છે. કુલ (પર) સવૈયા સજજન સન્મિત્ર નામની બુકમાં છપાયેલા છે તે લીધા છે. તેમાં ફેરફાર એ કર્યો છે કે સજજન સન્મિત્રમાં છેવટે મૂકેલા ઉપદેશ માળાની બુ સ્વાળા ૮ સવૈયા મધ્યમાં મૂકવા જેવા અને ૪૪ સયામાં ૪૩-૪૪ મા સવૈયા છેવટે મૂકવા જેવા જ સ્થાવાથી તે સવૈયા ૨૯ થી ૩૬ ના અંક તરીકે મૂક્યા છે. એમ પ્રથમ ૭ ને પ્રાંતે ૧૬ કુલ ૨૩ સવૈયા એકત્રીશા (૩૧ અક્ષરના અકેક પવાળા તે ૧૬ ને ૧૫ અક્ષરના બે વિભાગવાળા ) છે અને મધ્યના ૨૯ સવૈયા ત્રેવીશા (૨૪ અક્ષરના એક પદવાળા અને ૧૨ ને ૧૧ અક્ષરના બે વિભાગવાળા) છે. કુલ (૫૨) સવૈયા છે.
આ સવૈયાઓ એવી અસરકારક ભાષામાં લખાયેલા છે કે તે લક્ષપૂર્વક વાંચતાં જરૂર આત્મ સ્વરૂપનું થાડે યા વરો અશે ભાન કરાવે તેવા છે. તેની વધારે વ્યાખ્યા અહીં શું કરીએ ? બુક માત્ર ૪૦ પૃષ્ટની છે તેથી તે સાઘત વાંચવાનું ધ્યાનમાં લેશે, પ્રાંતે એજ કર્તાના કહેલા હિતશિક્ષાના ૪૧ દુહા પણ સ્થળ મળવાથી દાખલ કર્યા છે તે પશુ અવશ્ય વાંચવા ભલામણ છે. આશા છે કે આ બુકના વાંચન મનનથી વાચા લેખકને પ્રેરકની ધારણુા સફળ કરશે. તથાસ્તુ ! કાત્તિક શુદિ ૧ તે
કુંવરજી આણ દજી સ. ૧૯૮૮
ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
भी परमात्मने नमः શ્રી ચિદાનંદજી કૃત રીયા.
== ==
( સવૈયા એકત્રીસા ). ઓંકાર અગમ અપાર પ્રવચનસાર, મહાબીજ પંચ પદ ગરભિત જાણીએ; જ્ઞાન ધ્યાન પરમ નિધાન સુખથાન રૂપ, સિદ્ધિ બુદ્ધિદાયક અનુપ એ વખાણીએ, ગુણ દરિયાવ ભવજળ નિધિ માંહે નાવ, તકે લિખાવ હિયે જોતિરૂપ ઠાણીએ; કીને હું ઉચ્ચાર આદ આદિનાથ તાતે યાકે, ચિદાનંદ પ્યારે ચિત્ત અનુભવ આણીએ. ૧
અર્થ–પ્રારંભમાં મંગળાથે કારનું સ્વરૂપ વર્ણન કરે છે. કારનું સ્વરૂપ અગમ્ય છે, અપાર છે, જેના પ્રવચનના સારભૂત છે, મહાબીજરૂપ છે, અરિહંતાદિ પાંચપદના પ્રથમાક્ષરથી ગર્ભિત છે. જ્ઞાનરૂપ છે, ધ્યાનરૂપ છે, પરમ નિધાન તુલ્ય છે, સુખનું સ્થાન છે. સિદ્ધિ ને બુદ્ધિને આપનાર છે, અનુપમ છે, ગુણના સમુદ્ર તુલ્ય છે,
૧ અરિહંતને “એ” અશરીરી (સિહ) ને “અ” આચાર્યને બા” ઉપાધ્યાયને “ઉ” અને મુનિને “મ” એમ પાંચ અક્ષરે મળીને કાર થયેલ છે. એ શાશ્વત મંત્ર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
( ૨ ) ભવસમુદ્ર તરવા માટે પ્રવહણ સમાન છે, તેમાં તત્વને સમાવેશ છે, હૃદયમાં તિરૂપ છે. એ ઋારને પ્રથમ ઉચ્ચાર શ્રી આદિનાથ પિતાએ કરેલો છે. ચિદાનંદજી કહે છે કે–હે પ્યારા આત્મા ! તેનો અનુભવ ચિતદ્વારા કરીને તેને આત્માની અંદર સ્થાપન કરો. ૧
નમત સકળ ઇંદ ચંદ જાકું ધ્યેયરૂપ, જાનકે મુનિંદ યાકું ધ્યાન મજઝ ધારહિ; સુરતિ નિરતિમેં સમાય રહે આઠ જામ, સુરભિ ન જિમ નિજ સુતકું વિસારહિ. લીન હોય પીનતા પ્રણવ સુખકારી લહે, દહે ભવબીજ વિષે વાસ પર જારહિ; ચિદાનંદ પ્યારે શુભ ચેતના પ્રગટ કર, એસે ધ્યાન ધર મિથ્યા ભાવકું વિસારહિ. ૨
અર્થ–જે કારને સર્વ ઇદ્રો ને ચંદ્રાદિક નમે છે અને તેને ધ્યેયરૂપ જાણીને મુનીંદ્રો જેને ધ્યાનમાં ધારણું કરે છે, ( જેનું ધ્યાન કરે છે ), વળી ગાય જેમ પોતાના સુત (વાછડા)ને આઠે પહોર ભૂલતી નથી તેમ મુનિ પણ એની સુરતિમા–એના શ્વાનની આસકિતમાં આઠે પહોર સમાઈ રહે છે–તેનું જ ધ્યાન કયો કરે છે અને તેમાં લીન રહીને પુષ્ટ થાય છે. વળી એ સુખકારી પ્રણવ (છ) ને પામીને વિષયવાસનાને બાળી દઈ ભવબીજને પણ બાળી દે છે. ચિદાનંદજી કહે છે કે-હે આત્મા ! તું શુભચેતનાને પ્રગટ કરીને તેમજ મિથ્યાભાવને વિસરી જઈને એનું એવું ધ્યાન ધર. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
( ૩ ) મુખમાંહિ રામચેં હરામમાંહિ મન ફિરે, ગિરે ભવકૂપમાંહિ કર દીપ ધારકે; વિષય વિકારમાંહિ રાગી મુખ ઇમ કહે, મેં તે હું વિરાગી માલા તિલક ર્યું ધારકે.
જેમકી જુગતિ વિનાજાને જે કહાવે જોગી, : ગલામાં સેલી અરૂ કાલીકંથા ડાર કે;
બિના ગુરૂગમ મિથ્યાજ્ઞાન ભમે ઈશુવિધ, ફેગટ ર્યું જાવે એ મનુષ્યભવ હારકે. ૩
અર્થ—જે મનુષ્ય મુખથી તે રામનું (પ્રભુનું) નામ લે છે પણ તેનું મન હરામમાં (અનાતિમાં) ફરે છે, તે હાથમાં દીવો લઈને ભવકૂપમાં પડે છે. વળી વિષય વિકારમાં રકત છતાં ગળામાં માળા ને કપાળમાં તિલક કરી ને હું તો વૈરાગી છું એમ જે કહે છે, વળી ગની યુક્તિ જાણ્યા વિના જે ગળામાં કાળી કંથા નાખાને અને ગળાપર કે શરીરપર રાખ ચોળીને પોતાને યોગી કહેવરાવે છે, એવા જ ગુરૂગમવડે તત્ત્વજ્ઞાન મેળવ્યા વિના મિચ્યાજ્ઞાનીપણે આ સંસારમાં ભમે છે–પરિભ્રમણ કરે છે અને આ અમૂલ્ય મનુષ્યભવ ફેગટમાં હારી જાય છે. ૩ શિરપર ભવેત કેશ ભયા તેહું નહિ ચેત, ફિરત અચેત ધન હેત પરદેશમેં મેરે મેરો કરત ધરત ન વિવેક હિયે, મેહ અતિરેક ધર પરત કિલેશમેં,
પર કેશ ગુરૂ
ભમ'
૧ રાખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
( ૪ ) પડ્યો નાના વિધ ભવકૂપમેં સહત દુઃખ, મગન ભયે હે મધુબિંદુ લવલેશમેં; આતપત્રછાયો સઉ મન હંત ભયો અબ, ચિદાનંદ સુખ પાયો સાધુ કે સુરેશમે. ૪
અર્થ–-માથા ઉપર ધેાળા વાળ થયા છતાં આ પ્રાણું ચેતતા નથી અને ધન મેળવવા માટે પરદેશમાં ફરે છે, મારૂં મારૂં કરે છે, મોહના અતિરેકથી હૃદયમાં વિવેકને ધારણ કરી શકતા નથી અને અનેક પ્રકારના કલેશમાં પડે છે. વળી ભવકૃપમાં પડ્યો તે અનેક પ્રકા૨ના દુ:ખ સહન કરે છે અને મધુબિંદુની જેવી અંશમાત્ર આશામાં ને આશામાં મગ્ન રહે છે. હવે જ્યારે એ બધું છોડી દે છે ત્યારે સાધુપણાના ઉત્તમ વેશમાં–જેમ માથે છત્ર ધારણ કરવાથી તાપને ભય નાશ પામે છે ને શાંતિ પ્રાપ્ત થાય છે તેમ–આ જીવ ચિદાનંદપણાના સુખને (આત્મિક સુખને) પામે છે. ૪
ધન અરૂ ધામ સહ પડ્યો હિ રહે નર, ધાર કે ધરામેં તું તે ખાલી હાથ જાગે; દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો કછુ, હોય કે જમાઈ કેઇ દુસરે હિ ખાયેગે. કુડ રૂ કપટ કરી પાપબંધ કીને તાતે, ઘર નરકાદિ દુખ તેરે પ્રાણી પાવેગે; પુન્ય વિના દુસરે ન હેયને સખાઈ તબ, હાથ મલ મલ માખી જિમ પસતાવે. ૫ ૧ છત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૫ )
અ—હે ભવ્ય ! તારૂં ધન અને તારા મકાન તેમજ જમીનમાં દાટેલુ' દ્રવ્ય બધું અહીં પડયું રહેશે ને તુ ખાલી હાથે પરભવમાં ચાલ્યે જઇશ. તું તારે હાથે દાનપુન્ય કાંઇ કરી ન શકયા પણ તારૂ દ્રવ્ય તારા જમાઈ થઇને કાઈ ખીજો મનુષ્ય ખાશે. તે કુડ-કપટ કરી પાપને બંધ કર્યો છે તેથી તારા આત્મા ભયંકર એવા નરકાટ્ઠિકના દુ:ખને પામશે, તે વખતે પુન્ય વિના ખીજે કાઈ તારા મિત્ર થશે નહીં અને તું માખીની જેમ હાથ ઘસી ઘસીને પસ્તાવા કરીશ. પ.
અગમ અપાર નિજ સંગતિ સંભાર નર, માહક વિડાર આપ આપ ખેાજ લીયે; અચળ અખંડ અલિપ્ત બ્રહમંડ માંહિ, વ્યાપક સ્વરૂપ તાકેા અનુભવ કીજીયે, ખીર નીર જિમ પુદ્ગલ સંગ એજ઼ીભૂત, અંતર સુદૃષ્ટિ સુષ્ટિ ખાજ તાકા લવ લીજીયે; ધાર એસી રીતહી એ પરમ પુનિત ઇમ, ચિદાનઃ પ્યારે અનુભવરસ પીજીચે, ૬ અ—હે નર ! હું મનુષ્ય ! અગમ ને અપાર એવી પાતાની શક્તિને તુ સંભાળ અને મેહને વિદારીને પેાતાના આત્માને ( તેના સ્વરૂપને ) શેાધી લે. તે આત્મસ્વરૂપ કેવુ છે ? અચળ, અખંડ, અલિપ્ત અને આખા બ્રહ્માંડમાં વ્યાપક, તેના અનુભવ કરી લે. એ આત્મા ક્ષીર ને નીરની જેમ પુદ્ગળની સંગાતે એકીભૂત થયેલા છે. તેને અંત[ આ સવૈયામાં જ઼ીજીમ, લીજીએ, પીજીએ ક્રિયાપદો છે તે કરવાના, લેવાના, પીવાના અર્થમાં સભવે છે. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
સુષ્ટિવડે શોધીને તેને અંશ પણ ધ્યાનમાં લઈ લે. એવી રીતે આત્મસ્વરૂપને હદયમાં ધારણ કરીને પરમ પવિત્ર એવા હે ચિદાનંદસ્વરૂપી પ્યારા ! અનુભવરસનું પાન કરી લે. ૬
આયકે અચાનક કૃતાંત ગહેશે તોહે, તિહાં તે ખાઈ લેઉ દુસરે ન દેવેગે; ધરમ વિના તે ઓર સકળ કુટુંબ મિલી, જાનકે પરેતાં' કઈ સુપને ન જેવેગે. ઉલટક સલામ કે સખાઈ વિના અંત સમે, નેણમાંહિ નીર ભર ભર અતિ રોગે જાન કે જગત એસ શાની ન મગન હોત, અંબ ખાવા ચાહે તે તે બાઉલ ન વેગે. ૭
અર્થ–હે ભવ્ય! તને અચાનક કાળ આવીને પકડશે ત્યારે તારે સખાઈ–તારું રક્ષણ કરનાર ધર્મ વિના બીજું કોઈ થશે નહીં. તારૂં બધું કુટુંબ તે તે વખતે મળીને
જ્યારે તને પરભવમાં ગયા જાણશે ત્યારે પછી સ્વપ્નમાં પણ તને સંભારશે નહીં. અંતસમયે એક (જુહાર)મિત્ર (ધર્મ) વિના તું આંખમાં પાણી લાવી લાવીને અત્યંત રૂદન કરીશ. આ પ્રમાણે જગતનું સ્વરૂપ જાણીને જ્ઞાની મનુષ્ય તેમાં મગ્ન થતા નથી. કેમકે કેરી ખાવાની ઈચ્છાવાળે મનુષ્ય કદિપણ બાવળ વાવતે નથી (આંબેજ વાવે છે). ૭
૧ પરેતાં-પ્રેત થયેલમરણ પામેલ જાણુને. ૨ લટક સલામવાળો સખાઈ તે (જુહાર)પ્રણામ મિત્ર-ધર્મ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૭ ).
સવૈયા તેવીસા. આપણું આપ કરે ઉપદેશ ક્યું, આપકું આપ સુમારગ આણે; આપક આપ કરે સ્થિર ધ્યાન, આપણું આપ સમાધિમેં તાણે. આપણું આપ લિખાવે સ્વરૂપશું, ભેગનકી મમતા નવિ ઠાણે; આપકું આપ સંભારત યા વિધ, આપકે ભેદ તે આપ હિ જાણે. ૮
અર્થ-સન્માર્ગદશી ) આત્મા પિતે જ પિતાને ઉપદેશ કરે અને પોતે જ પોતાને સન્માગમાં લાવે, પોતે જ પોતાને ધ્યાનમાં સ્થિર કરે અને પોતે જ પોતાને સમાધિમાં લીન કરે, પિતે જ પોતાનું સ્વરૂપ લખે–ઓળખે અને સાંસારિક સુખભેગની મમતા ન કરે, પતે જ પિતાને (પિતાના સ્વરૂપને) સંભારે અને પિતાને ભેદ ( પિતાનું સ્વરૂપ ) પોતે જ જાણે. ૮
આપ થઇ જગજળથી ન્યારે કર્યું, આપ સ્વરૂપમેં આપ સમાવે; આપ તજે મમતા સમતા ધર, શીલ શું સાચો સનેહ જગાવે. આપ અલેખ અભેખ નિરંજન, પર જન અંજન દૂર વહાવે; યા વિધ આપ અપૂરવ ભાવથી, આપણે મારગ આપ હિ પાવે. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૮ ) અર્થ–સન્માગી આત્મા પિતે જગતની જંજાળથી ન્યારો થઈને પિતાના સ્વરૂપમાં જ પોતે સમાઈ જાય, પોતે જ મમતાને તજીને સમતાને ધારણ કરે અને સદાચાર (શીલ) ની સાથે સાચે સ્નેડ જાગૃત કરે. પોતે અલેખ છે, અભેખ છે, નિરંજન છે અને પરજનના (અન્ય ધમઓના) કરેલા અંજનને દૂર કરી દે છે.
આ પ્રમાણે પોતાના જ અપૂર્વ ભાવવડે પિતાને માર્ગ પિોતે જ મેળવે-પામે. ૯
વેદ ભણે ક્યું કિતાબ ભણે અરૂ, દેખ જિનાગમકું સબ જોઈ; દાન કરો અરૂ સ્નાન કરે ભાવે,
ન ધરો વનવાસી ક્યું હોઈ. તાપ તપ અરૂ જાપ જપ કેઉ, કાન ફિરાય ફિર યુનિ દેઈ; આતમ ધ્યાન અધ્યાતમ જ્ઞાન, સમે શિવસાધન ઓર ન કેઈ. ૧૦
અર્થ-ઉપદેશક મહાપુરૂષ કહે છે કે-તમે વેદ ભણી જાઓ, કતાબ વાંચી જાઓ અને જિનાગમ-જૈન સિદ્ધાંતે પણ બધા જોઈ જાઓ, દાન કરે, તીર્થાદિકે જઇને સ્નાન કરે, મન ધારણ કરો અથવા વનવાસી થઈ જાઓ, આતાપના થે, અનેક પ્રકારના જાપ જપ અથવા
- ૧ અલેખ-જેનું સ્વરૂપ લખાય નહીં તેવા. ૨ અભેખકોઈ પણ પ્રકારના ભેખ (વેશ ) વિનાને: ૩ નિરંજન-મૂળ સ્વરૂપમાં કર્મરૂપ અંજન વિનાને. ૪ અન્યનું કરેલ અંજન-મિથ્યાત્વરૂપ તેને દૂર કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૯ )
અને કાન ડાવીને કાનટા જોગી થઈ જાઓ; પરંતુ આત્મધ્યાન કે અધ્યાત્મ જ્ઞાન શિવાય ત્રીજી કાઇ માક્ષનું સાધન થઇ શકે તેમ નથી. આત્મધ્યાન સહિત તે તે ક્રિયાએ ફળદાયક થઇ શકે તેમ છે. માટે તેનું અવલખન ગ્રહણ કરેા. ૧૦
જે અરિ–મિત્ત ખરાખર જાનત, પારસ આર પાસાણ ન્યુ દાઇ; ન્યુ કંચન જ઼ીચ સમાન અહે જસ, નીચ નરેશમ ભેદ ન
કાઇ.
૧
સાન કા અપમાન કહા મન, ઐસા (ચાર નહિ તસ હાઇ; રાગરૂ રાષ નહિં ચિત્ત જાકે ન્યુ, ધન્ય અહૈ જગમેં નર જગમે. નર સાઇ. ૧૧ અથ—જે શત્રુ-મિત્રને સમાન જાણે, પારસ ને પાષાણને સરખા માને, કંચન ને કાદવને સદેશ જાણે, નીચ (રક ) કે રાજામાં ભેદ ન સમજે, માનના કે અપમાનના વિચાર જ જેના મનમાં ન હોય અને રાગ કે દ્વેષ જેના ચિત્તમાં વર્તતા ન હોય, તે મનુષ્ય જ આ જગતમાં ધન્ય છે. ૧૧
જ્ઞાની કહા જ્યું અજ્ઞાની કહેા કાઇ, ધ્યાની કહે। મતમાની જ્યુ કાઇ; જોગી કહા ભાવે ભાગી કહેા કાઇ, જાકું જિસ્યા મન ભાસત હાઈ.
૧ પારસમણિ–જેના સ્પર્શીથી લાઢું સુવર્ણ પાને પામી જાય છે તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) દોષી કહા નિરદેશી કહે, પિંડ-પોષી કહે કઈ ગુન જોઈ; રાગ રૂ ષ નહિં સુન જાકે ક્યું, ધન્ય હે જગમેં જન સોઇ. ૧૨
અર્થ-કેઈ મનુષ્ય જ્ઞાની કહે, કોઈ અજ્ઞાની કહે, કેઈ ધ્યાની કહો, કોઈ મતમાની (કદાઝહી) કહે, કેઈ જેગી કહે, કોઈ ભેગી કહે, જેને જેમ મનમાં ભાસે (સમજાય) તેમ કહે, કે દોષવાન કહે, કોઈ નિર્દોષી કહે, અગર કાંઈક અવગુણ જોઈને કેઈ પિંડપષી-ઉદર ભરનાર કહે, પરંતુ એ સર્વ સાંભળ્યા છતાં જેને રાગ કે દ્વેષ હયમાં ઉત્પન્ન થતા નથી તે મનુષ્ય જ આ જગતમાં ધન્ય છે. (કૃતપુણ્ય છે). ૧૨
સાધુ સુસંત મહંત કહો કોઉ, ભાવે કહે નિગરંથ પિયારે; ચેર કહે ચાહે ઠેર કહો કેઉ, સેવ કરે કેઉ જાન દુલારે. બિનય કરે કેઉ ઉચે બેઠાય ક્યું, દૂરથી દેખ કહે કેઉ જા રે; ધારે સદા સમભાવ ચિદાનંદ,
લોક કહાવતરું નિત ન્યારે. ૧૩ અર્થ-કેઈ સાધુ, સુસંત અથવા મહંત કહે, અથવા કોઈ નિગ્રંથ કહે, કઈ ચેર કહે, કોઈ ઢોર કહા અથવા કઈ જાણ મનુષ્ય સારા દિલથી સેવા કરે, કઈ
૧ ગુન-અવગુણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
ઉંચે આસને બેસાડીને વિનય કરે અથવા કોઇ દૂરથી જ દેખીને ‘ જા, જા’ એમ કહા, પરંતુ લેાકના કથનથી નિર’તર ન્યારા રહેનારા એવા ચિદાનંદ આત્માનંદી મનુષ્ય તા સદા સર્વ ઉપર સમભાવ જ ધારણ કરે છે. ૧૩
માનીકું હાય ન મવતા ગુણ, મતા તમ કાહે કા માની; દાની ન હાય અદત્ત જિકે જ્યું, અદત્ત ભયેા તે તેા કાહે દાની. ધ્યાની! ચંચળતા નહિં વ્યાપત, ચંચળતા તદ કાઠેકા યાની; જ્ઞાની ન હેાય ગુમાની સુના નર, માન અહે તઃ કાઢેકા જ્ઞાની. ૧૪ અ—અભિમાની મનુષ્યમાં માવતા ગુણ હાતા નથી અને જો માવતા ગુણ હોય તે તે માની શેના? દાની મનુષ્ય અનુત્ત લે જ નહીં, છતાં જો અદત્ત લે તા તે દ્યાની જ શેને ? ધ્યાની મનુષ્યમાં ચંચળતા ન જ હોય પણ જો ચંચળતા હાય તેા તે ધ્યાની જ શેના ? તેમજ જ્ઞાની મનુષ્ય ગુમાનવાળા-અભિમાનવાળા ન જ હોય; પર ંતુ જો અભિમાની હોય તેા જ્ઞાની જ શેના ? તેને જ્ઞાની ગણી શકાય નહીં. ૧૪
જોમન સંધ્યાકે રાગ સમાન જ્યું, મૂ કહા પરમાકું સેવા; સંપત તા સરિતાકા હી પૂર ન્યુ, દાન કરી ફળ ચાર્કા જ્યુ લેવા,
૧ માર્દવતા—મૃદુતા ( નિરભિમાનતા ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
આયુ તા અંજળિકે જળ જ્યુ નિત, છિજત હું લખ એસે જ્યું ભેવા; દેહ અપાવન જાન સદા તુમ, કેવળી ભાખિત મારગ સેવા. ૧૫
અ—યાવન સંધ્યાના રંગ સમાન ચંચળ છે, તા હૈ મૂઢ ! તુ પ્રમાને કેમ સેવે છે? સંપત્તિ નદીના પૂરની જેમ થાડા વખતમાં જતી રહેનારી છે. તેથી તેના દાન પુન્યમાં ઉપયેગ કરીને તેનું ફળ મેળવી લે. આયુષ્ય અંજલિમાં રાખેલા જળની જેમ ક્ષણે ક્ષણે ઘટતુ આધુ થતું જાય છે, તેા તે હકીકત લક્ષમાં રાખી લે અને આ શરીરને નિરંતર અપવિત્ર જાણીને તું કેવળીભાષિત ધર્મનુ સેવન કર. ૧૫
સંસાર અસાર ભયા જિનકુ, મરવેકા કહા નિર્ક ડર હૈ; તે તા લોક દેખાવ કહા જ્યું કઢા, જિનકે હિંચે અંતર થિત રહે. જિને મુંડ મુંડાય કે દ્વેગ લીયા, તિનકે શિર કાન રહી કર હે; મન હાથ સદા જિનકુ` તિનકે, ધર હિ વન હૈ વન હિ ધર હૈ. ૧૬
અ—જેણે આ સંસારને ખરેખર અસાર જાણ્યા તેને પછી મરવાના ડર શેના હાય ? વળી એના અંતરમાં આત્મસ્વરૂપની સ્થિતિ છે તે લેાકદેખાવ પણ શા માટે
• ભેદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૩ ) કરે? તેને લોક ગમે તેમ કહે તેને ભય પણ શેને હેય? વળી જેણે મસ્તક મુંડાવીને વેગ ગ્રહણ કર્યો તેને માથે પછી કર પણ શેને હોય? કર્તા કહે છે કે–જેને નિરંતર પોતાનું મન કબજે છે તેને ઘર તે જ વન છે અને વન તે જ ઘર છે. અર્થાત તેને વન ને ઘર બંને સરખાં છે. ૧૬
શુભ સંવર ભાવ સદા વરતે, મન આશ્રવ કેરે કહા ડર હે; સહુ વાદવિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઈસે નર હે. નિજ શુદ્ધ સમાધિમેં લીન રહે, ગુરૂ જ્ઞાનકો જાકું દિયે વર હે. મન હાથ સદા જિનકું તિનકે, ઘર હિ વન હે વન હિ ઘર છે. ૧૭
અર્થ-જેના મનમાં નિરંતર શુભ સંવર ભાવ વતે છે, તેને મનમાં આશ્રવને ડર શેને હેય? તે મનુષ્ય તે સર્વ વાદવિવાદને ભૂલી જઈને અપાર એવી સમતાને પિતાના મનમાં ધારણ કરે. વળી જેને ગુરૂ તરફથી જ્ઞાન પ્રાપ્તિને વર (વરદાન) મળેલ હોય તે પિતાની શુદ્ધ સમાધિમાં લીન રહે. કર્તા કહે છે કે-જેનું મન નિરંતર પિતાને હાથ છે-કબજે છે તેને ઘર તેજ વન છે અને વન તેજ ઘર છે. વનમાં ને ઘરમાં તેના મનમાં ભેદભાવ હેતું નથી. ૧૭.
મમતા લવલેશ નહિ જિનકે ચિત્ત, છાર સમાન સહુ ધન હે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) જાકું ભેદ વિજ્ઞાનકી દૃષ્ટિ કરી, અહિ કંચુકી જેમ જુદો તન હે. વિષયાદિક પંક નહિ ઢીક જાકું , પંકજ જિમ જિકા જન છે મન હાથ સદા જિનકું તિનકે, વન હિ ઘર હે ઘર હિ વન હે. ૧૮
અર્થ–જેના મનમાં આ સાંસારિક પદાર્થો પર લવલેશ મમતા નથી તેને સર્વ પ્રકારનું ધન છાર (રાખ) સમાન છે. જેને ભેદજ્ઞાનની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેને પછી સપની કાંચળીની જેમ આ શરીર આત્માથી જુદું જ. સમજાય છે. વળી જેના આત્મા ઉપર વિષયાદિકને પંક (કાદવ) લાગેલ નથી તેને આત્મા પંકજ ( કમળ ; ની જેમ સંસારથી અલિપ્ત જ રહે છે. કર્તા કહે છે કે–જેનું મન નિરંતર પિતાને કબજે છે તેને ઘર તેજ વન છે અને વન તેજ ઘર છે. ૧૮.
માખી કરે મધ ભેરે સદા તે તે, આન અચાનક ઓર હિ ખાવે; કીડી કરે કણકે જિમ સંચિત, તાહુકે કારણ પ્રાણ ગુમાવે. લાખ કરાર જેર અરે નર, કાકુ સૂરેખ સૂમ' કહાવ; ધર્યો હિ રહેશે ઈહાં કે ઈહાં સહ,
અંત સમે કછુ સાથ ન આવે. ૧૯ ૧ જન–આત્મા. ૨ કપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) અર્થ–મધમાખી નિરંતર મધ ભેળું કરે છે–પોતે ખાતી નથી, તે મધ અચાનક કોઈ આવીને લઈ જાય છે અને ખાય છે. કીડી દાણાને સંચય પિતાના દરમાં કરે છે પણ તે કારણથી તે પોતાના પ્રાણ ખુએ છે. કર્તા કહે છે કે અરે મૂર્ખ મનુષ્ય! તું લાખ ને કોડ દ્રવ્ય ભેગું કર્યા છતાં શા માટે કૃપણ કહેવરાવે છે? દાતાર શા માટે બનતો નથી ? કારણ કે એ તારૂં બધું દ્રવ્ય અહીંનું અહીં પડયું રહેશે, અંત સમયે તેમાંથી કોઈ પણ તારી સાથે આવશે નહીં. ૧૯
રચક બીજ ધરામાંહિ બોવત, તાકે અનેક ગુણે ફીર પાવે; કાલ વસંતકું જાચક જાનકે, પાન દિયે તિનકું નવ આવે. જાણ અનિત સભાવ વિવેકહ્યું, સંપત પાય સુમારગ લાવે; કરતિ હોગી ઉોંકી દશે દિશ,
બેઠ સભામેં દાતાર કહાવે. ૨૦
અર્થ–જમીનમાં નાના સરખા બીજ વાવે છે તે તે મારું વિત્યે અનેકગણું ધાન્ય પામે છે. વસંત ઋતુને યાચક જાણુને જે વૃક્ષ પોતાના પાનાઓ આપી દે છે તે ફરીને નવા પાનડાઓ મેળવે છે. તે પ્રમાણે વિવેકી મનુષ્ય સંપત્તિ પામીને તેને સ્વભાવ અનિત્ય સમજી તેને વિવેકપૂર્વક સારા માર્ગમાં વાપરે છે. કર્તા કહે છે કે તે મનુ- ૧ “કીડી સંચે ને તેતર ખાય” એ કહેવત અનુસાર કીડીનું - ધાન્ય બધું તેતર પક્ષી કીડી સહિત ખાઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૬ ) બની કીર્તિ દશે દિશામાં વિસ્તાર પામે છે કે જેને સભામાં બીજાઓ દાતાર કહે છે. અર્થાત્ જે મળેલા દ્રવ્યને સત્કાર્યમાં વ્યય કરે છે. ૨૦
માટીકા ભાંડ હવે સતખંડ જ્યુ, લાગત જાસ જરા ઠણકા; ઈમ જાણ અપાવન રૂ૫ અરે નર, નેહ કહા કરીએ તનકા. નિજ કારજ સિદ્ધિ ન હોય કછુ, પર રંજન શોભ કરે ગણકા; ચિદાનંદ કહા જયમાલકું ફેરત, ફેર અરે મનકે મણકા. ૨૧
અર્થ-માટીનું ભાજન જેમ જરામાત્ર ઠોકર લાગવાથી ભાંગી જાય છે, તેમ આ અપવિત્ર શરીરનું રૂપ (શરીર) પણ તેવું જ વિનાશી છે, માટે તેને તેની ઉપર નેહ શું કરે? એમાં પોતાના કાર્યની સિદ્ધિ બીલકુલ થવાની નથી. એવી રીતે પરને રંજન કરવા માટે તે વેશ્યા શરીરને શોભાવે, ઉત્તમ સ્ત્રી ન ભાવે. ચિદાનંદ મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણ તું જપમાળા હાથમાં લઈને તેના મણકા શા માટે ફેરવે છે? તારા મનના મણકા ફેરવ કે જેથી ખરી વાતની તને ખબર પડે. ૨૧
જ્ઞાનવિકા ઉત ભયા તબ,
દૂર ગયા ભ્રમ ભાવ અંધેરા; ૧ ગણિકા-વેસ્યા.
' તુ જ
જેથી ખરી માટે ફેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) આ સ્વરૂપકું આપ નિહારત, જૂઠ સ્વરૂપ લિખ્યા જગ કેરા. માયાકુ તેર રૂ ધ્યાનકું જેકે, પાયા જિનને સુવાસ વસેરા; યા વિધ ભાવ વિચાર ચિદાનંદ, સોઈ સુસંત અહે ગુરૂ મેરા. ૨૨
અર્થ-જેમના હદયમાં જ્ઞાનરૂપી સૂર્યને ઉઘાત થયેલ હોવાથી ભ્રમભાવ (મિથ્યાભાવ, રૂપ અંધારૂં નાશ પામ્યું છે, આત્મસ્વરૂપને પિતે જ જોયું અને તેથી જેમણે આ જગતનું સ્વરૂપ બધું જૂઠું છે એમ ઓળખી લીધું છે, વળી જેમણે માયાને તોડીને અને ધ્યાનને જોડીને ઉત્તમ નિવાસમાં સ્થાન મેળવ્યું છે. ચિદાનંદ મહારાજ કહે છે કે એવા પ્રકારના ભાવ-વિચારવાળા જે ઉત્તમ સંતે છે તેજ મારા ગુરૂ છે. ૨૨
કાહકે દેશ વિદેશ ફિરે નર? કહેલું સાયરકું અવગાહે? કાહક આશ કરે પરકી શઠ? નીચ નરેશકી ચાકરી ચાહે ? કહેલું સેચ બિચાર કરે તન? અંતર તાપથી કાટેકું દહે? દીનો અહે અવતાર તેહે જિણ
તાકે તે ભારણું તેડુ નિવાહ. ૨૩ ૧ આત્મસ્વરૂપમાં રમણતારૂપ ઉત્તમ નિવાસસ્થાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ). અર્થ––હે ચેતન ! તું શા માટે દેશ-પરદેશમાં ફરે છે? શા માટે સમુદ્રને અવગાહે છે–સમુદ્રમાં સફર કરે છે? હે મૂર્ખ ! શા માટે પારકી આશા કરે છે? અને શા માટે નીચની કે રાજાની ચાકરી (સેવા–નેકરી) ઈચ્છે છે? શા માટે ઘણે શાચ ને વિચાર કર્યા કરે છે ? અને શા માટે અંતરના તાપથી બન્યા કરે છે? એટલે જ વિચાર કર કે જેણે અહીં મનુષ્યાવતાર આપે છે તેના ભારને નિર્વાહ તેજ કરશે. અર્થાત તારા ભાગ્યની પ્રતીત રાખ, બેટી દોડાદોડ ન કર. ૨૩
કહેલું જંતર મંતર સાધત? કાકું નિસા મસાણમેં જાવ? કાહે દેવકી સેવ કરો તુમ ? કાહકુ આક ધતુર ક્યું ખાવું? રંચક વિત્ત અસારકે કારણ, કહેલું એર કે દાસ કહાવે? આશ કહા કરીએ પરકી નર,
હોઇ નિરાશ નિરંજન ધ્યા. ૨૪ અર્થ–હે નર ! હે મનુષ્ય ! તું શા માટે જંતર ને મંતર સાધવાને પ્રયત્ન કરે છે? અને શા માટે રાત્રે સ્મશાનમાં જાય છે? શા માટે આકડો ને ધતુરે ખાવાની જેમ અન્ય દેવી દેવતાની સેવા કરે છે? વળી એક રંચમાત્ર અને અસાર દ્રવ્યને માટે શા સારૂ બીજાનું દાસપણું કહેવરાવે છે? શા માટે પારકી આશા કરવી પડે છે? નિષ્કામ બનીને એક નિરંજન (સિદ્ધ સ્વરૂપી) એવા પરમાત્માનું જ ધ્યાન ધર કે જેથી સર્વ વાંછિત પ્રાપ્ત થશે. ૨૪ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) સુતે કહા પરમાદમેં પ્યારે તું, સાથમેં તેરે તે ચેર લગે રે; માત રૂ તાત રૂ બ્રાત રૂ ભામિની,
સ્વારથે કે સહુ જાને સગે રે કુણકા સંગી સનેહી અહે તું જે, કુણ અહે જગમાંહિ ક્યું તેરે; આ કિહાંથી કિહાં કુનિ જાગે,
એસો બિચાર કરે મનમેં રે. ૨૫
અર્થ–હે પ્યારા ચેતન ! તું પ્રમાદમાં શા માટે સુઈ રહ્યો છે? કારણ કે તારી પાછળ (ચાર) ચેર પડેલા છે. તે તારૂં ધર્મધન લુંટી જશે. વળી તારા માતા, પિતા, બ્રાતા અને સ્ત્રી એ સર્વ તારા સંબંધીઓ સ્વાથના સગા છે એમ જાણુ, તું કે સંગી કે નેહી છે ? તે તું જે અને આ જગતમાં તારું કોણ છે? તેનો વિચાર કર. વળી તું ક્યાંથી આવ્યો છે? ને ક્યાં જવાનો છે? અર્થાત્ કયાં જઈશ ? તેને તારા મનમાં વિચાર કર. મુગ્ધપણે પ્રમાદમાં પડી કેમ રહ્યો છે? હવે તો જાગ ને જે. ૨૫
નંદ મહાનિધિ સિદ્ધિ કહા કરું, કહા કરું સુખ દેવ ગતિ કહા કરૂં મણિ માણેક મોતી ક્યું, કહા કરૂં તેરે રાજ્યકો ટીકો કહા કરૂ જનરંજન વેશકું, કહા કરૂં મતધાર મતિ કે; એક નિરંજન નામ વિના જગ, એર સહુ મેહે લાગત ફી. ર૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ). અર્થ–શુદ્ધ ચેતન કહે છે કે હું નવ નિધિ અને અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય તે પણ શું કરું? (મારે તેનું કામ શું ? ) વળી દેવગતિના સુખ મળે તે તેને પણ શું કરૂં ? મણિ માણેક મોતી વિગેરે મળે તે તેને પણ શું કરું ? વળી તારું રાજ્યનું તિલક પ્રાપ્ત થાય તે પણ હું રાજ્યને શું કરું ? વળી જનરંજન માટે નવા નવા વેશધારણ કરીને પણ શું કરું ? તેમજ મતવાદીઓ-જુદા જુદા મતધારીઓની મતિ પણ મારે શા કામની ? મને તે એક નિરંજન વીતરાગ પરમાત્માના નામ:શિવાય બીજું બધું શીકું નિસાર લાગે છે. ૨૬
કુલકે સંગ પુલેલ ભય તિલતેલ તે તો સહુ કે મન ભાવે, પારસ કે પરસંગથી દેખીએ, લેહા ક્યું કંચન હોય બિકાવે; ગંગામેં જાય મિલ્યો સરિતા જળ, તેહુ મહા જી આપમ પાવે સંગત કે ફળ દેખ ચિદાનંદ, નીચ પદારથ ઉંચ કહાવે. ૨૭
અર્થ–કુલની સંગતથી તલનું તેલ કુલ કહેવાય છે ને તે સહુના મનમાં ગમે છે, પારસના પ્રસંગથી લેટું સુવર્ણ થઈ જાય છે અને સેનાપણે વેચાય છે. ગંગામાં મળીને અન્ય નદીઓના જળ પણ મહાપાવત્ર જળની ઉપમા પામે છે તે પણ પવિત્ર ગણાય છે. આ પ્રમાણે સુસંગતિનું ફળ જોઈને ચિદાનંદ મહારાજ કહે છે કે-સત્સંગથી નીચ પદાર્થ પણ ઉંચ કહેવાય છે. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) નલિની દિલમેં જલબુંદ તે તે, મુગતાફળ કેરી ર્ક્યુ ઓપમા પાવે; મલયાગર સંગ પલાસ તરૂ લખ, તાહ મેં ચંદનતા ગુણ આવે; (સુ)ગધ સંજોગ થકી મૃગકે મદ, ઉત્તમ લોક સહુ મિલ પાવે; સંગતકે ફલ દેખ ચિદાનંદ, નીચ પદારથ ઉંચ કહાવે. ૨૮
અથ–-કમલિનીના પત્ર ઉપર પાણીનું બુંદ રહેલું હોય તે જેમ મોતીની જેવી ભા–ઉપમાને પામે છે તેવું દેખાય છે. મલયાચલ પર્વતના સંગથી ખાખરા વિગેરેના વૃક્ષો પણ ચંદનપણાના ગુણને પામે છે–ચંદનરૂપ થઈ જાય છે, સુગંધના સંયેગથી મૃગને મદ (મલ) કસ્તુરી તરીકે ઓળખાય છે અને તે કસ્તુરી સર્વે ઉત્તમ લોકો પણ ખાય છે. આ પ્રમાણેનું સત્સંગતિનું માહામ્ય જોઈને ચિદાનંદજી મહારાજ કહે છે કે-સત્સંગતિથી નીચ પદાર્થ પણ ઉચ્ચ કહેવાય છે. ૨૮
ધીર વિના ન રહે પુરૂષારથ, નીર વિના તરખા નહિ જાવે; ભૂપ વિના જગ નીતિ રહે નહી, રૂ૫ વિના તન શેભન પાવે; દિન વિના રજની નવિ ફિટત, દાન વિના ન દાતાર કહાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( રર ). જ્ઞાન વિના ન લહે શિવ મારગ, ધ્યાન વિના મન હાથ ન આવે. ૨૯
અર્થ–-પૈર્ય વિના પુરૂષાર્થ કાર્યસાધક થાય નહિ, પાણી વિના તૃષા નાશ પામે નહીં, રાજાવિના જગતમાં નીતિ માગે ટકે નહી, રૂપવિના શરીર શોભે નહિ, દિવસ ઉગ્યા વિના રાત્રી નાશ પામે નહીં, દાન વિના દાતાર કહેવાય નહીં અને જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના મોક્ષમાર્ગ જાણ શકાય નહીં, તેમ ધ્યાનના અભ્યાસ વિના મન હાથ આવે નહીં અર્થાત મનની ચંચળતા દૂર થાય નહીં. ૨૯
પંથિક આય મિલે પંથમેં ઈમ, દેય દિનકા યહે જગ મેલા; નાંહિ કીસીકી રહ્યા ન રહેગા જ્યુ, કેન ગુરૂ અરૂ કનકા ચેલા. સાસા તે છાજત હે સુન એસે રૂં, જાત વહ્યા જેસા પાણીકા રેલા રાજ સમાજ પડયા હી રહે સહ, હંસર તે આખર જાત અકેલા. ૩૦
અર્થ-જેમ પંથી (મુસાફર) પંથમાં–માર્ગમાં ભેળા થાય, રાત્રિવાસ સાથે રહે ને સવારે પિતા પોતાને માગે જુદા જુદા ચાલ્યા જાય તેમ, આ જગતમાં સંબંધીઓને મેળે પણ બે દિવસને અર્થાત અલ્પકાળને છે. આયુષ્ય પૂરું થયે સે જુદી જુદી ગતિમાં ચાલ્યા જાય
૧ શ્વાસોશ્વાસ ૨ આત્મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૨૩ ) છે. કોઈનું કાંઈ પણ અહીં રહ્યું નથી અને રહેવાનું નથી. એમાં કેના ગુરૂ અને કોના ચેલા? એવી સ્થિતિ છે. શ્વાસશ્વાસ તે જેમ પાણીને રેલે ચાલ્યો જાય તેમ ક્ષણે ક્ષણે ચાલ્યાજ જાય છે અને આયુષ્ય ઘટતું જ જાય છે. કર્તા કહે છે કે-આ કારણથી હે ભવ્ય ! વિચાર કર. રાજ્ય–સમાજ જે હશે તે બધું અહીં પડયું રહેશે અને આત્મા એકલો પરભવમાં ચાલ્યા જશે, ૩૦
ભપકા મંડન નીતિ યહે નિત, રૂપકા મંડન શીલ સુજાણ; કાયાકા મંડન હંસજ હે જગ, માયાકા મંડન દાન વખાણે. ભેગીકા મંડન હે ધનથી કુન, જેગીકા મંડન ત્યાગ પિછાને; જ્ઞાનીકા મંડન જાણ ક્ષમ ગુણ,
થાનીકા મંડન ધીરજ ઠાણ. ૩૧ અર્થ–રાજાનું મંડન-રાજ્યની શોભા નિરંતર નીતિ છે, રૂપનું મંડન-રૂપને શોભાવનાર સદાચાર છે, કાયાનું મંડન આત્મા છે ( આત્મા વિના કાયા નકામી છે ), લક્ષ્મીનું મંડન–તેની શોભા દાન ગુણ છે, ભેગી-સંસારીનું મંડન–તેની શોભા દ્રવ્યવડે છે અને રોગીનું મંડનતેની શોભા ત્યાગ વડે છે, તેમજ જ્ઞાનીનું મડન ક્ષમાગુણ છે અને ધ્યાનીનું મંડન ધીરજ અર્થાત્ મનની સ્થિરતા છે. આ પ્રમાણે હે ભવ્ય જન ! તમે સમજે. ૩૧
૧ આત્માન ૨ લક્ષ્મીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૨૪ ) એક અનિષ્ટ લગે અતિ દેખત, એક લગે સહકુ અતિ પ્યારા; એક ફીરે નિજ પેટને કારણ, એકહિ હે લખ કોટી આધાર. એકન ઉપનહિ નહિ પાવત, એકનકે શિરછત્ર ક્યું ધારા; દેખ ચિદાનંદ હે જગમેં ઇમ, પાપ રૂ પુન્ય લેખા હિ ન્યારા. ૩૨
અર્થ-એક મનુષ્ય દેખતાં જ સૌને અત્યંત અનિષ્ટ લાગે છે અને એક મનુષ્ય સહુને બહુ પ્યારે લાગે છે. એક પિતાના પેટને માટે–પેટનું પૂરું કરવા માટે ચેતરફ ફરે છે–ભટકે છે (પણ પેટનું પૂરું થતું નથી) અને એક લાખો કે કરોડો મનુષ્યનો આધારભૂત હેય છે. એકને પગમાં પહેરવા પગરખા પણ મળતા નથી અને એકને માથે છત્ર ધરાય છે. ચિદાનંદ મહારાજ કહે છે કે-હે ભવ્ય ! તું આ જગતમાં જે, તેમાં પાપ ને પુન્યનો પંથ જ ન્યારે છે. બંનેના ફળ એક બીજાથી વિરૂદ્ધ પ્રત્યક્ષ દેખાય છે. ૩૨
પાપ રૂ પુન્યમેં ભેદ નહિ કચ્છ, બંધન રૂપ દેઉ તમે જાણે મેહની માત રૂ તાત દેઉકે , મેહમાયા બલવંત વખાણે.
૧ ૫ગરખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
( ૨૫ ) બેડી તે કંચન લેહમચિ દેઉ, યાવિધ ભાવ હીયે નિજ આણે; હંસ સ્વભાવકું ધારકે આપણે, દોઉથી જ્યારે સરૂપ પિછાનો. ૩૩
અર્થ–હે ભવ્ય ! જ્ઞાનાઓને પાપ ને પુન્યમાં કાંઈ પણ ભેદ નથી. એ બંનેને બંધનરૂપ જાણવા ગ્ય છે, જેમ માતા ને પિતા-બંનેના નેહમાં કાંઈ ભેદ નથી. એ મોહમાયાનેજ મહાબળવંત સમજવાની છે. પુન્ય ને પાપ એ બંને સેનાની ને લેઢાની બેડી સમાન આ સંસારમાં
રાખનાર છે. એમ તેના ભાવ તમે તમારા હૃદયમાં રણ કરો અને આત્માને ક્ષીર ને નીરને જુદા પાડનાર હંસની જે સ્વભાવ છે તે સ્વભાવવડે પુન્ય ને પાપબંનેથી–પોતાના આત્મસ્વરૂપને જુદું ઓળખે. ૩૩
પૂજત હે પદપંકજ તાકે મ્યું, ઇંદ નરિંદ સહ મિલ આઈ; ચાર નિકાયકે દેવ વિનેયુત, કષ્ટ પડે જાકું હેત સહાઈ. ઉરધ ઓર અગતકી સબ. વસ્તુ અગોચર દેત લખાઈ; દુર્લભ નહિ કછુ તિનકું નર, સિદ્ધિ સુધ્યાનમયી જિણે પાઈ. ૩૪ અર્થ–હે મનુષ્ય ! જેણે સદ્ધયાનમય સિદ્ધિને
૧ વિનયયુકત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૬ )
કેવળજ્ઞાનને પ્રાપ્ત કરેલ છે તેને કાંઈ પણું દુર્લભ નથી. ઇંદ્રો અને નરેંદ્રો સહુ એકત્ર મળીને તેમના ચરણકમળને પૂજે છે, ચાર નિકાયના દેવતાઓ વિનય સહિત જેમને કાંઈ પણ કષ્ટ પડે તેા સહાય કરવા તત્પર રહે છે. ઉ લાકમાં કે અધેાલેાકમાં ઉપલક્ષણથી તિલેાકમાં રહેલી સવે અગેાચર (અદશ્ય) વસ્તુએ પણ તેમને પ્રત્યક્ષ દેખાય છે. ૩૪
જાવે.
જાણુ અજાણ દઉમેં નહિ જડ, પ્રાણી એસા દુવિદગ્ધ કહાવે; વિર'ચ' સમાન ગુરૂ જે મિલે તાહિ ગાલ તણી પરે વાહિ જાણુ વિના હિ એકાંત ગહે સમ, આપ તપે પરકું જ્યું તપાવે; વાદવિવાદ કા કરે મૂરખ, વાદ કિયે કછુ હાથ ન આવે. ૩૫
અ—જાણુમાંએ ન ગણાય અને અજાણુ (અજ્ઞાન) માંએ ન ગણાય એવા જડ ( મૂર્ખ ) પ્રાણી દુર્વિદગ્ધ ( બહુ મુશ્કેલીએ સમજાવી શકાય તેવા ) ગણાય છે. તેવા માણુસને કદી બ્રહ્મા સમાન ગુરૂ મળી જાય તેાપણુ તે તા સાપની જેમ વાંકેાજ ચાલે-સીધી વાત કરેજ નહીં. સમ્યગ્ જ્ઞાન વિના એકાંત પક્ષ બધી ખાખતમાં ગ્રહણ કરે અને પાતે મિથ્યાત્વવડે તપે તેમજ ખીજાને પણ તપાવે. જ્ઞાની કહું છે કે-ડે મૂખ! તુ ખાટા વાદવિવાદ શું કામ કરે છે? વાદવિવાદ કરવાથી કાંઇ હાથમાં આવવાનુ નથી. ૩૫
બ્રહ્મા ૨ જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૭ ) વેલુ પાલત તેલ લહે નહિં, તૂપ લહે નહિં તોય વિલાયા, સિંગ; દુહત દુધ લહે નહિ, પાક લહે નહિ ઉખર બેયા. બાઉલ બેવત અંબ લહે નહિ, પુન્ય લહે નહિ પારકે તેયા; અંતર શુદ્ધતા વિણ લહે નહિ, ઉપરથી તનકે કહા જોયા. ૩૬
અર્થ-હે મનુષ્ય ! વેળુ (રેતી) પીલવાથી કદી પણ તેલ નીકળે નહીં, પાણી વહેવવાથી ઘી (માખણ) પ્રાપ્ત થાય નહીં, સીંગડાને દવાથી દુધ મળે નહીં, ઉખર જમીનમાં વાવેતર કરવાથી ધાન્યનો પાક પ્રાપ્ત થાય નહીં, બાવળ વાવવાથી આંબાના ફળ (કેરી) મળે નહી અને પરને તપાવવાથી–દુ:ખ આપવાથી પુન્ય પ્રાપ્ત થાય નહી. તેમ ઉપરથી શરીર ભલે ધુએ પણ અંતરની શુદ્ધિ કર્યા વિના ( આત્મસ્વરૂપને ) પ્રાપ્ત કરી શકાય નહીં. ૩૬
દ્રવ્ય અરૂ ભાવના કરમથી નીયારે નિત, લેશ્યા ગતિ જેમકે સંજોગ નહ પાઈએ; કેઈથી ન કહો જાય કરથી ન રહે જાય, રહો હે સમાય તાકે કેસે કે બતાઈએ ? નય અરૂ ભંગ ન નિખેપકે પ્રવેશ જિહાં, ઉગતિ જુગતિ તામેં કેન ભાત લાઈએ,
૧ ઘી-માખણ. ૨ પાણી ૩ તાયાતપાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૨૮ ) ચિદાનંદ નિયત સરૂપ નિજ એસે ધાર, વિવહારસે હિ નાના ભેદ દરસાઇએ. ૩૭
અર્થ-આ આત્માનું શુદ્ધસ્વરૂપ વિચારતાં તે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના કર્મોથી નિરંતર ન્યારો છે. લેહ્યા, ગતિ અને યોગને પણ તેને વાસ્તવિક સંયોગ નથી. તેનું
સ્વરૂપ કેઈથી કહ્યું જાય તેમ નથી, તે અરૂપી હોવાથી કેઈથી ગ્રહણ પણ કરી શકાય તેમ નથી, એ તે પિતાના
સ્વરૂપમાં સમાઈ રહે છે. તેને શી રાતે બતાવી શકીએ? નય ભંગ અને નિક્ષેપને પણ જ્યાં પ્રવેશ નથી, ઉકિત જુકિત પણ તેમાં કાંઈ ચાલે તેમ નથી. ચિદાનંદજી મહારાજ કહે છે-નિશ્ચય સ્વરૂપમાં તે તે એ છે, બાકી વ્યવહારથી તેના જુદા જુદા ભેદે પામી શકાય છે અતાવી શકાય છે. ૩૭ તું તે અવિનાશી કાયા પ્રગટ વિનાશી, અરૂ તું તો હે અરૂપી એ તો રૂપી વસ્તુ જોઈએ; મળકેરી કયારી મેહરાયકી પિયારી એ તે, હોયગી નીયારી એ તે વૃથા ભાર ઢોઈએ; મહા દુખ ખાની દુરગતિકી નીસાની તાતે, યાકે તે ભરૂસે નિહચિંત નહિ સેઈએ; ચિદાનંદ તપ જપ કીરીયાકે લાહે લીજે, નીકે નરભવ પાય બિરથા ન ખોઈએ. ૩૮
અર્થ હે આત્મા ! તું તે અવિનાશી છું અને આ કાયા પ્રગટપણે વિનાશી છે, તું તે અરૂપી છું અને આ કાયા પ્રગટપણે રૂપી વસ્તુ છે, વળી આ કાયા મળની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૯ )
કયારી છે-મળથી ભરેલી છે, માહરાજાની પ્યારી છે, એક વખત તે જરૂર તારાથી ન્યારી થઈ જનારી છે; તેા એને ભાર ફ્રગટ શામાટે ઉઠાવે છે ? વળી એ મહાદુ:ખની ખાણુ છે, દુર્ગતિની તેા નીશાની છે અર્થાત્ દુતિમાં લઇ જનારી છે, એને ભરૂસે નિશ્ચિ ંત થઈને સુવા જેવું નથી. તેથી ચિદાનંદજી મહારાજ કહે છે કે—આ સુંદર મનુષ્યભવ પામીને તેનાવડે તપ જય ક્રિયા વિગેરેના લાભ મેળવી લઇએ-એને વૃથા ખાઇ ન નાખીએ. ૩૮
થીર કરી પંચ ખીજ વાયુકા પ્રચાર કરે, ભેદે ખટ ચકકા અવક્ર ગતિ પાયકે પ્રાણાયામ એગ સમ ભેદકે સ્વરૂપ લહી, રત અડાલ અંકનાલમે સમાયકે; દેડકા વિસાર ભાન દૃઢ અતિ ધાર જ્ઞાન, અનહદ નાદ સુણે અતિ પ્રીત લાયકે; સુધાસિરૂપ પાવે સુખ હાય જાવે તમ, મુખથી બતાવે કહા મુંગા ગાળ ખાયકે, ૩૯
અ—પાંચ પ્રકારના ખીજને સ્થિર કરી, વાયુના ચેાગ્ય રીતે પ્રચાર કરી, ષટ્ચક્રને ભેદી, અવક્રગતિને પામે, પ્રાણાયામ અને સસ ચેાગના ભેદનું સ્વરૂપ પામીને અંકનાળમાં અડેાલપણું-સ્થિરપણે રહે. દેહનું ભાન વિસરી જઇ, અત્યંત હૃઢ જ્ઞાનને ધારણ કરી, અત્યંત પ્રતિપૂર્વક અનાહતનાદને સાંભળે, પાતેજ પેાતાનુ સીધેસીધુ' સ્વરૂપ પામે. બધી બાબત સુખરૂપ થઇ જાય તેવા આત્માનું સ્વરૂપ જેમ સુગે! માણસ ગેાળ ખાઇને તેનેા સ્વાદ કહી શકે નહી તેમ કહી શકાય તેવુ નથી. ૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૩૦ ) ધરમ સુકલ ઇયાન હિરમેં ધારિયે મ્યું, આરત દર દેઉ ધ્યાન કું નિવારીએ, પ્રથમ પ્રથમ ચાર ચાર ચાર પાયે હે ક્યું, તાકે તે સરૂપ ગુરૂગમથી વિચારીએ એસે ધ્યાન અગનિ પ્રજાર કાયકુંડ બીચ, કર્મકાષ્ટ કેરી ક્યું આહુતિ તામેં ડારીએ; દુરધ્યાન દૂર હોયે આપ ધ્યાન ભૂરી ભયે, શુદ્ધ હી સરૂપ નિજ કર થિર ધારીએ. ૪૦ અર્થ-ધર્મ ને થકલ એ બે ધ્યાન હદયમાં ધારણ કરીએ અને આર્ત તથા રૌદ્ર એ બે ધ્યાનને તજી દઈએ. તે દરેક ધ્યાનના ચાર ચાર પાયા છે તેનું સાચું સ્વરૂપ ગુરૂગમથી બરાબર સમજીએ. પછી એ ધ્યાનરૂપી અગ્નિ કાયારૂપી કુંડમાં પ્રગટ કરીને તેમાં કર્મરૂપી કાષ્ટની આહુતિ આપવા માંડીએ કે જેથી દુધ્ધન દૂર જાય અને આત્મધ્યાન પ્રબળ થાય. એ રીતે પિતાનું સ્વરૂપ શુદ્ધ કરીને તેને સ્થિરપણે ધારણ કરીએ. ૪૦
ભૂલ્યા ફિર યુ મેહ મદિરાકી છાકમાંહિ, ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચાર; પંડિત કહાય ગ્રંથ ૫ઢી આ નહિ સાચે, ભેદ પાયો અરૂ ધાયો દેહકે વિકારકું; પ્રભુતાઈ ધારે નવિ પ્રભુનું સંભારે મુખ, જ્ઞાન તો ઉચારે નવિ મારે મનજારકું; ખે ઉપદેશ દેવે અતિ અનાચાર સેવે, તે તો નવિ પાવે ભવઉદધિકે પારકું ૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૩ ) અર્થ–મેહમદિરાના છાકમાં કૂલ્ય સતે ભૂલ્યો ભમે અને આત્માના કે અધ્યાત્મના વિચારને બીલકુલ ધારણ ન કરે, વળી મેટા ગ્રંથો ભણું આવીને પંડિત કહેવરાવે પણ તેને ખરો ભેદ પામે નહીં અને દેહના વિકાર તરફ-ઇદ્રિયેના વિષય તરફ દોડ્યા કરે, પ્રભુતાઈ–મેટાઈ ધારણ કરે પણુ પ્રભુને તે સંભારે જ નહી, મુખવડે જ્ઞાનના ઉચ્ચાર કરે પણ મનરૂપી જારને અથવા મનના વિકારને મારે નહીં, વળી ખેાટે ઉપદેશ આપે અને અત્યંત અનાચારને સેવે, એવા મનુષ્યો ભવસમુદ્રને દીર્ઘકાળે પણ પાર પામે નહીં. ૪૧
બગ ધરે ધ્યાન શુક કથે મુખ જ્ઞાન મચ્છકચ્છા અસનાન પયપાન શિશુ જાણીએ, ખર અંગ ધાર છાર ફણિ પાનકે આહાર, દીપસિખા અંગ જાર સલભ પિછાનીએ; ભેડ મૂલ ચાલે લઠ પશુઅન પટા પરૂ, ગાડર મુંડાવે મુંડ બાત કા' વખાણીએ; જટાધાર વટ વૃક્ષ જ્યે વખાણે તાકે, ઇત્યાદિક કરણું ન વિણતીમેં આણુએ. ૪૨
અર્થ–બગલું ધ્યાન ધરે, પોપટ મુખે “રામરામ” બેલે, માછલા ને કાચબા પાણીમાં સ્નાન કર્યા કરે, બાળક માત્ર દુધજ પીએ, ગધેડા શરીર ઉપર રાખ લગાડે, સર્પ પવનને જ આહાર કરે, પતંગીઆ દીવાની શિખામાં પડીને બળી મરે, ભેડ-બોકડા વૃક્ષના (તૃણુના) મૂળી ખાય, પશુઓ શરીરપર જુદા જુદા ચટાપટા પાડે અને ગાડર ( ઘેટા ) આખા શરીરને મુંડાવે, વધારે શું વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૩ ). કરીએ ? વડના વૃક્ષ મોટી મોટી વડવાઈઓ રૂપ જટાને ધારણ કરે–એવા પ્રકારની કરણ કરવાવાળાના વખાણ તેના રાગી ઓ ભલે કરે પણ કર્તા કહે છે કે–એવી બધી તાપસાદિકની કરણી માત્ર અજ્ઞાનકણરૂપ હોવાથી તે બીલકુલ ગણતીમાં આવતી નથી. અર્થાત્ તેનું યંગ્ય ફળ પ્રાપ્ત થતું નથી. ૪૨
છાંડકે કુસંગત સુસંગથી સનેહ કીજે, ગુણ ગ્રહી લીજે અવગુણ દ્રષ્ટિ ટારકે; ભેદજ્ઞાન પાયા જોગ જવાલા કરી ભિન્ન કીજે, કનક ઉપલકું વિવેક ખાર ડારકે. જ્ઞાની જે મિલે તે જ્ઞાનધ્યાનો વિચાર કરજે, મિલે જે અજ્ઞાની તે રહીજે મૌન ધારકે; ચિદાનંદ તત્ત્વ એહી આતમ વિચાર કીજે. અંતર સકલ પરમાદ ભાવ ગાકે. ૪૩
અર્થ હે ભવ્ય ! કુસંગતિ તજી દઈને સત્સંગી સજજન સાથે નેહ કરીએ અને અવગુણ દષ્ટિ દૂર કરીને કેઈના પણ ગુણેને ગ્રહણ કરીએ. જ્યારે ભેદજ્ઞાન પામ્યા ત્યારે હવે સુવર્ણના અથી જેમ ક્ષાર મૂકીને કનક અને પથ્થરને જૂદા પાડે છે તેમ વિવેકરૂપ ક્ષાર મૂકી, ગરૂપી જવાળા પ્રગટાવીને આત્મા સાથે મળેલા કર્મોને છુટા પાડી દઈએ. જે કોઈ જ્ઞાની મળે તે તેની સાથે જ્ઞાન ધ્યાનની વાત કરીએ અને જે અજ્ઞાની મળે તે મૈનપણું ધારણ કરીએ. ચિદાનંદ મહારાજ કહે છે કે-અંતરમાં રહેલા સર્વ પ્રમાદભાવને ગાળી દઈને આત્મા સંબંધી વિચાર કર-એજ ખરૂં તવ છેરહસ્ય છે. ૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૩૩ ) જુઠા પક્ષ તાણે, વિના તવકી પિછાણુ કરે, મેક્ષ જાય ઇસ અવતાર આય લીને હે; ભયે હે પાષાણુ ભગવાન શિવજી કહાત, બિદા (વિધુ) કેપ કરકે સરાપ જબ દીને હે. તિહું લેકમાંહિ શિવલિંગ વિસ્તાર ભયે, વજી વજ કરી તાકું ખંડ ખંડ કીને હે; ચિદાનંદ એસે મનમત ધાર મિથ્યામતિ, મોક્ષમાર્ગ જાણ્યા વિના મિથ્થામતિ ભીને. ૪૪
અર્થ--તત્વની સાચી પિછાન કર્યા વિના ખોટે પક્ષ તાણે અને કહે કે મોક્ષે ગયા પછી શિવે પાછો અહીં ઈશ્વરપણે અવતાર લીધે છે અને ભગવાન શિવજી ઉપર કપ કરીને બ્રહ્માએ શ્રાપ દીધો ત્યારે તે પાષાણુરૂપ થઈ ગયેલ છે અને શિવના લિંગનો વિસ્તાર ત્રણ લોકમાં થઈ ગયે ત્યારે તેને ઇ વજાવડે શતખંડ કરી નાખેલ છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે આ અસત્ય મત ધારણ કરેલા મિશ્યામતિઓ મેક્ષમાર્ગને જાણ્યા વિના મિશ્યામતિમાં જ લીન રહે છે. ૪૪ રામ રામ દીઠ પિણે બેબે રોગ તનમાંહે, સાડેતીન કેડ રમ કાયામેં સમાયે હે; પાંચ કેડ અડસઠ લાખ નિન્ના હજાર, છસેથી અધિક પંચતાલી રાગ ગાયે હે. એસે રેગ સેગાર વિજેગક સ્થાન જામેં, મૂઢ અતિ મમતાકું ધારકે લેભાય હે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) ચિદાનંદ યાકે રાગ ત્યાગકે સુજ્ઞાની જીવ, સાચું સુખ પાય અવિનાશી જ્યે કહાય હે. ૪૫
અર્થ–આ મનુષ્યના શરીરમાં સાડાત્રણ કોડ રોમ સમાયેલા છે અને તે દરેક રોમેરોમે અનુમાન પણાબબે રોગ હિસાબ ગણતાં આવે છે. કારણ કે રેગની કુલ સંખ્યા પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર છસે ને પિસ્તાળીશ (૫૬૮૯૪૫) ની કહી છે. એવા રોગ શેક અને વિયેગના સ્થાનભૂત આ શરીરમાં મૂઢ જીવ અત્યંત મમતા ધારણ કરીને લુબ્ધ થયો છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે–એવા દેહને રાગ તજીને સુજ્ઞાની છે સાચું સુખ પામ્યા છે અને તે અવિનાશી કહેવાણા છે. ૪૫
ચેહિ આજકાલ તેરે કરત જનમ ગયો, લો ન ધરમકો મરમ ચિત્ત લાયકે, સુદ્ધબુદ્ધ ખેઇ એસે માયામેંલપટ રહે, ભયે હે દીવાને તું ધતુર માનું ખાયકે ગહેશે અચાન જેસેં લવાકુ સેંચાન તેમેં, ઘરી પલ છીનમાંજ રવિસુત આયકે, ચિદાનંદ કાચકે શકલ કાજ ખોયો ગાઢ, નરભવ રૂપ રૂડે ચિંતામણિ પાયકે ૪૬
અર્થ–હે ચેતન ! તારો આજકાલ કરતાં આ જ ન્મારો વ્યતિત થઈ ગયે પણ તું ચિત્ત દઇને ધર્મને મર્મ પામ્યું નહીં, વળી શુદ્ધબુદ્ધ અને માયામાં લપટાઈ રહ્યો
૧ ૫ણીના બાળકે. યમ-કાળ. ૩ કાચના ટુકડા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૩૫ ) તેમજ જાણે ધંતુરો ખાધો હોય તે ગાંડ બની જાય તેમ તું દીવાન બની ગયો છે. પણ ઘડી પળ કે ક્ષણવારમાં જેમ સીંચાણે પક્ષીઓના બચ્ચાંઓને અચાનક ઉપાડી જાય તેમ કાળ આવીને તને અચાનક ઉપાડી જશે. ચિદાનંદજી મહારાજ કહે છે કે-તે સાંસારિક સુખરૂપ કાચના કકડા માટે અતિ શ્રેષ્ઠ ચિંતામણિ રત્ન સમાન મનુષ્ય ભવ ખોઈ નાખ્યા–એળે ગુમાવ્યું. ૪૬.
લવસત્તામિક દેવ જાણે ખટદ્રવ્ય ભેવ, પરકી ન કરે સેવ એસે પદ પાયો છે; સાગર પ્રમિત છે તેવીસ જાકી આયુથિતિ, બોધરૂપ અંતર સમાધિ લક્ષ લાયે હે; અલ્પ હે વિકાર અરુ સુખ અનંત જાકું, સૂત્રપાઠ કરી એ પ્રગટ બતાય , ચિદાનંદ એસે સુખ તેહ જિનરાજ દેવ, ભાવના પ્રથમ મેં અનિત્ય દરસાયો હે. ૪૭
અર્થ–લવસતમિક એટલે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ ષ દ્રવ્યના ભેદનું સ્વરૂપ યથાર્થ જાણે છે. કોઈની સેવા કરવાની નથી એવું અહમિદ્રપદ મેળવેલ છે. તેત્રીશ સાગરોપમ પ્રમાણ જેમના આયુષ્યની સ્થિતિ છે. વળી જેમણે સમગ્ર બોધરૂપ અંતર સમાધિ લક્ષ સાધે છે. વળી જેમને વિકારે અલ્પ છે અને સુખ અનંતું છે. આ પ્રમાણે સૂત્રોના પાઠની અંદર પ્રગટપણે બતાવેલ છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે-શ્રી જિનેશ્વર દેવે તેવું સુખ પણ પ્રથમ ભાવનાનું સ્વરૂપ કહેતાં અનિત્ય કહેલ છે. અથૉત્ તે સુખ પણ નાશવંત છે. ૪૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૬ ) વનિતાવિલાસ દુખકે નિવાસ ભાસ પ, જબૂસ્વામી ધર્યો તાતેં મનમેં વિરાગ મ્યું; વનિતાવિલાસી નાનાવિધ દુખ પાયે એસે, આમિષઆસકત કષ્ટ લો જેસે કાગ ; નવપરણિત નાર વસુ ધન ધામ ત્યાગ, છિનમાંજ લહે ભવ ઉઠધિકે પાર ક્યું, ચિદાનંદ નરકgવાર હે પ્રગટ નાર, જ્ઞાનહીન કરે તેથી અતિ અનુરાગ ર્યું. ૪૮
અર્થ-જંબુસ્વામીને શ્રીસુધર્માસ્વામીના ઉપદેશથી સ્ત્રી સાથેને વિલાસ તે દુ:ખનેજ નિવાસ છે એમ સમજાયું, ત્યારે તેમણે મનમાં વૈરાગ્ય ધારણ કર્યો. વળી તેમણે જાણ્યું કે વનિતાના વિલાસી છે, જેમ હાથીના માંસમાં આસક્ત થવાથી તેની ગુદામાં પડેલે કાગડે પ્રાણાંત દુઃખ પામે તેમ અનેક પ્રકારના દુ:ખે પામે છે. તેથી નવી પરણેલી આઠ સ્ત્રીઓ અને ૯ કોડ દ્રવ્ય તથા બીજાં વાહન મકાન વિગેરે સર્વનો ત્યાગ કરી દીધો અને ચારિત્ર લઈને અ૫ કાળમાંજ ભવસમુદ્રને પાર પામ્યા. ચિદાનંદજી મહારાજ કહે છે કે સ્ત્રી પ્રગટપણે નરકના દ્વાર તુલ્ય છે, છતાં જ્ઞાનહીન મનુષ્યો તેને વિષે અત્યંત અનુરાગને ધારણ કરે છે. ૪૮
સુણી ભૂગરા શબ્દ કીટ ફીટ ભંગ ભયે, લેહકે વિકાર ગયો પારસ ફરસથી; કુલકે સંજોગ તિલ તેલ હુ ભયે ફુલેલ, તરૂ ભયે ચંદન સુવાસકે ફરસથી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૭ ) મુતાફળ સ્વાતકે ઉદક ભયે સીપસંગ, કાષ્ટ હું પાષાણ | સીલેદક સરસથી; ચિદાનંદ આતમ પરમાતમ સરૂપ ભયે, અવસર પાયે ભેદ જ્ઞાન કે દરસથી, ૪૯
અથ–બ્રમરને શબ્દ સાંભળીને તેમાં તલ્લીન થવાથી કીટ પીટીને ભંગાણાને પામે છે, લેહને વિકાર પારસ પાષાણુના સ્પર્શથી નાશ પામે છે ને તે સુવર્ણ બની જાય છે. કુલના સંગથી તલનું તેલ કુલેલ બને છે, મલયાચલપર રહેલા અન્ય વૃક્ષો ચંદનવૃક્ષના સુગંધના સ્પર્શથી ચંદનપણને પામી જાય છે, સ્વાતિનક્ષત્રનું પાણી છીપના સંગથી મુતાફળ (મોતી) પણાને પામે છે અને સીલેકના મળવાથી કાષ્ટ પાષાણુરૂપ થઈ જાય છે, તેમ ચિદાનંદજી મહારાજ કહે છે કે-અવસર પામીને ભેદજ્ઞાન-અધ્યાત્મ જ્ઞાન મળવાથી આત્મા પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે. ૪૯
ખટકાય મઝધાર ચલણે ચોરાસી લાખ, નાનારૂપ સજ બહવિધ નાચ કરે પંચ જે મિથ્યાતરૂપ સજ સીણગાર અંગ, મેહમયી મદિરાકે કેફ અતિ પીને હે; કુમતિ કુસંગ લીયો ઉદભટ વેસ કીયો, ફરિત મગન ક્રોધ માનરસ ભીને હે; ચિદાનંદ આપકે સરૂપ વિસરાય એસેં, સંસારિક જીવકો બિરૂદ મોટો લીને હે. ૫૦
અર્થ—-પૃથ્વીકાયાદિ ષટ્સયમાં ચોરાશી લાખ જીવાએનિમાં અનેક પ્રકારના રૂપ (વેશ) ધારણ કરીને આ જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૮) અનેક પ્રકારના નાચ નાખ્યો છે. વળી પાંચ પ્રકારના મિથ્યાત્વ રૂપ શણગાર અંગપર સજીને મેહમયી મદિરાનું સારી પેઠે પાન કર્યું છે. કુમતિરૂપ કુસંગના વશથી અતિ ઉદ્ભટ વેશ ધારણ કર્યો છે અને ક્રોધમાનના રસમાં મગ્ન થઈને તેમાં તલ્લીનપણે કર્યો છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે–પિતાના સ્વરૂપને ભૂલી જઈને આ જીવે સાંસારિકપણાનું મોટું (!) બિરૂદ ધારણ કર્યું છે સંસારી કહેવાણે છે. ૫૦
શિવ સુખકાજ ધર્મ કહે જિનરાજ દેવ, તાકે ચાર ભેદ જ્યુ આચારાદિક જાણીએ દાન શીલ તપ ભાવ હેનિમિત્ત નિખાવ, નિહચે વવહારથી દુવિધ મન આણીએ
સ્યાદવાદરૂપ અતિ પરમ અનુપ એસે, દયારસ કૂપ પરતક્ષ પહચાણીએ; ચિદાનંદ અંકિતાદિ દૂષણ નિવાર સહ, ધરમ પ્રતીત ગાદી ચિત્તમાંહી ઠાણીએ. પ૧
અર્થ–શ્રી જિનેશ્વરદેવે શિવસુખની પ્રાપ્તિને માટે ધમની પ્રરૂપણ કરી છે. તેના મુખ્ય આચારાદિ ચાર ભેદ કહ્યા છે. તે ધર્મના નિમિત્તભૂત દાન, શીલ તપ ને ભાવરૂપ ચાર પ્રકાર પણ તેમણે જ કહ્યાં છે. વળી નિશ્ચય ને વ્યવહાર એવા બે ભેદ પણ તેના કહ્યા છે. એ ધર્મ સ્યાદ્વાદરૂપ અત્યંત શ્રેષ્ટ, અનુપમ અને પ્રત્યક્ષ દયારસના કૂપસમે કહે છે. એ રીતે તેની પિછાન કરવા ગ્ય છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે એ ધર્મ શંકા વિગેરે દૂષણે તજીને ગ્રહણ કરો અને તેની પ્રતીતિ પોતાના ચિત્તમાં ગાઢપણે ધારણ કરવી. ૫૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર.
હંસકો સુભાવ ધાર કીનો ગુણ અંગીકાર, પન્નગ સુભાવ એક ધ્યાનસેં સુણીજીયે, ધારકે સમીરક સુભાવ જ્યુ સુગંધ યાકી, ઠેર ઠેર જ્ઞાતાદમેં પ્રકાશ કીજીયે, પર ઉપગાર ગુણવંત વિનતિ હમારી, હિરદેમે ધાર ચાકું થિર કરી દીજીયે; ચિદાનંદ કે અરૂ સુણકે સાર એહિ, જિન આણું ધાર નરભવ લાહે લીજીયે. પર
અ—-ચિદાનંદજી મહારાજ કહે છે કે આ સવૈયાઓ વાંચીને હેભવ્ય જીવો! તમે હંસને સ્વભાવ ધારણ કરીને તેમાંથી સાર-તત્ત્વને અંગીકાર કરજે અને સપને સ્વભાવ ધારણ કરીને તેને એક ચિત્તે સાંભળજે. પવનને સ્વભાવ ધારણ કરીને તે જેમ સુગંધને ફેલાવે છે તેમ તમે આનો પ્રકાશ જિજ્ઞાસુ જનોના સમૂહમાં પ્રકાશિત કરજે. પરોપકાર કરવાના ગુણવાળા સજજને પ્રત્યે મારી એજ વિનતિ છે કે આ સવૈયાઓમાં કહેલા ભાવને હદયમાં ધારણ કરીને તેને ત્યાં સ્થિર કરી દેજે. તેમજ વળી કહેવાને ને સાંભળવાને સાર માત્ર એજ છે કે શ્રી જિનેશ્વરની આજ્ઞા ધારણ કરીને આ મનુખ્યભવને લાહો-લાભ લઈ લેજે-ભૂલશો નહીં. પર
ઇતિશ્રી ચિદાનંદજીકૃત સવૈયાઓ સાથે સમાપ્ત.
- == ===
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૪૦ ) શ્રી ચિદાનંદજીકૃત હિતશિક્ષાના દુહા. અવસર નિકટ મરણ તણે, જબ જાણે બુધ લેય; તબ વિશેષ સાધન કરે, સાવધાન અતિ હાય. ધર્મ અર્થ અરૂ કામ શિવ-સાધન જગમેં ચાર; વ્યવહારે વ્યવહાર લખ, નિચે નિજ ગુણ ધાર. મૂરખ કુલ આચારકું, જાણત ધરમ સદીવ; વસ્તુ સ્વભાવ ધરમ શુદ્ધ, કહત અનુભવી જીવ. ખેહ ખજાનાકું અરથ, કહત અજ્ઞાની જીહ, કહત દ્રવ્ય દરસાવકું, અર્થ સુજ્ઞાની ભીહ. દંપતિરતિક્રીડા પ્રત્યે, કહત દુર્મતિ કામ; કામ ચિત્ત અભિલાષમું, કહત સુમતિ ગુણ ધામ. ઈલેકકું કહત શિવ, જે આગમ દગ હણ, બંધ અભાવ અચલ ગતિ, ભાખત નિત પરવીણ ઈમ અધ્યાતમ પદ લખી, કરત સાધના જેહ, ચિદાનંદ નિજ ધર્મનો, અનુભવ પાવે તેહ. સમય માત્ર પરમાદ નિત, ધર્મ સાધના માંહિ; અથિર રૂપ સંસાર લખ, રે નર કરિયે નાંહિ. છીજત છિન છિન આઉ, અંજલિ જલ જીમ મિત્ત કાલચક્ર માથે ભમત, સોવત કહા અભીત. તન ધન જોબન કારિમા, સંધ્યા રાગ સમાન; સકલ પદારથ જગતમેં, સુપનરૂપ ચિત્ત જાન. મેરા મેરા મત કરે, તેરા હે નહિ કોય; ચિદાનંદ પરિવારકા, મેલા હે દિન દેય. એસા ભાવ નિહારી નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન વિચાર બિન, અંતર ભાવ વિકાર, ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન રવિ વૈરાગ જસ, હિરદે ચંદ સમાન; તાસ નિકટ કહા કિમ રહે, મિથ્યાતમ દુ:ખ ખાન. - ૧૪ આપ આપણો રૂપમેં, મગન મમત મલ ખાય; રહે નિરંતર સમરસી, તાસ બં ધ નવિ કેય. પર પરિણતિ પર સંગસું, ઉપજત વિણસત જીવ; મિચ્યો મેહ પરભાવકે, અચલ અબાધિત શિવ. જૈસે કંચુક ત્યાગથી, વિસત નહી ભુયંગ; દેહ ત્યાગથી જીવ પણ, તૈસે ૨હત અભંગ. જે ઉપજે સો તુ નહી, વિસત તે પણ નાંહિ; છોટા મેટા તું નહી, સમજ દેખ દિલમાંહિ. વરણ ભાતિ તમે નહી, જાત પાત કુલ રેખ; રાવ રંક તું હે નહી, નહી બાબા નહી લેખ. તું સહુએ સહુથી સદા, ન્યારા અલખ સરૂપ;. અથ કથા તેરી મહા, ચિદાનંદ ચિરૂપ. જન્મ મરણ જીહાં હૈ નહી, ઈત ભીત લવલેશ; નહીં શિર આણુ નરિંદકી, સાહી અપણા દેશ. વિન શી પુદ્ગલ દશા, અવિનાશી તું આપ; આપોઆપ વિચારતાં, મિટે પુત્ય અરૂ પાપ. બેડી લેહ કનકમયી, પાપ પુન્ય યુગ જણ; દાઉથી ન્યારી સદા, નિજ સરૂપ પહિછાણું. જુગલ ગતિ શુભ પુણ્યની, ઈતર પાપથી જોય; ચારૂ ગતિ નિવારિયે, તબ પંચમ ગતિ હાય. પંચમ ગતિ વિણ જીવકું, સુખ તિહું લેાક મજાર; ચિદાન દ નવિ જાણજે, એ હાટ નિરધાર. ઈમ વિચાર હીરદે કરત, જ્ઞાન ધ્યાન રસ લીન; નિરવિકપ રસ અનુભવી, વિક૯૫તા હોય છીન. નિરવિકપ ઉપચાગમે, હાય સમાધિ રૂપ; અચલ જાતિ ઝલકે તિહાં, પાવે દરસ અનુપ. દેખ દરસ અદભુત મહા, કાળ ત્રાસ મિટ જાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________ ) ' ભાવનગર Phહ છે જ્ઞાન યોગ ઉત્તમ દિશા, સદગુરૂ દિયે કે જ્ઞાનાલખને દઢ ગ્રહી, નિરાલખતા ભા ચિદાન દે નિત આદરી, એહિજ માક્ષ થાડાસામું જાણજે, કારજ રૂ૫ વિચાર; કહુત સુણત શ્રુત જ્ઞાનકો, કમહું ન આ મેં મેરા એ જીવકે, અયન સ્ફોટા મેં મેરા જાકું નહિ, સાહી મેક્ષ પિછા મેં મેરા એ ભાવથી, વધે રાગ અરૂ રાષ; રાગ રોષ જો હૈ હિયે, તો હૈ મિટે ન દોષ. રાગ દ્વેષ જાકું નહી, તાકુ કાળ ન ખાય; કાળજીત જગમેં રહે, હાટા બિરૂદ ધરાય. ચિદાનંદ નિત કીજીયે, સમ૨ણ શ્વાસોશ્વાસ; વૃથા અમૂલક જાત હે, શ્વાસ ખબર નહીં તાસ. ચાર અબજ કોડી સપત, ફેન અડતાલીશ લાખ; સ્વાસ સહસ ચાલીશા સુધી, સો વરસામે ભાખ. વર્તમાન એ કાળમે, ઉત્કૃષ્ટી થિતિ જોય; એકશત સાલે વર્ષ ની, અધિક ન જીવે કાય. સાપક્રમ આયુ કહ્યો, પંચમ કાળ મજાર; સાપક્રમ આયુ વિષે, ઘાત અનેક વિચાર, મદ સ્વાસ સ્વરમે ચલત, અ૮૫ ઉમર હાય ખી શું ; અધિક સ્વાસ ચાલત અધિક, હીણ હાત પરવીણુ. ચાર સમાધિ લીન નર, ષટ શુભ ધ્યાન મજા૨; તૃ ભાવે બેઠા ક્યુ દસ, બાલત દ્વાદશ ધાર. ચાલત સાલસ સેવતાં, ચલત સ્વાસ બાવીસ; નારી ભોગવતાં જાણુ જે, ઘટત શ્વાસ છત્રીશ. થાડી વેળા માં હે જ સ, વહુત અધિક સ્વર શ્વાસ; આયુ છીજે બલ ઘટે, રોગ હોય તન તાસ. અધિક નાંહિ બાલીયે, નહીં રહીયે પડસાય, અતિ શીધ્ર નધિ ચાલીયે, જે વિવેક મન હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com