________________
( ૨ ) ભવસમુદ્ર તરવા માટે પ્રવહણ સમાન છે, તેમાં તત્વને સમાવેશ છે, હૃદયમાં તિરૂપ છે. એ ઋારને પ્રથમ ઉચ્ચાર શ્રી આદિનાથ પિતાએ કરેલો છે. ચિદાનંદજી કહે છે કે–હે પ્યારા આત્મા ! તેનો અનુભવ ચિતદ્વારા કરીને તેને આત્માની અંદર સ્થાપન કરો. ૧
નમત સકળ ઇંદ ચંદ જાકું ધ્યેયરૂપ, જાનકે મુનિંદ યાકું ધ્યાન મજઝ ધારહિ; સુરતિ નિરતિમેં સમાય રહે આઠ જામ, સુરભિ ન જિમ નિજ સુતકું વિસારહિ. લીન હોય પીનતા પ્રણવ સુખકારી લહે, દહે ભવબીજ વિષે વાસ પર જારહિ; ચિદાનંદ પ્યારે શુભ ચેતના પ્રગટ કર, એસે ધ્યાન ધર મિથ્યા ભાવકું વિસારહિ. ૨
અર્થ–જે કારને સર્વ ઇદ્રો ને ચંદ્રાદિક નમે છે અને તેને ધ્યેયરૂપ જાણીને મુનીંદ્રો જેને ધ્યાનમાં ધારણું કરે છે, ( જેનું ધ્યાન કરે છે ), વળી ગાય જેમ પોતાના સુત (વાછડા)ને આઠે પહોર ભૂલતી નથી તેમ મુનિ પણ એની સુરતિમા–એના શ્વાનની આસકિતમાં આઠે પહોર સમાઈ રહે છે–તેનું જ ધ્યાન કયો કરે છે અને તેમાં લીન રહીને પુષ્ટ થાય છે. વળી એ સુખકારી પ્રણવ (છ) ને પામીને વિષયવાસનાને બાળી દઈ ભવબીજને પણ બાળી દે છે. ચિદાનંદજી કહે છે કે-હે આત્મા ! તું શુભચેતનાને પ્રગટ કરીને તેમજ મિથ્યાભાવને વિસરી જઈને એનું એવું ધ્યાન ધર. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com