Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 137
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ દૃષ્ટિમાં નહિ આવે પણ કર્મ મહારાજાના પાસે તો તેનાં કડવાં ફળો જરૂરાજરૂર ચાખવાંજ પડશે. કોઈ પણ પ્રકારે કદાપિ કાલે તે તને છોડનાર નથી. નથી ને નથી જ માટે ભુલ્યા ત્યાંથી ફરીને કરો અને જાગ્યા ત્યાંથી સવાર ગણી બાજી સુધારવામાં ફાયદો છે, પછી હાથમાંથી બાજી ગયાથી બગડી ગયા પછી હાથ ઘસવાનાં પશ્ચાતાપ કરવાપણુ તને નકામું થઈ પડશે. અને તેમાં તારૂ કોઈ પણ વળશે નહિ. માટે ચેતી લે મનમાં પશ્ચાતાપ કર સ્વઆત્માની નિંદા કર પોતાના દુષ્કરમની વારંવાર માફી માગ તેને ક્ષીણ કરવા સદગુરુ પાસે પ્રાયશ્ચિત લે ગુણાનુરાગી થઈ બાહ્યાડંબર છોડી દઈ ભવથી ભય રાખી ઉત્તમ જીવોનો સંગકર કે જે તને ભવોભવ સુખદાયક થઈ પડે. ૩૦. હે જીવ ! આ દીવાની દુનિયામાં દીવાના લોકો નામના કરવા માટે જ બહુ મથ્યા કરે છે. પણ તેમાં વિચાર કરવાનો છે. નામના બે પ્રકારની છે, એક સારી નામના અને બીજી નઠારી નામના દેવગુરુ ધર્મ તેમજ નીતિ અને વ્યવહારનાં કોઈપણ કાર્યમાં પરને પરિતાપ કર્યા સિવાય સ્વપરને જે કરવાથી લાભ થાય છે. તેમજ ઇહ લોકને વિષે યશ, પુન્ય અને પરલોક વિષે સદ્ગતિની પ્રાપ્તિ થાય તેવી નામના ઉત્તમ છે, અને સંસારના દરેક જીવોને તેવી નામના જરૂર સ્વશક્તિ અને વીર્ય ઉલ્લાસથી કરવી જોઇએ પરંતુ દેવગુરુ ધર્મનીતિ વ્યવહારને મરડી નાખી સ્વપરને ડુબાવવા રૂપની નામના થતી હોય તો તેથી સર્યું એવી પાપમય નામના કરવા કરતાં તેજ સમયે ઝેરપાન ઝુંપાપાત ગળેફાંસો ખાવો સારો કારણ કે તે એક જ ભવમાં મારે છે, પરંતુ ખોટી નામના દરેક ભવમાં વારંવાર કુમરણથી મારે છે. માટે બુદ્ધિ હોય તો વિચાર કર. ૧૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164