Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 145
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ ત્યારે જ બહું સારું કેહવાય ૧. જૈન મંદિર ઉત્તમોત્તમ છે તેનું અસ્તિત્વપણું સારી દુનિયામાં જોઇએ તે બાબત ઘણા મુનિ મહારાજાઓ તથા શ્રીમંતો ઉદ્યમ ઘણો જ કરે છે અને સફળ પણ થાય છે. છતાં કેટલેક સ્થલે જૈન મંદિરની જરૂરીયાત હોવા છતાં અને જીર્ણોદ્ધારની આવશ્યક છતાં દુર્લક્ષ્ય રહે છે તે નહિ રાખતાં જીર્ણોદ્ધાર માટે મુનિ મહારાજાઓ અને શ્રીમંતો મહેનત કરી તે કામ પાર ઉતારે ત્યારે બહુ સારૂ કહેવાય. ૨. નવીજ જૈન મંદિરને વળગી રહેલા કેટલાક મુનિમહારાજાઓ નવીન જૈન મંદિર બંધાવવા કરતાં જીર્ણોદ્ધારમાં આઠગણું પુન્ય વધારે કહેલ છે આવું જાણતાં છતાં જીર્ણોદ્ધાર તરફ લક્ષ્ય દેતા નથી અને શ્રીમંતો પણ નવીન દેરાસરજી માટે પૈસા આપી જીર્ણોદ્ધારને માટે પૈસા નથી આપતા તે ઠીક થતું નથી પણ નવીન દેરાસરજીને પેઠે જીર્ણોદ્ધારમાં પૈસા આપી ઉદ્ધાર કરાવવો ત્યારે જ બહુ સારું કહેવાય. ૩. કેટલાયક શ્રીમન્તોને સાધુઓ જીર્ણોદ્ધારને ઉપદેશ આપે ત્યારે બોલે છે કે દેરાસરજીમાં લાખો રૂપીયાની મુડી છે તે શું કામની છે ? શા માટે તેના ટ્રસ્ટીયો નવીન દેરાસરજીમાં કે જીર્ણોદ્ધારમાં આપતા નથી આવુ બોલે છે તે ઠીક નથી પણ પુન્યનીખાતર નવીન દેરાસરજી તથા જીર્ણોદ્ધારમાં પૈસો આપે ત્યારે જ બહુ સારું કહેવાય. ' ૪. દેરાસરના ટ્રસ્ટીયો પણ દેરાસરજીના પૈસા ઉપર મમત્વ ભાવ રાખી દોષના ભાગીદાર થઇ નવીન દેરાસરજી અને જીર્ણોદ્ધારમાં પૈસા નહિ આપતાં પારકે પૈસે અંતરાય બાંધનારા થઈ પાપના ભોક્તા બને છે તેના કરતાં જ્યાં જોઈએ ત્યાં યોગ્યતા પૂર્વક પૈસા આપી પુન્ય બાંધે ત્યારે જ બહુ સારૂ ગણાય. ૧૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164