Book Title: Vividh Vishay Vicharmala Part 02
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 140
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મેળવવામાં સેવવાં પડ્યાં હોય અને તેનાથી મુક્ત થવું હોય તો સદાચાર અને સત્યતા સહિત ન્યાય માર્ગનું આલંબન કરી અઢારે પાપસ્થાનોના પરિવાર ભૂત ન્યાય લક્ષ્મી ન્યાયદષ્ટિથી ઉપાર્જન એવી રીત કર કે પૂર્વે કરેલા કર્મથી તું જલ્દી મુક્ત થા, ન્યાયની લક્ષ્મી સિવાય અન્યાયની લક્ષ્મી પરિણામે પણ તાહરા પાસેથી જશે ને જશે ૪૩. કાગડા કુતરા બિલાડા પણ પોતાના બાળબચ્ચાંઓનું ભરણ પોષણ કરે છે. અને પણ તાહરા કુટુંબ વર્ગનું પોષણ કરે છે, તે તો એક દુનિયાદારીની નીતિરીતિ છે. અને તેથી તાહરે ફુલાઈ જવાનું નથી તેમાં તાહરી મોટાઈ કાંઈ નથી. પણ જેઆશા છોડીને બેઠેલા પરિતાપને પામેલા દિન દુઃખિત તારા સ્વામી ભાઈઓની સારવાર જો તે લક્ષ્મીથી તું કરે તો તને ધન્યવાદ છે, તે પણ ગુપ્ત રીતે, જગતમાં ઢોલ વગાડી ઢંઢેરો પીટાવી સારવાર કરે તો કંઈ જ નહિ કારણ કે આપણા પરમ પૂજય પિતાજી ભગવાન શ્રી મહાવીર મહારાજાના ઉત્તમોત્તમ વચનો છે કે દિન દુઃસ્થિત સ્વામી ભાઈયોની ભક્તિ ગુપ્ત રીતે કરી તેનો ઉદ્ધાર કરી પોતાની સમાન બનાવે તેજ મહારી આજ્ઞા પ્રતિપાલક ન્યાય લક્ષ્મીવાળો કહેવાય બીજો નહિ. ૪૪. પ્રાણાંત અને સર્વસ્વ નષ્ટ થવાના સમયે પણ તું પૈર્યને ધારણ કરી સત્યને છોડીશ નહિ પરંતુ ગુણ રાગી થઇ ગુણીયોનો પક્ષપાત કરજે. ૪૫. કદાગ્રહ રૂપ ભૂતડો ભારે ભૂંડાઈવાળી છે. તેનો સંગ કરતાં અલગ રહ્યો હોય તો પણ તેનો પડછાયો પણ તને મદિરાના પાનની પેઠે ઉન્મત્ત બનાવશે અનેક અવગુણોરૂપ ભડકામાં સ્થાપન કરશે દુનિયાનો તને હેપી બનાવશે લોકોને નિંદાવતાં જોડાવતાં M૧૨૭ ૧૨9 ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164