Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સુબોધચંદ્ર - લૌકિક દૃષ્ટિથી તેમનો પણ યથાયોગ્ય આદર તો કરવો જ જોઈએ, પણ તેમને રાગ-દ્વેષ આદિનો નાશ થયો ન હોવાથી મોક્ષમાર્ગમાં તેમને પૂજ્ય ગણવામાં આવતા નથી. આઠ દ્રવ્યોથી પૂજ્ય તો વીતરાગ સર્વજ્ઞ દેવ, વીતરાગ માર્ગનાં નિરૂપક શાસ્ત્ર, નગ્ન દિગંબર ભાવલિંગી ગુરુ જ છે. રાજૂ - એ તો હું સમજ્યો કે દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજા કરવી જોઈએ, પણ એનાથી લાભ શું છે તે પણ બતાવોને! સુબોધચંદ્ર- જ્ઞાની જીવ લૌકિક લાભની દૃષ્ટિથી ભગવાનની પૂજા કરતા નથી, તેને તો સહજ ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. જેમ ધનની ઈચ્છાવાળાને ધનવાનનો મહિમા આવ્યા વિના રહેતો નથી તેવી જ રીતે વીતરાગતાના ઉપાસક અર્થાત્ મુક્તિના પથિકને મુક્ત આત્માઓ પ્રત્યે ભક્તિનો ભાવ આવે જ છે. સુબોધચંદ્ર - તો શું ભગવાનની ભક્તિથી લૌકિક ( સાંસારિક ) સુખ નથી મળતું? સુબોધચંદ્ર – જ્ઞાની ભક્ત સાંસારિક સુખ ઈચ્છતા જ નથી, પણ શુભભાવ થવાથી તેમને પુણ્યબંધ અવશ્ય થાય છે અને પુણ્યોદયના નિમિત્તે સાંસારિક ભોગસામગ્રી પણ તેમને મળે છે, પણ તેમની દષ્ટમાં તેનું કાંઈ મૂલ્ય નથી. પૂજા ભક્તિનો સાચો લાભ તો વિષય-કષાયથી બચવું તે જ છે. રાજદૂ - તો પૂજા કેવી રીતે કરવામાં આવે છે? સુબોધચંદ્ર- દિવસે, ગળેલા પાણીથી સ્નાન કરીને, ધોયેલાં વસ્ત્રો પહેરીને, જિનમંદિરમાં જિનેન્દ્ર ભગવાનની સમક્ષ વિનયપૂર્વક ઊભા રહીને પ્રાસુક દ્રવ્યથી એકાગ્ર ચિત્ત થઈને પૂજા કરવામાં આવે છે. રાજૂ - પ્રાસુક દ્રવ્ય એટલે....? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55