Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 52
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates યુદ્ધનું સ્થળ સ્નેહ સંમેલનમાં બદલાઈ ગયું. વિધાર્થી – ચાલો, હવે તો સીતાનાં દુઃખોનો અંત આવ્યો ને? શિક્ષક - રાગની ભૂમિકામાં દુઃખોનો અંત આવી જ નથી શકતો. દુઃખના નાશનો ઉપાય તો એકમાત્ર વીતરાગતા જ છે. વિધાર્થી – પછી શું થયું? શિક્ષક – રામે અગ્નિ-૫રીક્ષા વિના સીતાનો સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો. વિધાર્થી – પછી.... ? શિક્ષક –મહાસતી સીતાએ અગ્નિ-પ્રવેશ કરીને પોતાની પવિત્રતા પ્રગટ કરી દીધી. ભયંકર અગ્નિની જ્વાળા પણ શીતળ, શાંત જળરૂપ થઈ ગઈ. શીલના મહિમાથી દેવો દ્વારા આ ચમત્કાર કરવામાં આવ્યો. વિધાર્થી – પછી તો રામે સીતાનો સ્વીકાર કરી લીધો હશે ? શિક્ષક –હા, રામ તો સીતાને સ્વીકારવાને તૈયાર થઈ ગયા હતા પણ સીતાએ ગૃહસ્થીની આગમાં પ્રવેશવાનું ન સ્વીકાર્યું. કેમકે તેમણે સારી રીતે જાણી લીધું હતું કે ભોગોમાં સુખ નથી, સુખપ્રાપ્તિનો ઉપાય તો માત્ર વીતરાગ માર્ગ જ છે; તેથી તેઓ અર્જિકાનાં વ્રત લઈને આત્મસાધનામાં રત થઈ ગયાં. વિધાર્થી – અને રામ....? શિક્ષક – રામ પણ થોડા વખત પછી સંસારની અસારતા જોઈને વીતરાગી સાધુ થઈ ગયા અને આત્મસાધનાની ચરમ સીમાએ પહોંચીને રાગ-દ્વેષનો નાશ કરી પૂર્ણ જ્ઞાની (સર્વજ્ઞ ) બની ગયા. પ્રશ્ન ૧. શ્રી રામની કથા તમારા શબ્દોમાં લખો. ૨. હનુમાનાદિને વાનર અને રાવણાદિને રાક્ષસ શા માટે કહેવામાં આવે છે? ૩. ભગવાન કોને કહે છે? રામ અને હનુમાન ભગવાન છે કે નહિ? જો હા. તો કારણ આપો. ૪૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55