Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 53
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૧૧ | સમયસાર સ્તુતિ (હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાતી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણા ભીના હૃદયે કરી, મુનિકુન્દ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી. . (અનુટુપ) કુન્દકુન્દ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા; ગ્રન્થાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. (શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ–ભાવે નીતરતી મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી ! અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપી ભણી દોડે પરિણતિ, (શાર્દૂલવિક્રીડિત) તું છે નિશ્ચયગ્રંથ, ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા! સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તુ પંથ મુક્તિ તણો. (વસંતતિલકા) સૂણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે. (અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુન્દનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુન્દસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી. ४८ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55