________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बंधनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ।।२१२।। येनांशेन ज्ञानं तेनांशेनास्य बंधनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ।।२१३।। येनांशेन चरित्रं तेनांशेनास्य बंधनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ।। २१४।।
આ આત્માને જેટલા અંશે સમ્યગ્દર્શન છે, તે અંશથી (પર્યાયથી ) બંધ નથી અને જેટલા અંશે રાગ છે, તે અંશથી બંધ થાય છે. અને જેટલા અંશે જ્ઞાન છે, તે અંશથી બંધ નથી અને જેટલા અંશે રાગ છે, તે અંશથી બંધ થાય છે. અને જેટલા અંશે ચારિત્ર છે, તે અંશથી બંધ નથી અને જે અંશથી રાગ છે, તે અંશથી બંધ થાય છે.
તેથી જો આપણે બંધનો અભાવ કરવો હોય અર્થાત્ દુ:ખ મટાડવું હોય તો રત્નત્રયરૂપ પરિણમન કરવું જોઈએ. એ જ એકમાત્ર સાંસારિક દુ:ખોથી છૂટવાનો સાચો મોક્ષનો માર્ગ છે.
પ્રશ્ન
૧. મોક્ષ શું છે અને મોક્ષમાર્ગ કોને કહે છે?
૨. નિશ્ચય સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યજ્ઞાન અને નિશ્ચય સમ્યક્ચારિત્રની વ્યાખ્યા આપો.
૩. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે?
૪. સંશય, વિપર્યય અને અનધ્યવસાયની વ્યાખ્યા લખો.
૫. રત્નત્રય સ્વર્ગાદિનું કારણ કેમ નથી? તર્કસંગત ઉત્તર આપો.
૩૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com