Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 43
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates યોગ્ય છે. વળી નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, એવા શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે, તેથી તેનું શ્રદ્ધાન કરવું. ગુમાનીરામ - તો પછી જૈન શાસ્ત્રોમાં બન્ને નયોનું ગ્રહણ કરવાનું કેમ કહ્યું છે? પં. ટોડરમલજી – જ્યાં નિશ્ચયનયનું કથન હોય તેને તો “સત્યાર્થ એમ જ છે.” એમ માનવું અને જ્યાં વ્યવહારની મુખ્યતાથી કથન હોય, તેને “ એમ નથી, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી કથન કર્યું છે, ” એમ માનવું તે જ બન્ને નયોનું ગ્રહણ છે. ગુમાનીરામ - જો વ્યવહારને હેય કહેશો તો લોકો વ્રત, શીલ, સંયમાદિ છોડી દેશે. ૫. ટોડરમલજી – કાંઈ વ્રત, શીલ, સંયમાદિનું નામ તો વ્યવહાર નથી, એને મોક્ષમાર્ગ માનવો તે વ્યવહાર છે. એને સાચો મોક્ષમાર્ગ માનવાનું તો છોડવું જ જોઈએ. અને જો વ્રતાદિ છોડશો તો શું હિંસાદિરૂપ પ્રવર્તશો, તો તો એથી પણ વધારે બૂરું થશે. માટે વ્રતાદિને છોડવા એ પણ બરાબર નથી અને તેમને સાચો મોક્ષમાર્ગ માનવો એ પણ બરાબર નથી. ગુમાનીરામ – જો એમ છે તો પછી જિનવાણીમાં વ્યવહારનું કથન જ શા માટે ૫. ટોડરમલજી – જેવી રીતે સ્વેચ્છને પ્લેચ્છ ભાષા વિના સમજાવી ન શકાય તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ આપી શકાતો નથી. તેથી જિનવાણીમાં વ્યવહારનું કથન આવ્યું છે. જેમ પ્લેચ્છને સમજાવવા માટે ભલે મ્લેચ્છ ભાષાનો આશ્રય લેવો પડે, પણ પ્લેચ્છ થઈ જવું તો સારું નથી, તેવી જ રીતે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભલે તેનું કથન થાય પણ તે અનુસરવા યોગ્ય નથી. ૩૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55