Book Title: Vitrag Vigyana Pathmala 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 44
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુમાનીરામ - વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક કેવી રીતે છે? ૫. ટોડરમલજી – જેમ હિમાલય પર્વતમાંથી નીકળીને બંગાળની ખાડીમાં મળનારી સેંકડો માઈલ લાંબી ગંગાની લંબાઈ તો શું, પહોળાઈ પણ આંખથી જોઈ શકાતી નથી. તેથી તેની લંબાઈ, પહોળાઈ અને વહેણના વળાંકો જાણવા માટે આપણે નકશાની મદદ લેવી પડે છે. પણ જે ગંગા નકશામાં છે તે સાચી નથી, તેનાથી તો માત્ર ગંગાને સમજી શકાય છે, તેનાથી કોઈ મુસાફર તરસ છિપાવી શકતો નથી. તરસ છિપાવવા માટે સાચી ગંગાને કિનારે જ જવું પડશે. તેવી જ રીતે વ્યવહાર દ્વારા કથિત વચન નકશાની ગંગા જેવાં છે. તેનાથી સમજી શકાય છે પણ તેના આશ્રયથી આત્માનુભવ પ્રાપ્ત કરી શકાતો નથી. આત્માનુભવ પ્રાપ્ત કરવા માટે તો નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધાત્માનો જ આશ્રય લેવો આવશ્યક છે. માટે વ્યવહારનય તો માત્ર જાણવા (સમજવા) માટે જ પ્રયોજનવાન છે. પ્રશ્ન ૧. મુક્તિનો માર્ગ શું છે? શું તે બે પ્રકારનો છે? સ્પષ્ટ કરો. ૨. નિશ્ચય મોક્ષમાર્ગ અને વ્યવહાર મોક્ષમાર્ગમાં શું તફાવત છે? સ્પષ્ટ કરો. ૩. નિશ્ચય અને વ્યવહારની વ્યાખ્યા આપો. ૪. નીચેના કથનમાં શું દોષ છે? સમજાવો. સિદ્ધ સમાન શુદ્ધાત્માનો અનુભવ કરવો તે નિશ્ચય અને વ્રત, શીલ, સંયમાદિની પ્રવૃત્તિ તે વ્યવહાર છે.” ૫. જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ આપ્યો જ કેમ ? ૬. બન્ને નયોનું ગ્રહણ કરવું એનું તાત્પર્ય શું છે? ૩૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55